________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩૪ )
શ્રી કમગ મંથ-સવિવેચન.
તેઓનો અંત આવે. આ વિશ્વમાં સર્વ જીવો પરસ્પર એક બીજાને સ્વાત્મામાં સ્વાત્મવત્ દેખે અને તેઓના આત્માની સાથે મળે એવું શુદ્ધ ધર્મ સામ્રાજ્ય સર્વત્ર સ્થપાવાની સાથે સર્વ જીવોને પ્રભુમય જીવનની પ્રાપ્તિ થાય છે. આત્મામાં સત્યજ્ઞાન સત્યદર્શન આનંદ વગેરે ધર્મો કહ્યા છે. તેઓની સર્વજી વૃદ્ધિ કરે એટલે તેઓ સ્વયં પ્રભુમય જીવનવંત બને છે. અને તેથી એક બીજાનો સ્વાર્થ વડે નાશ કરવાનો પ્રસંગ આવતે નથી. તથા અનેક પ્રકારની માનસિક ચિંતાઓ ટળવાથી સત્ય શક્તિની પ્રાપ્તિ થાય છે. બૌદ્ધ, સાંખ્ય, મીમાંસક, નૈયાયિકદર્શન, વેદાન્ત, ધર્મ, હિન્દુધર્મ, મુસલ્મીન ધર્મ, ખ્રિસ્તિ ધર્મ, વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગ, રામાનુજપથ, કબીરપંથ, થીઓસોફી, બ્રહ્મસમાજ, પ્રાર્થના સમાજ, શીઆધમ, વગેરે અનેક ધર્મોનું મૂળ આત્માની અનેક દૃષ્ટિ છે અને તે સર્વે ધર્મો આત્મા અર્થાત્ બ્રહ્મમાં સમાય છે એમ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સર્વ મનુષ્ય વિચારે છે કે આત્મા તે શરીરમાં, હૃદયમાં અને તલમાં તેલની પેઠે વ્યાપી રહ્યો છે, ત્યારે સર્વ સત્ય પણ આત્મામાં વ્યાપી રહ્યાં છે. એવો નિશ્ચય થતાંની સાથે આત્માના શુદ્ધ ધર્મોનો અનુભવ કરવા માટે ખરી લગની લાગે છે અને તેથી તેઓ આત્માના શુદ્ધ ધર્મના અત્યંત રસિયા બને છે. તેથી તેઓને શુદ્ધધર્મોને અનુભવ આવે છે. આ પ્રમાણે વિશ્વવર્તિમનુષ્યને શુદ્ધધર્મને અનુભવ આવતાં સર્વધર્મોની દષ્ટિની પરસ્પરની વિરુદ્ધતાને અંત આવે છે, તથા સર્વ ધર્મો પિતાના આત્મામાં સમાયલા જણાય છે. અનંતધર્મો એવા છે કે જે અનુભવમાં ભાસે છે પરંતુ વાણીથી કથી શકાતા નથી, તેને પણ અનુભવ આવે છે. વિશ્વમાં ભિન્ન ભિન્ન ધર્મના આચારો અને વિચારો કઈ કઈ દૃષ્ટિથી પ્રગટે છે અને તેઓની આવશ્યકતા કયાં સુધી છે તેને પણ અનુભવ આવે છે. આ પ્રમાણે અનુભવ પ્રગટવાથી આત્મામાં સર્વ દેખાય છે, તેથી પરમ સંતોષ પરમાનન્દ પ્રગટે છે; તતઃ પશ્ચાત્ એમ અનુભવાય છે કે સર્વ દેહમાં દે છે, પરંતુ શુદ્ધધર્મના જ્ઞાન વિના તેઓ પિતાને દીન, ગરીબ ગણીને વિકલ્પ સંકલ્પ કરી દુઃખી થાય છે. સર્વ દેહ વસ્તુતઃ ઔપચારિક દૃષ્ટિએ આત્માઓરૂપ દેવનાં દેવળે છે અને તેમાં આત્માઓ બહિરાત્મભાવની અને અન્તરાત્મ ભાવની અનંતપ્રકારની કડા કરી રહ્યા છે. સર્વ દેહામાં સર્વ આત્માઓ સ્વયં અનંત કા–અનન્ત રાખે છે તેઓ મનની વૃત્તિરૂપ ગોપીઓની સાથે અને સમતારૂપ સીતાની સાથે આત્મારૂપ રામકડા કરી રહ્યા છે એમ અનુભવ આવે છે. તેથી કેઈ આત્માના દેહરૂપ દેવળને નાશ કરવાની પ્રવૃત્તિ થતી નથી. આ પ્રમાણે વિધવતિ સર્વમનુષ્યને જે ભાન થાય તો વિશ્વની અનેક સમાજમાં પ્રભુજીવનની ઝાંખી થાય અને આત્મા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરવા અનેક ધર્મકર્મોને સેવી પરમાત્મપદ પ્રાપ્ત કરે એમ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના ઉપદેશને સાર અવાધાય છે. સર્વ જીવોમાં સ્વાત્માને શુદ્ધ ધર્મ દેખવાને અનુભવ કરો
For Private And Personal Use Only