SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ). શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. માન્ય ન થાય, એ સર્વથા સ્વાભાવિક જ છે. એ જ નિયમ મહાત્માઓના સંબંધમાં પણ લાગુ પડે છે. તેમનાં અવતારકાર્ય તેમના માર્ગ અને તેમના અંતિમ હેતુ આદિ સર્વ તેમની દષ્ટિ સમક્ષજ હોય છે; અને તેથી કોઇપણ પ્રકારની પરિસ્થિતિના ગે તેમના ચિત્તને બ્રમને સ્પર્શ થઈ શકતો નથી. તેમનામાં આત્મવિશ્વાસ સંપૂર્ણતાથી વસતો હોય છે; અને તેમના જેવો આત્મવિશ્વાસ કઈ પણ પ્રકારના સામાન્ય મનુષ્યમાં મળી આવતો નથીજ. “પરમેશ્વરનું અસ્તિત્વ તમને માન્ય છે ખરું કે?“પુનર્જન્મને તમે માને છે ખરા કે ?” અથવા “અમુક એક જન્મ તમને માન્ય છે ખરો કે ?” ઈત્યાદિ પ્રશ્ન આપણે એક બીજાને પૂછયા કરીએ છીએ, પરંતુ એ પ્રશ્નોનાં નિશ્ચિત ઉત્તરો આપવા માટે કિંવા મેળવવા માટે જે મૂળ આધારની આવશ્યકતા હોય છે, તે મૂળ આધારને જ આપણામાં અભાવ છે. આપણે મૂળ પાયાને જ ભૂલી ગયા છીએ; અને એ પાયે તે અન્ય કાંઈ નહિ, પણ કેવળ આત્મવિશ્વાસ કિંવા આત્મશ્રદ્ધા જ છે. જેનામાં આત્મવિશ્વાસ જ નથી તેના મનમાં બીજાઓ વિષેને વિશ્વાસ કેવી રીતે ઉત્પન્ન થાય વારુ ? મારું પિતાનું જ અસ્તિત્વ નિશ્ચિત છે કે નહિ, એને જ પ્રથમ તો મને નિશ્ચય નથી. એક ક્ષણે મારું અસ્તિત્વ સાર્વકાલિક ભાસતું હોવા છતાં અન્ય ક્ષણે હુ મૃત્યુના ભયથી થરથર કંપવા મંડી જાઉં છું; એક ક્ષણે હું અમર છું—એમ મને ભાસે છે, અને દ્વિતીય ક્ષણે કોઈ એક યત્કિંચિત્ કારણથી હું કરું છું અને ક્યાં છું, એટલા ભાનને પણ હું ભૂલી જાઉં છું; અર્થાત્ હું જીવતે છું કે મરી ગયો છું એ પણ મારાથી સમજી શકાતું નથી. એનું કારણ કેવળ એટલું જ છે કે, મારામાં આત્મવિશ્વાસને સર્વથા અભાવ છે. જે પાયાના આધારે ઈમારત ચણવાની છે, તે પાચે જ ઉખડી ગએલે છે. અને તે જ એ પરિસ્થિતિનું મૂળ કારણ છે; મહાત્માઓ અને સામાન્ય મનુષ્ય મળે જે ભેદ રહેલો છે તે એ જ છે. મહાત્માઓનાં અંતઃકરણમાં સંપૂર્ણ આત્મવિશ્વાસનો નિવાસ હોય છે એમ નિત્ય આપણા જોવામાં આવ્યા કરે છે, અને તેમનામાં આટલો બધો આત્મવિશ્વાસ કેવી રીતે ઉદ્ભવે છે, એ આપણાથી કળી શકાતું નથી. મહાત્માઓ પિતાવિષે જે કાંઈ પણ કહે છે તે તેમના કથનની ઉત્પત્તિ કરવાને આપણે અનેકમાર્ગે પ્રયત્ન કર્યા કરીએ છીએ તેનું કારણ પણ એ જ છે. મહાત્માના એક વચન વિષે સહસ્ત્ર મનુષ્યોની સહસ્ત્ર ઉત્પત્તિઓ બહાર પડે છે તેનું કારણ પણ એ જ છે; તેમને તેમને અનુભવ કેવી રીતે થયે-એનું રહસ્ય આપણુ જાણવામાં હોતું નથી. અને તેથી જ તેમનાં વચને તત્કાળ આપણા ગળામાં ઉતરી શકતાં નથી. એટલે પછી તેમને સમજી લેવા માટે આપણે સહસાવધિ પ્રકારના પ્રયત્નો કર્યા કરીએ છીએ. મહાત્માએ બોલવા માંડે, એટલે સમસ્ત જગત એકતાનતાથી તેમનું ભાષણ સાંભળવા માંડે છે. તેમના ભાષણમાં પ્રત્યેક શબ્દ શુદ્ધ અનુભવસિદ્ધ હોવાથી તે પ્રત્યેક શબ્દ એક એક બાણ સમાન જ હોય છે. તેમના પ્રત્યેક શબ્દના પ્ર૪ ભાગમાં સાક્ષાત વિશ્વશક્તિ ઉભેલી For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy