________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતારી આત્માઓનું મંતવ્ય.
( ૬૧૯ ).
જન્મકાળથી જ તેમના કાર્યની દિશા નિયત થયેલી હોય છે. તેમના કાર્ય અને તેમના માર્ગો પ્રથમથી જ સંપૂર્ણ રીતે રેખાંકિત થયેલાં હોય છે, અને મહાત્માઓએ અંકાવેલી રેખાનું કિંચિત્માત્ર પણ ઉલ્લંઘન કરતા નથી-એમ પણ આપણું જોવામાં આવી શકે તેમ છે; કારણ કે, એ મહાત્માઓને જન્મ એક વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે જ થયેલો હોય છે, પરમેશ્વરના અમુક એક વિશિષ્ટ સંદેશાને સમસ્ત માનવજાતિ પર્યન્ત પહોંચાડી દે એ જ તેમનું કાર્ય હોય છે. કડાકાબંધ વાદવિવાદ કરવો અને બુદ્ધિવાદથી પિતાના કથનને સિદ્ધ કરી બતાવવું એ તેમને હેતુ હોતે જ નથી અને તેટલા માટે તેઓ બુદ્ધિવાદના ઉન્માદમાં કદાપિ પડતા જ નથી. તેમના કથનને વ્યકત કરવા માટેનાં જે કાંઈ પણ પ્રમે હોય છે તે પ્રમેયના સત્યત્વને તેમણે કદાપિ બુદ્ધિવાદથી સિદ્ધ કર્યું હોય-એમ કયાંય જેવા કે સાંભળવામાં આવ્યું નથી. તેમનામાંના એક પણ મહાત્માએ કદાપિ બુદ્ધિવાદ કર્યો નથી, અને તેમણે બુદ્ધિવાદ કરે પણ શામાટે જોઈએ વારુ? કારણકે જે પ્રમેયનું તેઓ પ્રત્યક્ષ અવકન કરે છે અને જેમને તેમને પ્રત્યક્ષ અનુભવ થયા કરે છે–તેટલા તત્ત્વોને જ તેઓ લેકે સમક્ષ વ્યકત કરે છે. સત્યને તેમને પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયેલ હોય છે, એટલું જ નહી, પણ બીજાઓને પણ તે સત્યનો સાક્ષાત્કાર કરાવી આપવા માટે તેઓ તૈયાર હોય છે. “પરમેશ્વર છે કે કેમ ?” એ પ્રશ્ન તમે મને પૂછો અને તેનું હું હા, પરમેશ્વર છે !” એવું ઉત્તર આપું, એટલે તરત તમે “પરમેશ્વર છે, એમ તમે શા આધારે કહો છો? એ એક બીજો પ્રશ્ન પૂછો છો; તમારે આ પ્રશ્ન મારા કર્ણ સંપુટમાં-આવીને અથડાતાંની સાથે જ મારા મનમાં જે ગભરાટ વ્યાપી જાય છે, તેનું વર્ણન સર્વથા અશક્ય છે. ગમે તેવી એક કારણ પરંપરાને તમારી સમક્ષ રજૂ કરીને તમારે મારા તે કથનમાં વિશ્વાસ બંધાવવા માટે મારી બુદ્ધિ ગમે તેવાં આડાંઅવળાં ફાંફાં મારવા મંડી જાય છે, પરંતુ કેઈ એકઅવતારી પુરુષને તમે એ જ પ્રશ્ન પૂછ્યું હોય, તે તેનામાં સાક્ષાત્ પરમેશ્વરને સાક્ષાત્કાર કરાવી આપવાનું સામર્થ્ય રહેલું હોય છે. “પરમેશ્વર છે–એમ તમે શા આધારે કહી શકે છે ?” એ પ્રશ્નના ઉત્તરમાં અવતારી–પુરુષ માત્ર એટલા શબ્દો જ ઉચ્ચારે છે કે;–“ જુઓ, આ રહ્યો પરમેશ્વર !” તેને અને પરમેશ્વરને બુદ્ધિગમ્ય માર્ગથી મેળાપ થયેલ હોતો નથી. બુદ્ધિના ઘટપટની ખટપટ કરીને તેણે પરમેશ્વરના અસ્તિત્વને સિદ્ધ કરેલું હોતું નથી, કિંતુ તેણે પરમેશ્વરના અસ્તિત્વને પ્રત્યક્ષ મિલનથી જ સાક્ષાત્કાર કરેલો હેાય છે. તે કયાંય અંધકારમાં અટવાયા કરતું નથી, કિંતુ પ્રકાશ તેની દૃષ્ટિ સમક્ષ જ હોય છે. આ ટેબલ મારી દૃષ્ટિથી મને દેખાય છે, એટલે હવે કઈ ગમે તેટલા અને ગમે તેવા બુદ્ધિવાદથી એમ સિદ્ધ કરવાનો યત્ન કરે છે. આ ટેબલનું અસ્તિત્વ છે જ નહિ. તે હું તેના કથનને સત્ય તરીકે સ્વીકારી શકીશ ખરો કે? હું જ્યાં આ ટેબલને પ્રત્યક્ષ જોયા કરું છું ત્યાં પછી વિરુદ્ધ પક્ષનાં ગમે તેટલા પ્રમાણે હોય, તે પણ મને તે ગ્રાહ્ય કિંવા
For Private And Personal Use Only