________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૧૮).
શ્રી કર્મ ગ ગ્રંથ-સવિવેચન.
પ્રવૃત્તિ દર્શાવે છે. માટે તેના પર અને કર્તવ્ય ધર્મકર્મ પર પૂર્ણ શ્રદ્ધા ધારવી જોઈએ. પૂર્ણા નૈવ થાવૉરમત રમ્ એ સૂત્ર સર્વથા સર્વદા સત્ય છે. પૂર્ણ શ્રદ્ધાબલથી દરેક ધર્મકર્મપ્રવૃત્તિથી પ્રવર્તીને ઈચ્છિત કાર્યની સિદ્ધિને ય પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાની ગીતાર્થમહાત્માઓ ધર્માવતારરૂપ હોય છે તેથી તેઓના ચરણોમાં શીર્ષ નમાવીને તેઓની આજ્ઞાઓ પૂર્ણ શ્રદ્ધા બલવડે શિરસાવધ કરવામાં આત્મન્નિતિ થાય છે. ભૂતકાલીનજ્ઞાનીમહાત્માઓ તે તે દેશકાલના ધર્મ પ્રવર્તકે હતા અને વર્તમાનકાલીન ક્ષેત્રદેશપરત્વે ભિન્ન ભિન્ન મહાત્માઓ આત્માઓની શુદ્ધતા કરવામાં ધર્મપ્રવર્તક છે. ધર્મને પ્રવર્તાવનાર અવતારી મહાપુરુષ માટે વેદાન્તી હવામી વિવેકાનન્દ શું કથે છે તે વિવેકાનન્દવિચારમાળા પાંચમા પુષ્પમાંથી નીચે પ્રમાણે ઉતારે કરવામાં આવે છે.
કઈ મનુષ્ય જીસસ ક્રાઈસ્ટને કહ્યું કે, “પરમેશ્વર સાથે મારે મેળાપ કરાવી આપો ! એટલે તેના ઉત્તરમાં ક્રાઈસ્ટે કહ્યું-જેણે મને જે છે તેણે પરમેશ્વરને જ જે છેજીસસ કઈસ્ટ એક માનવદેહધારી હત-એટલી જ વાર્તા આપણું ધ્યાનમાં રહેલી છે. પરમેશ્વર સર્વત્ર વ્યાપક છે; જ્યાં તેની વ્યાપતા ન હોય, એવું કાંઈ પણ સ્થાન છે જ નહિ, પરંતુ આપણું મને ભૂમિકા જ એવા પ્રકારની રચાએલી છે કે, અવતારી પુરુષના પરિચયથી જ આપણે તેને ઓળખી શકીએ છીએ. જે જે વેળાએ અવતારી પુરુષે નિર્માણ થાય છે, તે તે વેળાએ માનવમનને ઈશ્વરના અસ્તિત્વને સાક્ષાત્કાર થાય છે. જન્મથી જ એ અવતારી પુરુષની અને આપણી સામાન્ય મનુષ્યની દિશા ભિન્ન ભિન્ન હોય છે. આપણે આ જગમાં જન્મ ધારણ કરીએ છીએ, તે વેળાએ કેવળ એક ભિક્ષુક જેવા હોઈએ છીએ અને મહાત્માઓ જન્મસમયમાં પણ સાર્વભૌમ રાજા જેવા હોય છે. આપણે એક અનાથ બાળક જેવા હોઈએ છીએ. માર્ગને ભૂલી ગયેલ મનુષ્ય જેવી રીતે ઈતસ્તતઃ ભટકતે હોય છે, તેવી જ આપણી સામાન્ય મનુષ્યની સ્થિતિ છે. આપણે જન્મ શામાટે ધર્યો છે? અને આપણું કર્તવ્ય શું છે ? ઈત્યાદિ અનેક પ્રશ્નોનાં આપણુથી ઉત્તર આપી શકાતા નથી; આપણું જન્મ અને આયુષ્યક્રમને અતિમ હેતુ શું છે એ આપણાથી કહી શકાતું નથી. આજે આપણે એક રીતે વર્તતા હોઈએ, તે આવતી કાલે વળી આપણા વર્તનને બીજો જ પ્રકાર જોવામાં આવે છે. સમુદ્રમાં પડેલે એક તૃણભાગ જેવી રીતે પ્રત્યેક લહરી સાથે નીચે ઉંચો થયા કરે છે, તે જ પ્રમાણેની આપણી અવસ્થા પણ છે. વંટેળીયામાં સપડાયેલું એકાદ પીછું (પાંખ) જેવી રીતે ગમે ત્યાં ઊડી અથવા ઘસડાય જાય છે, તે જ પ્રમાણે સંસારના ઝંઝાવાતમાં સપડાએલા આપણુ જીવ પણ ગમે ત્યાં ભટક્તા હોય છે. જે આપણે માનવ જાતિના ઇતિહાસનું અવલોકન કરીએ, તે આપણે એ જ જોઈ શકીએ છીએ કે, અવતારી પુરુષો નિત્ય જન્મને ધારણ કરતા હોય છે અને તેમના
For Private And Personal Use Only