SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir પર જોઈએ. અહમમત્વવૃત્ત રાખ્યા વિના આત્મસ્વરૂપમાં લીન થઈ કર્તા કર્મો કરવાં જોઈએ. પ્રત્યેક કમ કરતાં આત્માનંદમાં મસ્ત થવું જોઈએ અને પ્રમાદને પરિહરવા જોઈએ, રામદેષમાં મુંઝાયા વિના અને પ્રતિદિન શુદ્ધ રાગમાં વિશેષતઃ રંગાઇને ધાર્મિક તથા વ્યાવહારિક કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. નિર્ભય, અખેદ અને અષ ભાવ ધારણ કરીને સ્વાધિકારે કર્તવ્યભ્રષ્ટ થયા વિના કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સર્વે ધર્મોનાં સત્યતને ગ્રહણ કરીને તથા ધર્મવિચારચાર સંબંધી મતસબિશ્તા તથા વિશાલ બુદ્ધિ ધારણ કરીને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. શુદ્ધ બુદ્ધિથી કર્તવ્ય કર્મો કરવામાં આત્માના બાહ્ય પ્રસંગોમાં સદોષતા છતાં વસ્તુતઃ નિર્દોષતા રહે છે માટે શબ્દ બુદ્ધિના ઇરાદાથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સંપ્રતિ જમાનાને અનુસારે કર્તવ્ય કર્મોના પરિવર્તનના સંસ્કાર વગેરેનું જ્ઞાન મેળવીને પ્રાચીન અને અર્વાચીન સુધારણુઓની સત્યતાનું જ્ઞાન કરી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. ઈત્યાદિ અનેક વિષયોને કર્મવેગના વિવેચનમાં સારી રીતે દેશકાલાદિની અપેક્ષાએ ચર્ચા છે. કર્મથાગ મળ્યમાં સળંગ એક જ કર્મયોગને મારિક એક જ સરખો વિષય હોવાથી અને તેમાં ભિન્ન ભિન્ન વિષય ન હોવાથી અધ્યાય વગેરેની સંકલના કરવામાં આવી નથી, કર્મયોગીના ગુણ મેળવવા અને નિરાસકિતપણે આવશ્યક વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવય કર્મોને ત્યાગીએ એ તથા ગૃહએ કરવાં એ જ મુખ્ય વિષયરૂપ કેન્દ્રસ્થાનને કેમાં ભિન્ન ભિન્ન ગુગાદિવડે કર્મયોગના વિચારો સિદ્ધ કરવા પ્રયત્ન કરેલ છે તેથી એક જ વિષય હોવાથી ભિન્ન વિષયાનુક્રમણિકા ની એકસરખી કરવામાં આવી નથી. પરસ્પર બ્લેકને સંબંધ જણાવવા માટે એક જ વિષયમાં સંકલના. ભિન્ન ભિન્ન ક્ષે કોના અર્થ વૃત્તિના સંબંધ માટે અવતરણે આપેલાં છે. વસ્તુત: કર્મયોગ ગ્રન્થ કંઈ વિદ્વત્તા દર્શાવવા માટે રચવામાં આવ્યું નથી. ફકત ગારોને મનુને લાભ મળે તેવા હેતુથી જે વિચારો પ્રકટયા તે અનુક્રમે કાના રૂપમાં દાખલ કરી તેનું વિવેચન કરવામાં આવ્યું છે. પોતાના હૃદયમાં જે ઉગારો પ્રગટે તે જગતની આગળ રજુ કરવા જોઈએ, ત્યાગીના અધિકાર પ્રમાણે સર્વ જાતીય મનુષ્યોની ધર્મોન્નતિ માટે ઉપદેશ પ્રવૃત્તિ તથા લેખનપ્રવૃત્તિ થવી જોઈએ અને તે સ્વફરજ છે-સ્વફરજ અદા કરવી જોઈએ એ સ્વધર્મ છે. કર્મયોગમાંથી ગુણદષ્ટિએ અનેક ગુણોને ગુણરાગી મનુષ્યો દેખી શકે તેમ છે અને દેશદ્રષ્ટિધારક દુજને ગુણોને ૫ણુ દેષરૂપે દેખે છે અને તે અન્યોને પણ દેષના રૂપમાં સર્વ ગુણદોષદર્શન. જણાવી શકે છે. જેવો દષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય છે. રાગી મનુષ્ય ગુણો દેખે છે અને દેશી મનુષ્યો દૂધમાં પૂરાની પેઠે અવગુણે દેખ્યા કરે છે તેમાં કઈ આશ્ચર્ય નથી. કાળા સિંધીને રાગદષ્ટિથી સર્વ કરતાં પિતાને પુત્ર સારો લાગે અને અન્યના પુત્ર સારા ન લાગે એ દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ રચનાને ધર્મ છે. ગમે તે જ્ઞાની પણ ભૂલને પાત્ર છે. લેખકની અપેક્ષાઓ સમજયા વિના વા ગુન્ગમ લીધા વિના પરસ્પર લેખ્ય આશયને સાનુકૂળ સંબંધ સમજી શકાતે નથી તેમાં મોટા ભાગે વાચકોની દષ્ટિનો શેષ રહે છે. જેનાગોના આધારે કહેવામાં આવે છે એટલું જ કહેવું યોગ્ય થશે કે સમકિતીને સર્વે સવળારૂપે પરિણમે છે અને મિઠાવીને અર્થાત્ અજ્ઞાનીને સર્વે અવળારૂપે પરણિમે છે તેમાં જ્ઞાન અને અજ્ઞાન જ કારણભૂત છે. સજજન મનુષ્યોને વાચનાદિ સર્વ પ્રયત્ન ફકત સત્ય સાર પ્રણાર્થે હોય છે અને દુર્જન મનુષ્યોને સર્વ પ્રયત્ન ફક્ત ગમે તે રીતે મારીમચડીને કુયુકિતથી દોષ દેખવા અને દેખાડવા માટે પ્રયત્ન હોય છે. સજજન મનુષ્ય ગુણોના ભકત હોય છે જેથી તેઓને જ્યાં ત્યાં ગુણે દેખાય છે અને દુર્જન મનુષ્ય દુર્ગણોના-દોષના ભકતે હોય છે તેથી તેઓને For Private And Personal use only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy