________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી ઉન્નતિ સાધ્ય છે.
( ૬૧૫ )
અનેક જાતનાં થયા કરે છે એવું અવધે છે. તેથી વર્તમાનકાલમાં સ્વયંગ્ય ધર્યકર્મ કે જેથી સ્વાત્માની ઉન્નતિ થાય તેને આજ્ઞાપૂર્વક દર્શાવી શકે છે અને લૌકિક-વ્યાવહારિક કર્મોમાં કયાં પરિવર્તન કરવાં જોઈએ તે પણ પ્રબોધી શકે છે. આત્મજ્ઞાની ગુરુઓના અનુભવમાં ભૂતકાલીન અને વર્તમાનકાલના સર્વ શાસ્ત્રોનાં રહસ્ય સમાઈ જાય છે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુઓના અનુભવે તે સર્વશાસ્ત્રો-આગમે છે–એવું પ્રબોધીને શ્રદ્ધાભકિતપૂર્વક તેમની આજ્ઞાવડે ધર્મકર્મો કરવાં જોઈએ. સર્વ આગના જ્ઞાતા જ્ઞાની ગુરુના સવિચારોમાં સર્વ પ્રકારની ઉન્નતિ સમાયેલી છે. આત્મજ્ઞાની ગીતાર્થગુરુઓ પર સર્વ કરતાં વિશેષ શ્રદ્ધાભક્તિ ધારણ કરવી જોઈએ કે જેથી વર્તમાનકાલમાં પિતાની સર્વશુભશક્તિને મન વચન કાયાથી ખીલવી શકાય. વર્તમાનકાલમાં શ્રી સદ્ગુરુજી જે ઉપકાર કરે છે તે ઉપકાર કઈ કરવા શક્તિમાન થતો નથી. વર્તમાનકાલમાં એક સદ્દગુરુની આજ્ઞાથી જેટલી ઉન્નતિ કરી શકાય છે તેટલી અન્ય કેઈથી કરી શકાતી નથી. અતએ વર્તમાનકાલમાં આત્મજ્ઞાની સદ્ગુરુની આજ્ઞાપૂર્વક સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવી અને સમાજસંધાદિની સેવા માટે ગુરુની આજ્ઞા પ્રમાણે સર્વ શુભ શક્તિનું સમર્પણ કરવું જોઈએ; સમાજ સંઘ અને દેશ-રાજ્યની ઉન્નતિ કરવામાં શ્રી સદૂગુરુની આજ્ઞા જ વર્તમાનકાલમાં સર્વથા ઉપયોગી છે. આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના વર્તમાનમાં પ્રવૃત્તિ કરનારા મનુષ્ય સર્વશક્તિયોનું એકીકરણ કરી શકતા નથી. અતએ આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં સત્યધર્મની આરાધના કરી શકાય છે. આત્મજ્ઞાની સદ્ગુરુ આત્માને અને પરમાત્માનો સાક્ષાત્કાર કરીને વર્તમાનકાલમાં ધર્મકર્મો કે જે જે કરવા લાયક હોય છે તેઓને સ્વાધિકાર દર્શાવી શકે છે. જૈન આગામે જૈન આર્યનિગમ વગેરેમાં જે તત્ત્વજ્ઞાનને માર્ગ છે તે એકસરખે સદાય કાયમ રહે છે તેથી તેમાં પરિવર્તને થતાં નથી પરંતુ ચારિત્રાચારોમાં તે પરિવર્તન થયા કરે છે, તેમાં સ્વાત્મા માટે જે ચોગ્ય ચારિત્ર કર્મો-ધર્મપ્રવૃત્તિ હોય તેઓને આદરવી જોઈએ. વ્યક્તિની, સમષ્ટિની, સમાજની, સંઘની, દેશની અને વિશ્વની ઉન્નતિમાં આત્મજ્ઞાની મહાત્માઓ-ગુરુઓ એટલે આત્મભોગ આપી શકે છે તેટલે અન્ય કોઈ આત્મભોગ આપી શકતો નથી. સત્તા અને શસ્ત્રબળથી દુનિયાના મનુષ્યોની વાસ્તવિક ઉન્નતિ કરી શકાતી નથી પરંતુ આત્મજ્ઞાની ગુરુઓની આજ્ઞાથી તે કર્તવ્યધર્મકર્મથી સર્વ પ્રકારની શુભન્નતિ કરી શકાય છે. જેનાગ અને જૈન આર્યવેદે-ગ્રન્થના આધારે આત્મજ્ઞાની ગુરુઓની સેવા કરવી જોઈએ. પરંતુ વર્તમાનકાલીન સર્વપ્રકારની પ્રગતિના જ્ઞાનગીતાર્થ ગુરુરૂપ આચાર્યની આજ્ઞામાં સર્વાગમની અને આર્ય વેદની ધર્મશાસ્ત્રોની આજ્ઞાએ સમાઈ ગએલી છે એવું યાવતું ન અવબોધવામાં આવે તાવત્ આત્મજ્ઞાની ગુરુપર શ્રદ્ધાભક્તિ થતી નથી. આત્મજ્ઞાની ગુરુની શ્રદ્ધાભકિતપૂર્વક તેમના વિચારો પર વિશેષ લક્ષ્ય આપવું જોઈએ. ભૂતકાળમાં જે જે આત્મજ્ઞાની ગુરુઓ
For Private And Personal Use Only