________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૧૦ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
न कार्यः संशयस्तत्र शङ्कावान् पतति ध्रुवम् । पूर्णश्रद्धाबलेनैव श्रद्धावांल्लभते जयम् ॥ १५३ ॥
શબ્દાર્થ–આત્મજ્ઞાનીઓની આજ્ઞાવડે અગીતાર્થ મનુષ્યએ સુભક્તિશ્રદ્ધાવડે કમપૂર્વક સંપ્રાપ્ત શુભકર્મ સેવવું જોઈએ. આગમોવડે નિર્દિષ્ટ, ચ શબ્દથી નિગમોવડે નિર્દિષ્ટ અને દેશકાલાનુસારી જે ધર્મકર્મ હોય તેને જ્ઞાનીઓની આજ્ઞાવડે સેવવું જોઈએ. ઉપર્યુક્ત ધર્મે કર્તવ્યકાર્ય સેવવામાં સંશય ન કરવો જોઈએ કારણ કે શંકાશીલ પતિત થાય છે. અએવ પૂર્ણ શ્રદ્ધાબલવડે જ મનુષ્ય કર્તવ્યકમ કરતો છતો જયને પામે છે.
વિવેચન–અગીતાર્થ અર્થાત્ બાલમનુષ્યોએ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે શુભ કર્મ કરવાં જોઈએ. આત્મજ્ઞાનીઓ સ્વપર સિદ્ધાન્તોનું રહસ્ય અને વર્તમાનકાલમાં કેવી રીતે શુભકર્મપ્રવૃત્તિ કરવી તે સારી રીતે જાણે છે, માટે તેવી દશા જેઓને જાગૃત ન થઈ હોય એવા અગીતાર્થ જ એ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ધર્મદાસગણિ ઉપદેશમાલામાં નિવેદે છે કે-જ્ઞાનીઓની આજ્ઞાથી આત્મોન્નતિ અને વિન્નતિ કરી શકાય છે. સિદ્ધાન્ત આદિ અનેક ગ્રન્થને અભ્યાસ કર્યા પશ્ચાત્ દ્રવ્યક્ષેત્રકાલભાવથી સર્વ ધર્મોની ઉત્પત્તિના રહસ્યનું જ્ઞાન કરવું પડે છે, પશ્ચાત્ અનેક આત્મજ્ઞાનીઓના હૃદયને અનુભવ કરવો પડે છે, પશ્ચાતુ આત્મધ્યાનસમાધિથી આત્માનુભવને સાક્ષાત્કાર કરવો પડે છે, પશ્ચાત્ સર્વજીની ગ્યતાનો અનુભવ કરે પડે છે; તતઃપશ્ચાત્ ગીતાર્થદશા વા આત્મજ્ઞાનીની દશા સંપ્રાપ્ત થાય છે માટે તેવી દશાની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી સ્વતંત્રતા તે સ્વચ્છંદતાને પાત્ર બને છે. ગીતાર્થો શાસ્ત્રના અભ્યાસ માત્રથી બનતા નથી પરંતુ તેઓને દયાનસમાધિદ્વારા આત્માને ઊંડે અનુભવસાક્ષાત્કાર કરે પડે છે, વર્તમાન પ્રવર્તિતસર્વધર્મોનાં રહસ્યને અનુભવ કરવો પડે છે. વ્યાવહારિક તથા ધાર્મિક સર્વકિયાઓને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અનુભવ કરે પડે છે, ત્યારબાદ સ્વપરની ઉન્નતિનાં વાસ્તવિક કારણોને સાક્ષાત્ અનુભવ કરવો પડે છે, પશ્ચાત્ ગીતાર્થ દશાની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનનાં સર્વ વિદ્યમાન આધ્યાત્મિક શાસ્ત્રને અનુભવ કર્યાથી અને રાગદ્વેષના ઉપશમ ક્ષયોપશમથી જેટલી પ્રાપ્ત થાય તેટલી વીતરાગદશા પ્રાપ્ત કર્યાથી તથા લૌકિક સમાજ રાષ્ટ્રપ્રવૃત્તિ તથા વિશ્વજનના વર્તમાનક આચારને પરિપૂર્ણ અનુભવ કર્યાથી ગીતાર્થ દશા પ્રાપ્ત થાય છે. તે સર્વને અનુભવ સાક્ષાત્ કરનાર ગીતાર્થ થઈ શકે છે. વેદાન્તનાં સર્વ શાસ્ત્રો અનુભવ કર્યાથી તથા સર્વ વેદના વાચ્યાર્થીને સાર ગ્રહણ કરવાથી તથા સર્વ ઉપનિષદના રહસ્યનો અનુભવ કરવાથી, સર્વ પુરાણના રહસ્યને અનુભવ કરવાથી, સર્વ જિનાગમ પ્રકરણે ગ્રન્થ વગેરેને સમ્યગૂ અનુભવ કરવાથી, બાઈબલ કુરાન વગેરે જે જે ધર્મપુસ્તકે ગણાતાં હોય તેઓનો અભ્યાસ કરવાથી અને
For Private And Personal Use Only