________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ વિદ્યા વિના ઉદ્ધાર શક્ય નથી.
( ૬૦૭ )
ગુરુઓ બને છે ત્યારે વિશ્વમાં શાંતિ પ્રવર્તી શકે છે. સમસ્તવિશ્વવત મનુષ્યને અન્તરા
ઓ અર્થાતુ આત્મજ્ઞાનીઓ સદગુણની શિક્ષા આપીને સત્ય સુખ સમપી શકે છે. વિશ્વસમાજની પ્રગતિ કરવી તેમાં કલેશનાં પરસ્પર અનેક સંઘર્ષણ ઉદ્ભવે છે અને તેમાં અનેક મનુષ્યના વિચારો શબ્દો અને અશુભપ્રવૃત્તિયોને સહવી પડે છે તેથી કર્તવ્ય કાર્યમાં અધ્યાત્મજ્ઞાનીઓ વાસ્તવિક વિજયને સંપ્રાપ્ત કરી શકે છે; અધ્યાત્મજ્ઞાનીઓ મનની સમાનતા સંરક્ષીને સર્વ અશુભ ભાવોને દાબીને વાસ્તવિક વિશ્વસમાજની સુધારણ કરી શકે છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાન સમાન કઈ જ્ઞાન નથી અને અધ્યાત્મજ્ઞાન દાન સમાન કઈ દાન નથી. અધ્યાત્મજ્ઞાનનાં આગમ અને અધ્યાત્મગ્રન્થ છે તેને પ્રચાર કરવાથી સત્યવિશ્વોન્નતિ થઈ થાય છે અને થશે. ભારતવાસીઓની પાસે અપૂર્વ જ્ઞાનભંડાર છે. સ્કૂલ વિશ્વમાં ભારતવાસીઓની મહત્તા અધ્યાત્મજ્ઞાનથી થઈ છે થાય છે અને થશે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી આત્માની દુર્બલતા નષ્ટ થાય છે. વીર્યહીન દુબલમનુષ્ય આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી. ભારતવાસીઓમાં હાલ જે કંઈ દુર્બળતા દેખાય છે તે આત્મજ્ઞાન વિના નષ્ટ થવાની નથી. ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સમાજસુધારાની પ્રવૃત્તિ પાછળ પડેશે તે તેઓ શુષ્ક વિચાર અને નિર્બલતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી. મહાવીર પ્રભુએ ભારતીય મનુષ્યને બલકે વિધવત સકલ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે એવા અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ કર્યો છે કે જેમાં હાલની સાયન્સ વિદ્યાનાં મૂલતત્ત્વોને સમાવેશ થઈ જાય છે. મનની દુર્બલતાને નાશ કરીને આત્માની શક્તિમાં પારમેશ્વરી શકિતને સંચાર કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે; માટે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને મનુષ્યએ અન્તરાત્મદશા પ્રાપ્ત કરવી જોઈએ. માયાનાં આવરણોને દૂર કરીને આત્માની તથા વિશ્વની ગત શકિતને દર્શાવી આપનાર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયા પશ્ચાતુ ત્રિભુવનના સ્વામી બનવાનો ઉત્સાહ પ્રકટે છે અને સર્વ ભીતિઃખનાં બંધનોથી જાણે આત્મા મુકત થયો હોય એવો ભાસ થાય છે. આત્માથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. આ વિશ્વમાં ઈશ્વરનો પ્રતિનિધિ ખરેખર શરીરસ્થ આત્મા છે, એમ અધ્યાત્મજ્ઞાનીઓને નિશ્ચય થાય છે તેથી તે આત્મતત્વનો અનુભવ કરીને સર્વ પ્રવૃત્તિમાં સ્વતંત્ર વિહારી બને છે. શાતામાં અને અશાતામાં તેઓ સમભાવ ધારીને પ્રારબ્ધ વેદતા છતા અન્ય જીવોના ઉદ્ધારના સદ્ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. આત્મા તે જ પરમાત્મા છે તેમાં વચ્ચે ભેદ કરાવનાર રાગદ્વેષાદિક કર્મ છે એવું અવધીને તેઓ રાગદ્વેષના પરિણામને આત્મજ્ઞાન ધ્યાનથી ક્ષય કરે છે; રાગદ્વેષ ટાળવાની સાથે આત્માના ગુણોને અનુભવ કરી પ્રભુની પેરે વિશ્વ પર દૃષ્ટિ ધારણ કરે છે. સંપૂર્ણ વિશ્વવતિ જીવોને તેઓ સ્વાત્મા સરખા દેખે છે તેથી તેઓના હદયમાં પ્રભુની ઉદારતા પ્રકટે છે અને તેઓ ઈશ્વરમાં અને સ્વાત્મામાં અભેદ ભાવના દેખે છે. આત્મામાં સ્વયં ઈશ્વર છે અને ઈશ્વરી ભાવનાં કિરણોને પ્રકાશ થવાથી
For Private And Personal Use Only