________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કમયોગ ગ્રંથ-સવિવેચન.
ધારીને ધર્મયુદ્ધો કરતા નથી. વિશ્વનો એ નિયમ છે કે કોઈ વખત આ વિશ્વપર જડવાદીઓનું સામાન્ય પ્રવર્તે છે, પરંતુ જ્યારે જડવાદીઓ બાહ્યસુખમાં અત્યંત લીન થાય છે ત્યારે અને પરસ્પર અહંતા મમતાથી કલેશે કરે છે ત્યારે મનુષ્યનું અન્તરાત્માઓના સદુપદેશ પર કુલ લક્ષ્ય ખેંચાય છે જેથી જ્ઞાની મહાત્માઓન ધર્મને અનુસરીને તેઓ આત્મગુણેને પ્રકાશ કરવા પ્રવૃત્તિ કરે છે. યુરોપમાં અને અમેરિકા વગેરે દેશોમાં જડવાદની અત્યંત પ્રવૃત્તિ થઈ છે તેથી ત્યાં અધુના બાહ્યસુખપગમાં ત્યાંના લેકેની પૂર્ણ પ્રવૃત્તિ થયા પશ્ચાત્ તેઓને જ્યારે સત્યસુખને અનુભવ નહીં આવે અને ઉલટાં દુઓને જ અનુભવ આવશે ત્યારે તેઓ આર્યાવર્તના મનુષ્યની પેઠે ધાર્મિક નિવૃત્તિમય પ્રવૃત્તિને પસંદ કરીને આત્મિક સુખ શોધવા લક્ષ્ય લગાવશે. બાલ્યકાલ યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની પેઠે દરેકને ત્રણ અવસ્થામાંથી પસાર થવું પડે છે. જડવાદ છે તે બાલ્યાવસ્થા અને યુવાવસ્થા સમાન બાહ્યપ્રવૃત્તિમય છે તેથી તેમાં મનની બાહ્ય વિષમુખતા થાય એ સ્વભાવિક છે. ભારતવાસીઓ આત્મામાં અનન્ત સુખ છે એવું માને છે તેથી તે ભૂમિમાં પણ તેવાં આન્દોલને અનાદિ કાલથી પ્રકટે છે, જેથી ધર્ણોદ્ધારક અન્તરાત્માઓને અને પરમાત્માને અત્ર પ્રકટભાવ થાય છે. તીર્થકરો વગેરે પરમાત્માઓ અવધવા. આર્યાવર્તની ભૂમિમાં ઉત્પન્ન થએલા મનુષ્યો ગમે તેવા ચાર્વાક જડવાદીઓ બનીને બાહ્ય પદાર્થોમાં સુખ માનશે હૈયે અંતે તેઓ આત્માના નિત્યસુખ પ્રતિ વળશે. તેનું કારણ એ છે કે આર્યાવર્તનું ધર્મવાતાવરણ તેઓને પિતાની પર અસર કર્યા વિના રહેતું નથી. આર્યાવર્તમાં ગમે તેટલા ધર્મો છે અને નવા ઉત્પન્ન થશે હોયે વિવિધ મતભેદે પણ આત્માના સત્ય સુખને જણુવશે અને તેની પ્રાપ્તિ માટે ધર્મકર્મોને સ્થાપશે. સર્વ ધર્મોની આત્મસુખ માટે એકવાક્યતા છે. આત્મસુખની પ્રાપ્તિ કરવી એ મનુષ્યજન્મનું કર્તવ્ય છે. મનુષ્યાવતારના અલ્પાયુષ્યમાં સત્યસુખ પ્રાપ્ત કરવાનું છે. તેની જે પ્રાપ્તિ ન થઈ અને શરીર માટીમાં મળ્યું તે મનુષ્યાવતારની નિષ્ફળતા અવબોધવી. બહિરાત્માઓ જ્યારે આ પ્રમાણે આત્મસુખને અનુભવ કરવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓને દેહાધ્યાસ ટળે છે અને બાહ્યસુખ ક્ષણિક છે એવો અનુભવ આવે છે. આત્મજ્ઞાની ગુરુઓના સદુપદેશથી તેઓ આત્મામાં સુખનો અનુ ભવ કરે છે એટલે તેઓ નિરુપાધિ દશાને પ્રાપ્ત કરે છે. બહિરાત્માઓ જ્યારે ત્યારે અન્તરાત્મ પદને પામે છે. અન્તરાત્મા થએલા મનુષ્ય બાહ્ય લક્ષ્મીવૈભવને કંઈ હિસાબમાં ગણતા નથી. દેવોનાં સુખોને પણ તેઓ હિસાબમાં ગણતા નથી. આત્માના સત્ય સુખના ઉપાસક તેઓ બને છે તેથી તેઓ બાહ્યસત્તાલક્ષમી વૈભવો માટે રજોગુણ અને તમોગુણી બની યુદ્ધ કરી મનુષ્યનાં રક્ત વહેવરાવતા નથી. અધ્યાત્મજ્ઞાનમાં મસ્ત થએલા ભારતવાસી અન્તરાત્મામનુષ્યના હાથમાં જ્યારે સર્વ દેશનું ગુપદ આવશે ત્યારે સર્વ દેશમાં શાંતિ પ્રવર્તશે એમાં અંશમાત્ર સંશય નથી. અન્તરાત્માઓ જ બહિરામીય મનુષ્યના
For Private And Personal Use Only