________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્તરાત્મ અને બહિરાત્મ દશા વચ્ચે તફાવત શું ?
નથી. આત્મા પોતે સ્વગુણ પર્યાયોનો કર્તા છે. આત્મા સ્વયં કર્મકારક છે. તે સ્વયંકરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણકારકરૂપ છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે. પ્રતિદેશે અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર, અનન્તવીર્ય આદિ અનન્તગુણો અને અનન્તપર્યા રહ્યા છે. આત્માના પ્રતિપ્રદેશમાં અનન્તગુણોને અને પર્યાને સમયે સમયે ઉત્પાદવ્યયધ્રુવરૂપ બ્રહ્મા હર અને વિષ્ણુવત્રયી વ્યાપી રહી છે. આત્મામાં અનાદિકાલથી અનન્ત શક્તિ છે તેથી આત્મા સ્વયં અનન્ત શક્તિરૂપ છે. આત્માની અનન્ત શક્તિઓને કેટલાક દેવીઓનાં રૂપકો આપીને પૂજે છે–દયાવે છે. આત્માના જ્ઞાનાદિ ગુણોને કેચિત મનુષ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ગણપતિ વગેરે દેનાં રૂપકો આપીને પૂજે છે અને ધ્યાવે છે. જેનદૃષ્ટિએ ઉત્પાદવ્યયધવતા એ આત્માનું લક્ષણ છે. આત્મારૂપ પરમાત્માના જ્ઞાનાદિ ત્રણ ગુણોને વા ઉત્પાદવ્યયધ્રુવતાને બ્રહ્મા હર અને વિષ્ણુના અવતારનાં રૂપકે આપીને વેદાન્તીઓ તેઓને ધર્મવ્યવહારમાં પૂજે છે અને માને છે. આત્માની સાથે લાગેલા ક્રોધાદિકને મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુનાં રૂપકે રૂપ અવતારે માની લેકે તેઓને પૂજે છે–ધ્યાવે છે. અન્તરાત્મજ્ઞાનીઓ આત્મારૂપ પરમાત્માની રૂપકો દ્વારા થતી કલપનાઓને સમ્યગ વિવેક કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં લયલીન થઈ જાય છે. આત્માની શક્તિથી અન્તરાત્માઓ અનેક પ્રકારના ચમત્કારો દર્શાવી શકે છે. ભૂતકાલમાં આત્માએ ચમત્કાર દર્શાવ્યા છે. વર્તમાનમાં તે દર્શાવે છે અને ભવિષ્યમાં તે દર્શાવશે. અન્તરાત્માઓ અનેક પ્રકારના ત્યાગીઓના વેષે અને ગૃહસ્થના વેષે હોય છે. તેઓનાં બાહ્યસૂમ અનેક લક્ષણો પ્રતિપાદન કરવામાં આવે તો પણ તેનું પરિપૂર્ણ સ્વરૂપ કઈ કથી શકે તેમ નથી. બહિરાત્માઓ બાહ્ય રાજ્યસત્તા ભેગેથી જે સુખ ભોગવે છે તેના કરતાં અન્તરાત્માઓ શાશ્વત અનન્ત સુખને અનન્તગુણ સાક્ષાત્કાર કરી શકે છે. બહિરાત્મીય મનુષ્ય જગતના સ્થલ પદાર્થો પર સત્તા ચલાવી શકે છે પરંતુ તેઓ સ્થલ પદાર્થોની સાથે બંધાઇને તેના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ વિશ્વ પર સૂક્ષ્મ સત્તા ચલાવી શકે છે અને સ્કૂલ પદાર્થોમાં અહેમમતાથી નહિ બંધાતાં તેના પર સ્વસત્તા ચલાવી શકે છે. બહિરાત્માઓ પ્રવૃત્તિના દાસ બને છે ત્યારે અન્તરાત્માની પ્રવૃત્તિને પોતાની પાછળ દોડાવે છે. અન્તરાત્માની પાછળ પાછળ છાયાની પેઠે ખાદ્યવિભૂતિયો દોડી આવે છે તોપણ અન્તરાત્માઓ તેને ભોગવવાની વાસના પ્રકટાવતા નથી અને ઉલટા તેઓ તેની ઉપેક્ષા કરે છે. બહિરાત્માઓ બાહ્યસુખને માટે સમાજરચના કરે છે ત્યારે અન્તરાત્માઓ આત્મિક ગુણોની પ્રાપ્તિ થાય અને દુર્ગુણોનો નાશ થાય એવી દષ્ટિએ સમાજરચના સંઘરચના કરે છે. બહિરાત્માઓ પ્રભુના ભિન્ન ભિન્ન નામમાં રાગ ધારણ કરીને પ્રભુના નામભેદે અને આકૃતિના આચાર તથા વિચારભેદે યુદ્ધો કરે છે ત્યારે અન્તરાત્માઓ દેવગુરુધર્મના નામભેદે આચારભેદે અને વિચારભેદે સાપેક્ષદષ્ટિથી તરવસાર ખેંચે છે પરંતુ એકાંત ભેદતા
For Private And Personal Use Only