________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦૪)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
BE
હાર કરતાં અને પુણ્ય કર્મોને કરતાં કરતાં તથા સાધુઓની સેવાઓ કરતાં અન્તરાત્મદશાની પ્રાપ્તિ થાય છે અને બહિરાત્મભાવને નાશ થાય છે. શ્રી સર્વજ્ઞ વીરપ્રભુએ કેવલજ્ઞાનથી પ્રબયું છે કે ગુરુઓની સેવાભક્તિથી અને પરમાત્માની સેવાભક્તિધ્યાનથી અતરાત્મપદ પ્રાપ્ત થાય છે. જે અન્તરાત્માઓ સર્વવિરતિ સાધુ ધર્મને અંગીકાર કરે છે તેઓ વેગે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. ગૃહસ્થધર્મ કરતાં ત્યાગી સાધુધર્મની અનન્તગુણી ઉત્તમતા છે. સર્વ પાપડિયાથી મન વચન અને કાયાથી નિવૃત્ત થતાં ત્યાગી દશાની પ્રાપ્તિ થાય છે. પંચમહાવ્રત અને પંચાચારરૂપ સદુધર્મકર્મને સેવીને સાધુઓ આત્માને લાગેલી અનન્ત કર્મ પ્રકૃતિને નાશ કરે છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણું ધ્યાન અને સમાધિ એ યુગનાં અષ્ટાંગોને સેવી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. અન્તરાત્મા સાધુઓ વ્યવહાર અને નિશ્ચયથી સધર્મ કર્મોને સેવે છે. બાહ્ય નિમિત્ત કારણરૂપ પ્રવૃત્તિને વ્યવહારપ્રવૃત્તિ કથવામાં આવે છે અને ઉપાદાનરૂપ શુદ્ધાત્મ પરિણતિરૂપ શુદ્ધ યિાને નિશ્ચયપ્રવૃત્તિ કથવામાં આવે છે. અવિરતિસમ્યગ્દષ્ટિ ગૃહસ્થ અને દેશવિરતિ ગૃહસ્થ વ્યવહાર અને નિશ્ચયથી સદુધર્મપ્રવૃત્તિને સેવે છે. વ્યવહારધર્મકર્મને પરિહાર કરવાથી વિશ્વવતિ સર્વે નીતિ આદિ ધર્મોનો નાશ થતાં ધર્મની મહાપ્રલય દશા થાય છે તેથી નિશ્ચયશુદ્ધ ધર્મપ્રવૃત્તિને નાશ થતાં વિશ્વમાં સર્વ જીવોના હૃદયની શુદ્ધતાનો નાશ થાય છે. વ્યવહારધર્મકર્મ વિના વિશ્વવર્તિ મનુષ્યને એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. નિશ્ચયતા કથિત ધર્મકર્મ વિના કોઈ પણ મુક્તિ પામ્યો નથી, પામતો નથી અને ભવિધ્યમાં પામશે નહિ. એ નિયમ હેવાથી ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વાધિકારે વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મકને કરવો જોઈએ. અન્તરાત્માઓ સદુધર્મનિવૃત્તિબળે મન વચન અને કાયાની પવિત્રતા સંરક્ષી શકે છે અને પાપ અને આસવ તત્ત્વને પરિહાર કરી તે સંવર નિર્જરા અને વ્યવહારથી પુણ્ય તરવનું સેવન કરે છે. મુસલમાની ગ્રન્થમાં શયતાનને એક ખુદાને પ્રતિસ્પધી કર્યો છે. એવા શયતાનને જૈને કર્મ કથે છે અને આત્માને ખુદા કહે છે. વેદાન્તીઓ શયતાનને માયા યાને પ્રકૃતિ કથે છે. તેને ન્યાય કરવા માટે અન્તરાત્માઓ અપ્રમત્ત રહે છે. સર્વ રાગદ્વેષ ક્રિયાઓ એ જ ભાવકર્મ છે. ભાવકને ક્ષય કરવાથી દ્રવ્યકર્મ પ્રકૃતિઓને સત્વર નાશ થાય છે. જૈનદૃષ્ટિએ કૃષ્ણ શ્રેણિક જનકવિદેહી વગેરે અન્તરાત્માઓ હતા. તેઓએ ધર્મનું જ્ઞાન ધરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ખાસ લક્ષ્ય પ્રગટાવ્યું હતું. આત્માનું શુદ્ધસ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ આ સંસાર અસાર લાગે છે અને તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યબળે સર્વ પ્રકારની મહાસક્તિ નાશ કરી શકાય છે. અન્તરાત્માઓ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બળે સ્વાત્માનો ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે છે. જેઓ સ્વાત્માનો ઉદ્ધાર કરવા માટે પરમેશ્વરની પ્રાર્થનાઓ કરે છે અને પોતે કંઈ સદ્દગુણોની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરતા નથી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા
For Private And Personal Use Only