SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૮૮) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. UR તે સર્વે શ્રી સર્વેના જ્ઞાનથી અવિરધી સાનુકૂળ છે માટે તે સર્વે સ્વાધિકાર સેવવા રોગ્ય છે. ધાર્મિક ક્રિયાઓનું-વ્યાવહારિક શુભ યિાઓનું અમુક વર્ગે રજીષ્ટર કરી લીધું નથી. તેવી શુભ ક્રિયાઓ ભૂતકાળમાં થઈ, વર્તમાનમાં થાય છે અને તે સર્વ ધાર્મિક વ્યાવહારિક ક્રિયાઓથી--પ્રવૃત્તિથી શુભેન્નતિ કરવી એ જ મૂળ ઉદ્દેશ ત્રચ્ચે કાલમાં એક સરખો રહે છે એમ આત્મજ્ઞાનીઓ જાણે છે. તેથી તેઓ આત્મજ્ઞાનની વ્યાપકતાબળે, બાળબુદ્ધિએ વા એકાન્તદૃષ્ટિએ જે પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓ દેખાય છે તેમાં પણ તેઓ અવિરુદ્ધતાને અવકે છે તેથી તેઓને મુંઝામણ હોય જ શાની? જેમ જેમ આત્મજ્ઞાનને પ્રકાશ મંદ પડવા લાગે તેમ તેમ અજ્ઞાનીઓની વૃદ્ધિ થઈ અને તેથી જ્યારે ગ૨છ સંપ્રદાય વાડાનાં બંધન વધવા લાગ્યાં અને તેમાં અજ્ઞાનીઓ બકરાં ઘેટાંની પેઠે પૂરાયા અને તેથી આત્મોન્નતિ, સંઘોન્નતિ, રાન્નતિનાં દ્વાર બંધ થયાં. જે જે ક્રિયાઓથી સર્વની ઉન્નતિ થાય છે તે તે સક્રિયાઓ કથાય છે. સ&િયાઓના અનેક ભેદથી અનેક મનુષ્યોની પેઠે સર્વત્ર સનતિ-સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી અનેક જીવને સુખશાંતિ મળે છે. હૃદયની શુદ્ધિ કરનારી સર્વ ક્રિયાઓ, અનાદિ કાલની છે અને અનન્ત કાલપર્યત રહેશે, તેથી તેવી સક્રિયાઓના ભેદેમાં નહિ મુઝાતાં સ્વાધિકારે વર્તવું જોઈએ. સક્રિયાઓમાં જે જે કાલે જે જે ક્ષેત્રમાં, જે જે કારણોથી મલિનતા થઈ હોય છે તેઓને જ્ઞાનીઓ જાણે છે. અને તેથી તેઓ તેની અધીનતાને દૂર કરવા મનુષ્યને ઉપદેશ આપે છે. શ્રી મહાવીરપ્રભુએ અઢી હજાર વર્ષ પૂર્વે હોમ યજ્ઞ વગેરેમાં હિંસામય અસત્ ક્રિયાઓને પ્રવેશ થયો હતો તેને દૂર હઠાવ્યો હતો, અને કરે મનુષ્યને શુદ્ધ ધાર્મિક ક્રિયાઓમાં જ્યા હતા. મનુષ્ય જ્યારે જ્ઞાનના અત્યુચશિખરથી પતિત થાય છે ત્યારે તેમાં પ્રમાદગે અસતું ક્રિયાઓને પ્રવેશ થાય છે. અસત્ ક્રિયાઓને બ્રહ્મસ્વરૂપ માનીને કેટલાક શુષ્ક વેદાન્તીઓએ પાપને પુણ્ય સ્વરૂપ માની મનુષ્યની પડતીમાં ભાગ લીધો છે અને તેથી તેનાં આવરણને દૂર કરી સત્યપ્રકાશ પાડવા માટે સક્રિયાઓ સેવવાની અત્યંત આવશ્યકતા સ્વીકારાઈ છે. ક્રિયાનાં શાસ્ત્રોથી આત્મોન્નતિમાં સહાય મળે છે પરંતુ અજ્ઞાનીઓને તે શાસ્ત્રો ખરેખર શસ્ત્રરૂપે પરિણામે છે. સર્વે મનુષ્ય પોતપોતાની ક્રિયાઓને શાસ્ત્રસમ્મત કરાવવા પ્રયત્ન કરે છે પણ તે ક્રિયાઓને શાસ્ત્રસમ્મત ઠરાવી તેઓ આત્માના ગુણને વિકાસ કરવા પ્રયત્ન કરે તે સારું ! પરંતુ શાસ્ત્રોકત ક્રિયાઓ કરી એટલે તેઓ મુક્તિ પામી ગયા એવું માનીને સર્વ પ્રક્રારની શુભેન્નતિ કેટલી કરી? તેને કંઈ પણ વિચાર કરતા નથી. અને વિરુદ્ધ ક્રિયા કરનારાઓ કરતાં સ્વને શ્રેષ્ઠ માની અહંમમત્વની અવનતિરૂપ દુખમય બેડીમાં જકડાય છે; તેથી તેઓની એવી માન્યતાથી વિરુદ્ધ કઈ ગમે તે ગ્ય ધાર્મિક ક્રિયાને કરે છે અને અન્યની વિરુદ્ધ ન પડતાં આત્માની શુભ શકિતને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy