SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E ધાર્મિક ક્રિયાઓનું સ્વાધિકારે સેવન કરવું. ( ૧૮૭ ) સવરરૂપે તે માટે ખાસ ઉપયોગ ધારણ કરવા. અજ્ઞાનીઓને જે જે ક્રિયાઓથી રાગદ્વેષ હઠાવવાના હાય છે તે તે ક્રિયાઓથી તેમને રાગદ્વેષની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનીઓને સવરની ક્રિયાએ છે તે આસવરૂપે પરિણમે છે અને આત્મજ્ઞાનીઓને આસવની સર્વ ક્રિયા પરિણમે છે. કાલના વહેવાની સાથે ધર્મક્રિયાઓમાં ધર્માંચારામાં અનેક પ્રકારની વૃદ્ધિ થઈ તેથી પરિણામ એ આવ્યું કે આત્મજ્ઞાનની ન્યૂનતા થવા લાગી અને તેથી સંકીણુતા, અસહિષ્ણુતાની વૃદ્ધિ થઇ. તેથી સમાજશક્તિયોની વૃદ્ધિ થતી અટકી. જે ભાષાપર હદબહાર નિયમો પડે છે તે ભાષાનું અસ્તિત્વ રહેતુ નથી અને તેનું સ્થાન ખરેખર અન્ય ભાષા લે છે. જે રાજ્ય પર હુદબહાર અનેક નિયમાના બેજો પડે છે તે રાજ્યના અંતે નાશ થાય છે. જે ધર્મ પર કે દન પર અનેક ધાર્મિક ક્રિયાઓના એજો પડે છે તે ધર્મની વા દનની પ્રગતિ અવરોધાય છે અને પૂર્ણિમાના ચંદ્રની પેઠે તેના નાશ થાય છે. અતએવ ધાર્મિક સામ્રાજ્યની પ્રગતિ ઇચ્છકોએ શુષ્ક અનાવશ્યક રોઢિકક્રિયાના બંધનાથી મનુષ્યાને લઘુવતું લમાં-વાડામાં બાંધી તેની બુદ્ધિના વિકાસના રાધ ન કરવા જોઇએ. આ પ્રમાણે વર્તન થવાથી બેખાલીયન, હીØ, યુ, વગેરે અનેક ધર્માં પૃથ્વી પર શયન કરી ગયા છે. જે ધર્મમાં વિચારાની વિશાલતા વ્યાપકતા અને ધાર્મિક અનેક ભેદવાળી ક્રિયામાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવાની સુધારણા છે તે ધર્મ અન્ય ધર્માંને પોતાનામાં સમાવીને જીવી શકે છે. અનન્તજ્ઞાની મહાત્માઆના એકદેશીય બોધ હાતા નથી. તેઓના અનન્ત વિચારોથી અનન્તવર્તુલરૂપ જૈનદર્શનની વ્યાપક્તાથી વિશ્વધર્માંના તેમાં સમાવેશ થાય છે. ધાર્મિક એક ક્રિયાથી વા અમુક એક દેવની માન્યતામાત્રથી દુનિયાના મનુષ્યાની સર્વજાતની પ્રગતિ થઈ શકતી નથી. આત્મજ્ઞાની ઉપર્યુંક્ત સવ જાણે છે, તેથી અનેક ક્રિયાઓના ભેદોમાં તે રાગી દ્વેષી બનતા નથી. અનેક વ્યાવહારિકક્રિયાઓથી અને અનેક ધાર્મિકક્રિયાઓથી આત્મોન્નતિમાં વિશ્વોન્નતિમાં પ્રત્યવાય આવતા નથી અને ઉલટી હૃદયજ્ઞાનની વ્યાપકતામાં પરમતસહિષ્ણુતાની સાથે વૃદ્ધિ થયા કરે છે; તેથી અર્ધદગ્ધમનુષ્યાએ પરસ્પર વિરુદ્ધ ધર્મક્રિયાઓને દેખી તેઓની સાધ્યતાનું જ્ઞાન કરવું પરંતુ ક્રિયાભ્રષ્ટ થવું નહીં અને સ્વાધિકારે ક્રિયાઓ કરવી. જે ક્રિયાએથી મેક્ષ મળે, નીતિની દૃઢતા રહે, હૃદયની શુદ્ધિ થાય, પાપના હેતુના નાશ થાય, જ્ઞાન દર્શન ચારિત્રના વિકાસ થાય, આજીવિકાર્ત્તિ સાધનાની પ્રગતિ થાય, ધર્મ અર્થ કામ અને મેાક્ષની સમ્યગ્ આરાધના થાય, રાજ્યની ઉન્નતિ થાય, સર્વજગતનું શ્રેય: કરી શકાય, આત્મજ્ઞાનમાં વૃદ્ધિ થાય, પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિમાં વૃદ્ધિ થાય, અવનતિના માર્ગાના રાષ થાય અને સર્વ પ્રકારની શુભેોન્નતિ થાય—એવી ત્યાગીના અને ગૃહસ્થના અધિકાર ભેદે અનેક ધાર્મિક ક્રિયાઓ--ધર્મ પ્રવૃત્તિયા હોય, પ્રાચીન હોય વા અર્વાચીન હોય, પવિત્ર ગ્રન્થમાં લખાયલી હોય વા જ્ઞાની મહાત્માઓએ જમાનાને અનુસરી નવીન રચી હાય, તેપણુ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy