SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૮૬ ). શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. ત્યારે તેમાં કેટલીક મિશ્રતા થઈ જાય છે અને મૂલ ઉદેશનું રહસ્ય કેટલીક વખત આછાદિત થઈ જાય છે. પ્રાચીન ધર્મક્રિયાઓ હોય વા અર્વાચીન ધર્મક્રિયાઓ હોય પરંતુ તેઓના સત્ય ઉદ્દેશ અવબોધવા અને જો તેઓ આત્માના જ્ઞાનાદિ ગુણેને પ્રકાશ કરનારા હેય તે તેમાં પ્રાચીન અર્વાચીનત્વની મહત્તાથી કલેશ કરવો ન જોઈએ. જ્ઞાનવડે ક્રિયાઓનાં રહસ્ય અવબોધીને આત્મજ્ઞાનીઓ સ્વયેાગ્ય ધાર્મિક ક્રિયાઓને કરે છે અને અન્ય મનુષ્ય માટે યોગ્ય ક્રિયાઓને જણાવે છે. તથા મતકાગ્રતતાને ત્યાગ ધરીને પ્રવૃત્તિને કરવી એવું પ્રબંધે છે. અનેક ધાર્મિક ક્રિયાઓને મુખ્ય ઉદ્દેશ આત્મજ્ઞાનપૂર્વક આત્મશક્તિને વિકાસ કરે તેજ છે. આત્મજ્ઞાન વિના ક્રિયાવાદીઓ જડસમા અવબોધવા. જે આત્મજ્ઞાની છે તે સર્વ ક્રિયાઓ કરતો હતો પણ તેથી મુક્ત થઈ શકે છે. માનસિક વાચિક અને કાયિક જે જે ક્રિયાઓ છે તે જડ છે અને તેથી બ્રહ્મ-આત્મા ભિન્ન છે તેથી નકામી અનાવશ્યક ક્રિયાઓના બોજાથી આત્માને દાબી દઈ નિવૃત્તિસુખથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે યોગ્ય નથી. આત્મજ્ઞાનીઓને અંતિમ સિદ્ધાંત એ છે કે સર્વથા આત્માની નિષ્ક્રિયતા પ્રાપ્ત કરવી. અતએ આવશ્યક વ્યાવહારિક ક્રિયાઓ કરતાં તથા ધાર્મિક ક્રિયાઓ કરતાં છતાં પણ અંતિમ સાધ્યજ્ઞાન ન વિસ્મરવું જોઈએ. બાહ્યક્રિયાઓમાં બંધાવાની જરૂર નથી પરંતુ તેમાં નિર્લેપ રહી ક્રિયા કરવાની જરૂર છે. આત્મજ્ઞાની સર્વ ક્રિયાઓમાં સ્વતંત્ર રહે છે, તેને જે ચગ્ય લાગે છે તે ક્રિયાને મુંઝાયા વિના સ્વાધિકારે કરે છે. પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓમાં મતસહિષ્ણુતા સંરક્ષીને આત્માના અનન્તવર્તલ પ્રતિ લક્ષ્ય દેવું અને અમુક દષ્ટિબિંદુથી સાવ્યોપયેગી બની ક્રિયા કરવી. આત્માના તાબે ક્રિયાઓ રહેવી જોઈએ પરંતુ કઈ પણ કિયાના તાબામાં આત્મા ન રહે જોઈએ. આત્મા સ્વાધિકારની ઉચ્ચતમ તરતમ યોગ્યતાએ ક્રિયાઓને બદલતે આગળ વધ્યા કરે છે. તેથી અમુક રૂપમાં સદા એક સરખી રીતે ક્રિયા કરવી એ સર્વત્ર ધર્મોમાં આવશ્યક નિયમ બંધાતો નથી. અા મનુષ્યો આત્મજ્ઞાન વિના કેટલીક અનાવશ્યક રૌઢિક ક્રિયાઓમાં ગુંથાઈને આત્મશક્તિને વિકાસ થાય એવી કેટલીક સત્યવૃત્તિથી દૂર રહે છે. તેથી તેઓનું વાસ્તવિકરીત્યા કલ્યાણ થતું નથી. આત્મશક્તિનાં વિકાસ થવાનાં દ્વારા રૂંધાય એવી કેટલીક રૌઢિક પ્રવૃત્તિ પડી ગઈ હોય છે તેનાથી મુક્ત થયા વિના આત્માનું પરિપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાતું નથી. જે કાલમાં જે ક્ષેત્રમાં જે દશામાં આત્માની શક્તિને વિકાસ થાય એવી કિયાઓ ગમે તે હોય તે પણ તે સર્વોપદેશસાનલ છે-એ નિશ્ચય કરીને તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરસ્પર ભિન્ન ધાર્મિક ક્રિયાઓમાંથી અનન્ત સત્ય શોધવું જોઈએ અને રાગદ્વેષનો ક્ષય થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. રાગદ્વેષનો ક્ષય કરવા માટે ભિન્ન ભિન્ન ગરોમાં દર્શનમાં ભિન્ન ભિન્ન કિયાએ પ્રરૂપેલી હોય છે પરંતુ તે નાની સાપેક્ષતાપૂર્વક અવધીને રાગદ્વેષ રહિત દશાએ ક્રિયાઓ કરવી અને પરમાત્મપદ પ્રકાશ થાય For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy