SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 凯 ધાર્મિ ક ક્રિયાને રૂઢી ન બનાવે. ( ૫૮૫ ) ગમથી અવમધતાં આત્માની ઉન્નતિ કરવામાં તથા વિશ્વની ઉન્નતિ કરવામાં કાઈ જાતના પ્રત્યવાય નડતા નથી. જે જે પાપક્રિયાઓ અને ધર્મક્રિયા છે, તે આત્મજ્ઞાનથી અવમેધાય છે. તેથી આત્મજ્ઞાની સત્ય ધાર્મિક ક્રિયાઓ કે જે સ્વાધિકારે કરણીય છે તેને કરે છે અને પાપક્રિયાઓના પરિહાર કરે છે, જે જે ધાર્મિક ક્રિયાઓથી સર્વ જીવાને આત્મગુણાને લાભ મળતા હાય અને તે ર્હિંસા અસહ્યાદ્રિથી રહિત હાય તે તેના વિચિત્ર ભેદેશમાં આત્મજ્ઞાની મુંઝાતા નથી. તથા ભિન્ન ભિન્ન ધાર્મિક ક્રિયામાં માન્યતા સંબંધી અનેક મતભેદોના પુસ્તકાને પ્રભુના નામથી તે તે ભિન્ન ભિન્ન ગચ્છીય આચાર્યાએ લખ્યાં હોય તે તેમાં પણ તે મુંઝાતા નથી. સવ ગાની ક્રિયાઓના મુખ્ય ઉદ્દેશ હૃદયની શુદ્ધિ કરવા તરફ હાય અને હિંસાદિ ક્રિયાથી વિરામ પામવા તરફ હાય તા પછી તે સર્વ ક્રિયાએમાં અધિકારભેદ હોય તેમાં આત્મજ્ઞાની મુંઝાતા નથી અને તે સ્વયેાગ્ય અધિકાર ચેાગ્ય ક્રિયા કરે છે, તથા તતક્રિયા પ્રતિપાદક ભિન્નભિન્ન ધ મતક્રિયાભેદશાસ્ત્રોને અસત્ય પણુ માનતા નથી, તથા ભિન્નભિન્ન ક્રિયા કરનારાઓને દેખી મત કલેશની મુંઝવણમાં પણ પડતે નથી. પરસ્પર વિરુદ્ધ ધર્મક્રિયા કરનારાઓને આત્મજ્ઞાની આત્મદૃષ્ટિથી દેખે છે તથા તેનાં ધકને પણ સાપેક્ષાષ્ટિથી સત્ય દેખે છે. એક સરખી ધર્મક્રિયાને વા લાકિક વ્યવહાર ક્રિયાને કરવામાં ભિન્ન ભિન્ન અધિકાર અને ભિન્ન દૃષ્ટિવાળા જીવાની એક સરખી રુચિ વા પ્રવૃત્તિ થતી નથી તે શાશ્વત અનાદિ કાલનો નિયમ છે. ધાર્મિક ક્રિયાઓનાં પૂર્ણ રહસ્યાને પરિપૂર્ણ આત્મજ્ઞાનથી અનુભવવાં જોઇએ અને તેનાં તરતમ રહસ્યાને જાણવાં જોઇએ કે જેથી ક્રિયામતભેદોમાં રાગદ્વેષ રહે નહિ અને નિર્માણે સર્વ પ્રવૃત્તિ થાય—એમ ભવ્ય મનુષ્યાએ વિચારવું જોઇએ. ક્રિયાઓના મતભેદમાંથી સત્ય ગ્રહવું જોઇએ, પરંતુ સર્વ ક્રિયાએને અસત્ય માની નાસ્તિક બનવું ન જોઈએ. શ્રી સર્વજ્ઞ મહાવીર પ્રભુએ ધાર્મિક ક્રિયાએનાં જે જે રહસ્યા ઉપદેશ્યાં છે તેને અનુભવ કરીને આત્મજ્ઞાની સ્વાધિકારે ક્રિયા કરે છે તેથી તે ક્રિયાઓના પરસ્પર ભેમાં મુંઝાતા નથી; ધાર્મિક ક્રિયાઓમાં ક્ષેત્રકાલાનુસારે પિરવત ના થયાં કરે છે તેને આત્મજ્ઞાનીએ અવમેધે છે તેથી તે ગમે તે ગચ્છાદ્દિકના આશ્રયી હોય તે તે ગચ્છની ક્રિયાઓને કરી આત્મામાં મનની એકાગ્રતા કરે છે પરંતુ અન્ય ગાની ક્રિયાઓ પર દ્વેષભાવ ધરતા નથી. સ્વગચ્છની ક્રિયાઓને સત્ય અને અન્ય ગચ્છની ક્રિયાઓને અસત્ય માની પરસ્પર ગચ્છાના આચાર્યાં મહાકલેશની ઉદીરણા કરતા હાય અને જે ધર્મક્રિયાઓ પૂર્વક આત્મશક્તિયાના વિકાસ કરવાના હોય તે ક્રિયાઓથી રાગદ્વેષમાં લેપાતા હોય તેમાં સાધ્યાપયેાગની ખામીઅવમેધવો. પાતાને જે રુચે તે સ્વાધિકારે ક્રિયા કરવી પરંતુ અન્યા જે ધાર્મિક ક્રિયાઓ કરતા હોય તેમાં કલેશ-અરુચિ કરી સ્વાત્માની અવનતિ કરવી નહિ. ધાર્મિક ક્રિયા જ્યારે રૂઢિતાને ધારણ કરે છે ૪ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy