________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૮૪ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
કિયાઓને અસત્ય માને છે. સર્વ ધર્મના સાધુઓમાં, સંન્યાસીઓમાં, ધર્માચાર્યોમાં, ગોમાં, યેગીઓમાં, વેષાદિભેદે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ હોય છે જ અને તેથી વિશ્વવર્તિ મનુષ્યમાં એક સરખો વિચાર અને એક સરખો આચાર પ્રવર્તતા નથી. વિશ્વવતિ મનુષ્યમાં ભિન્ન ભિન્ન આચારોનું વૈવિધ્ય કદિ કર્યું નથી, ટળવાનું નથી અને ટળશે નહિ. એક ધર્મમાં એક ગચ્છમાં પણ આચારવિચારના ભેદ તે પ્રકટવાના. ધર્મવ્યવહારમાં અને લૌકિક વ્યવહારોની ક્રિયાઓના ભેદોમાં પરસ્પર વિરુદ્ધતા અવલોકવાના કરતાં પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓમાં કઈ કઈ દૃષ્ટિથી ક્યા કયા ક્ષેત્રકાલાનુસારે સત્યતા આદેયતા રહેલી છે તેનો વિચાર કરવાની પ્રથમ જરૂર છે. ક્રિયાઓની વિવિધતામાં વિવિધ સત્યતા અને ઉપયોગિતા અવલકવાથી પરસ્પરમાં એકેક દષ્ટિબિંદુથી કલ્પાયેલી અસત્યતાને સહેજે નાશ થઈ શકે તેમ છે. અનેક ધાર્મિક ક્રિયાઓની વિભિન્નતા દેખાય છે તેમાં અલ્પજ્ઞાન કારણભૂત છે. ધાર્મિક વ્યાવહારિકક્રિયાઓના ભેદે જે જે અવલોકાય છે તેના કારણભૂત અનેક વિચારે છે. દેશકાલાનુસારે જે જે મનુષ્યના હૃદયમાંથી જે જે કિયાઓના વિચારો પ્રગટે છે તેમાં સાપેક્ષદષ્ટિએ સત્યતા રહેલી હોય છે પરંતુ તે સર્વ ક્રિયાઓ એક મનુષ્ય માટે નથી. અનેક જ્ઞાનદષ્ટિથી ક્રિયાઓ કેવી રીતે ઉદ્ભવી ? તેને અનુભવ કરે જઈએ. પરસ્પર વિરુદ્ધ ભિન્ન ક્રિયાઓમાં-પ્રવૃત્તિમાં શું સત્ય સમાયેલું છે? તેનો વિચાર કરવો જોઈએ. સંપૂર્ણ આત્મજ્ઞાની ક્રિયાઓના ભેદમાં મુંઝાતો નથી; અજ્ઞાની ક્રિયાઓને એકાન્ત. સાધન તરીકે સ્વીકારીને જ્ઞાનની ઉપેક્ષા કરી ભિન્ન ક્રિયાઓ કરનારા પર દ્વેષ ધારણ કરી મુક્ત થવાને ઇરછે છે, પરંતુ સાધનશૂન્ય થઈ ક્રિયાઓમાં મુંઝાઈ મુક્ત થતા નથી. આત્મજ્ઞાન, પરમાત્મજ્ઞાન, નયજ્ઞાન, કર્મજ્ઞાન, સાધનજ્ઞાન, અને સાધ્યાદિજ્ઞાન વિના કિયાભેદમાં મેહ ઉત્પન્ન થાય છે. એક વૃક્ષના સર્વ સ્કંધ-પત્રો વગેરેને જેમ બીજમાં સમાવેશ થાય છે તેમ અનેક કિયાઓના જ્ઞાનને આત્મામાં સમાવેશ થાય છે. આત્માના જ્ઞાનમાંથી પ્રકટેલ અનેક કિયાઓને આત્મજ્ઞાન થયા વિના ભેદભાવ નષ્ટ થતું નથી. વિશ્વમાં જેટલા ધર્મમત ભેદ-ક્રિયામત ઉઠયા છે તે સર્વનું મૂળ બીજ આત્મામાં છે અને તે સર્વને આત્મજ્ઞાનથી ભેદ ટળે છે. અનેક સંપ્રદાયમતગચ્છ ભેદમાં મુંઝાવાથી સ્વની તથા વિશ્વ મનુષ્યની હાનિ કરી શકાય છે. પરંતુ વિવિધ ક્રિયાઓને નિર્મોહપણે સાધ્યમાં સાધન પણે વિશ્વ મનુષ્ય સેવે તેમાં કેઇની અવનતિ થતી નથી. ક્રિયાઓમાં નિર્મોહતા રહે છે તે તે પરસ્પર વિરુદ્ધ દેખાતી ક્રિયાઓથી સ્વપરને કંઈપણ હાનિ થતી નથી. સર્વ દર્શનેની આત્માદિ વિષયેની માન્યતાઓનો અનેક નાની સાપેક્ષતાએ જેમ જૈનદર્શનમાં સમાવેશ થાય છે તેમ સર્વ દર્શનેની પરસ્પર વિરુદ્ધ ધાર્મિક ક્રિયાએને અનેક નોની સાપેક્ષતાએ જૈન દર્શનમાં સમાવેશ થાય છે એવું આત્મજ્ઞાની ગુરુ
For Private And Personal Use Only