SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 监 નાની પ્રવૃત્તિઓમાં મૂંઝાતા નથી. ( ૧૮૩ ) અનેક સોંપ્રદાયેા થયા છે અને સંપ્રદાયના ધર્મની પરસ્પર વિરુદ્ધ એવી અનેક ક્રિયાએ દેખાય છે. બદ્ધોમાં પ્રીસ્તિયામાં અને મુસલ્માન વગેરેમાં ધાર્મિકક્રિયાઓના ભેદો છે. પરસ્પર એક બીજાથી ભિન્ન એવી ધાર્મિક ક્રિયાઓમાં એકની શ્રદ્ધા રાખતાં તેનાથી વિરુદ્ધ સાંપ્રદાયિક ક્રિયાઓ પર તિરસ્કાર છૂટે છે અને અન્ય ધાર્મિકક્રિયાઓનુ અને તે ક્રિયાઓના કર્તાઓનું ખંડન કરવામાં આવે છે. આ પ્રમાણે પરસ્પર ધમત ભેદેની ક્રિયાઓની ભિન્નતાએવડે પરસ્પર મનુષ્યમાં ખંડન મ`ડન રાગદ્વેષ થયા કરે છે. એક મનુષ્ય અમુક ધાર્મિકક્રિયાનું મંડન કરે છે ત્યારે અન્ય મનુષ્ય તેનું ખંડન કરે છે. અમુક મનુષ્ય અમુક ધાર્મિક ક્રિયા પર રાગ ધારણ કરે છે ત્યારે અમુક મનુષ્ય તેજ ધાર્મિકક્રિયા પર દ્વેષ--અરુચિ ધારણ કરે છે. જેનામાં ચારાશી ગચ્છોની પરસ્પર કેટલીક ક્રિયાઓ વિરૂદ્ધ હાય છે, તેથી તે તે ક્રિયાઓની વિભિન્નતાએ ચેારાશી ગચ્છાના આગેવાને ખંડન મંડન કલેશ વગેરે કરી ધર્મની આરાધનામાં કર્મની વૃદ્ધિ કરી શકે છે. સ મનુષ્યો સ્વસ્વધાર્મિકક્રિયાઓને આગમોના આધારે પ્રતિપાદન કરીને અન્યની ક્રિયાઓને અસર્વજ્ઞ કથિત છે એમ ડરાવવા પ્રયત્ન કરે છે. દિગંબરાએ અને શ્વેતાંબરાએ આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ માન્યતાવત ક્રિયાઓના ભેદે પરસ્પર કલેશ કરીને સંઘવીને પરસ્પરના નાશાથે ઉપયોગ કર્યાં, તેથી તેની પડતી થઈ અને વૈદિકધર્મવાળાની પ્રગતિ થઇ. વેદધર્મીઓ પણ પ્રવૃત્તિયેનું સાધ્યબિંદું સમજ્યાવિના પરસ્પર સાંપ્રદાયિક ધાર્મિકક્રિયાઓના ખંડન મંડનમાં પડી રાગદ્વેષની વૃત્તિમાં મુંઝાયા અને તેથી મુસલમાનેા તરફથી તેને આક્રમણે સહવાં પડયાં. ક્રિયાઓમાં મુંઝાવાથી સાયશૂન્યપ્રવૃત્તિ થાય છે અને તેથી સ્વપરની ઉન્નતિ થઇ શકતી નથી. ખ્રીસ્તયામાં અને મુસલ્ખાનામાં ધાર્મિક મતભેદવાળી પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓથી તરવારાનાં યુદ્ધા પ્રવાઁ હતાં–એમ તેઓના ધાર્મિક ઈતિહાસાના વાચનથી સ્પષ્ટ અવમેધાય છે. પરસ્પર ધાર્મિકક્રિયાઓના ભેદ્દેથી પરસ્પર વિરુદ્ધ ધાર્મિક ક્રિયા કરનારાએ એક બીજાને શત્રુની દૃષ્ટિથી દેખે છે. વ્યાવહારિકરાજ્યકાર્યાં વગેરેની પ્રવૃત્તિયામાં--ક્રિયાઓમાં પરસ્પર વિરુદ્ધતાèÈ રાજાએ અને પ્રજાએ યુદ્ધ કરી જગત્માં અશાન્તિ ફેલાવે છે. વિશ્વવર્તિમનુષ્યામાં પરસ્પર ખાવાની પીવાની આદિ કાર્યામાં અનેક પરસ્પર વિરુદ્ધ ક્રિયા પ્રવર્તે છે. પાશ્ચાત્યેની અને પૂર્વીદેશના લોકોની ખાવાની પીવાની ક્રિયાઓમાં કઈક કંઈક ભેદ વર્તે છે. દરેકના રીતરીવાજો જુદા જુદા પ્રકારના હાય છે. રાજ્યાના કાયદા પણુ પરસ્પર વિરુદ્ધ-ભિન્ન હોય છે. નીતિની ક્રિયાએમાં પણ અમુક અમુક દેશકાલાનુસારે ભેદો વર્તે છે. મનુની નીતિ, અર્જુન્નીતિ, કુરાનની નીતિ અને પાશ્ચાત્ય રાજ્યનીતિયે અમુક અમુક ભેદો પડે છે; સની એક સરખી નીતિ મળતી આવતી નથી. વિશ્વમાં મનુષ્ય મનુષ્ય પ્રતિ વિચાર અને ક્રિયામાં કંઈક કઇક ભેદ તા હોય છે જ. સર્વ મનુષ્યો સ્વસ્વમાન્ય ક્રિયાને પ્રશસે છે અને અન્યોની For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy