SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૭૪ ) શ્રી કર્મગ ચંચ-સવિવેચન. એમ કેઇની આગળ થવા પણ ઈચ્છા રાખતા નથી. સત્યકામી મનુષ્ય સત્ય ઉપકાર પ્રવૃત્તિને સામે બદલો લેવા ઈચ્છે છે; પરંતુ નિષ્કામી કર્મયોગીઓ તે સર્વસ્વાર્પણ કરીને પરમાર્થપ્રવૃત્તિ કરે છે તેને સામે બદલે વાળવા કઈ પ્રવૃત્તિ કરે તે તેમાં પણ તેઓ શુભ ભાવને ધારણ કરતા નથી. આ વિશ્વમાં નિષ્કામી કર્મયોગીઓ ખરેખર પરમાત્માની પ્રતિકૃતિ છે. નિષ્કામ કર્મગીઓ ખરેખરા સને છે. નિષ્કામ કર્મયોગીઓના ચરણકમળની ધૂલીથી દુનિયાના છ પવિત્ર બને છે. નિષ્કામી કર્મચારીઓનાં દર્શનથી પરમાત્માનો સાક્ષાત્ દર્શન થયાં એમ અવબોધવું. સકામ્યભાવથી નિવૃત્ત થઈને અકામ્યભાવમાં પ્રવૃત્તિ કરીને જે આત્મજ્ઞાનમાં પરિપૂર્ણ અનુભવી બન્યા હોય છે તેઓ આત્માના ગુણે વિના અન્ય કંઈ ઈષ્ટ નથી એવું પ્રાધતા હોવાથી નિષ્કામતાએ તેઓની બાહ્યપ્રવૃત્તિ થાય છે. ઇન્દ્રિ અને મનની સાથે સંબંધ પામતી એવી જડ વસ્તુઓમાં આત્માનું સુખ નથી અને અન્ય જડ પદાર્થો કે જે ઈષ્ટ વિષ તરીકે કલ્પાયેલા છે તેનાથી ત્રણ કાલમાં અખંડ શાશ્વત સુખ પ્રાપ્ત થવાનું નથી એ આત્મજ્ઞાનીઓનો નિશ્ચય હોવાથી તેઓ બાહ્ય પદાર્થોમાં ઈછત્વની વા અનિષ્ટત્વની કલ્પનાથી બંધાતા નથી. અએવ તેઓ સહેજે નિષ્કામી બની અન્ય જીવને ઉદ્ધાર કરવાને તેઓની દૃષ્ટિમાં વિશેષતઃ ઉચ્ચતા થતી જાય એવા આશયથી પ્રવૃત્તિ કરે છે. દુખીઓના દુઃખને જે જે માર્ગેથી નાશ થાય છે તે માર્ગોનું અવલંબન કરીને જ્ઞાનીકર્મચારીઓ નિષ્કામતઃ પ્રવૃત્તિ કરે છે. નિષ્કામતઃ ધર્મકર્મસાધક ગીઓની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે, તેઓનાં સર્વ આવશ્યક કર્તવ્યકર્મોથી અવશ્ય ધર્મની વૃદ્ધિ થાય છે. તેઓના આશય અવબોધ્યાથી તેઓની ધર્મકર્મ પ્રવૃત્તિને યથાર્થ ખ્યાલ આવતાં વાસ્તવિક મહત્તા અવબોધાય છે. અવતરણુ–સતતત્સાહ્યત્નથી કર્મમાં પ્રવૃત્ત થવાને નિર્દેશ છે. श्लोकः सततोत्साहयत्नाभ्यां कर्मसिद्धिश्च जायते । ज्ञात्वैवमाहते कार्ये प्रवर्तस्त्र स्वभावतः ॥१४७॥ શબ્દાર્થ –સતોત્સાહ અને યત્નથી કાર્યસિદ્ધિ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે એવું અવધીને સ્વભાવથી પ્રારંભિત કાર્યમાં પ્રવૃત્ત થા. - વિવેચન–પ્રારંભિત કાર્યની સિદ્ધિમાં સતત પ્રયત્ન અને સતત ઉત્સાહની ખાસ જરૂર છે. સતતત્સાહવિના કેઈ કાર્ય સાધી શકાતું નથી. કાર્યની સિદ્ધિમાં અનેક મંગલો છે તેમાં સર્વથી મહાન મંગલ સતતત્સાહપ જીવનવીર્ય વિના કાર્ય પ્રવૃત્તિમાં મંદતા-ક્ષીણતા For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy