SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિષ્કામી ઉપકારનો બદલો કદી ન ઇચછે. ( ૫૭૩) ગીઓ સમાજમાં, રાજ્યમાં, સંઘમાં વગેરે સર્વ બાબતેમાં નેતાઓ બનીને દુનિયાનું કલ્યાણ કરી શકે છે, અને તેઓ જ્ઞાનાવરણીયાદિ સર્વ પ્રકારના કર્મથી રહિત સ્વાત્માને કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. નિષ્કામ કર્મ કરવાની દશા પ્રાપ્ત કરવાને માટે પ્રથમ તે અકામ્ય ઈચ્છાઓથી નિવૃત્ત થઈને વ્યવહારોગ્ય સત્ય કામને ઈચ્છવાં જોઈએ. અસત્ય અને અગ્ય ઈચ્છાઓને પ્રથમ તે વારવી જોઈએ. એકામ્ય ઇચછાઓથી આત્માને સત્ય શાન્તિ મળતી નથી. અસત્ય દુષ્ટ કામનાઓથી થતું દુર્ગતિ-દુઃખ અવધવાની આવશ્યકતા છે. અસત્ય દુષ્ટ કામનાઓથી જીવો અનેક પ્રકારનાં દુ:ખો પ્રાપ્ત કરે છે. અસત્ય દુષ્ટ કામનાઓમાં દુનિયાના છ ફસાઈને અનેક પ્રકારનાં કર્મો કરે છે. અજ્ઞાની છ અસત્ય કામનાઓને પણ સત્ય કામનાઓ તરીકે અવબોધે છે. અજ્ઞાની છ અસત્ય કામનાઓ વડે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે પરંતુ ઉલટું તેઓને સુખ કરતાં અનન્તગુણ દુઃખ થાય છે. આવશ્યક ઉપયોગી કામનાઓને વ્યવહારદષ્ટિએ સત્ય કામનાઓ તરીકે કથવામાં આવે છે અને અનાવશ્યક અનુપયેગી દુઃખકારક કામનાઓને અસત્ય દુષ્ટ કામનાઓ તરીકે કથવામાં આવે છે. નિશ્ચયનયદષ્ટિએ અસત્ય અને સત્ય કામનાઓને અગ્ય કામનાઓ તરીકે કવામાં આવે છે, નિશ્ચયદષ્ટિએ નિષ્કામભાવની મુખ્યતા અવબોધવી. પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ બે ભેદ કામનાના છે. શુભ કામનાને સત્ય કામના અને અશુભ કામનાને અસત્ય કામના તરીકે કથવામાં આવે છે. અશુભ કામનાઓથી પાપ થાય છે. અતએ ત્યેક મનુષ્ય આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ લક્ષ્ય દેઈને અસત્ય કામનાઓને દાબી દેવી જોઈએ. અસત્ય કામનાના વિચારો અને આચારનો પરિહાર કરીને સત્ય કામનાના વિચારોની અને આચારની પ્રવૃત્તિ કરવી જોઈએ; સત્યકામનાના વિચારોને અને આચારોને આત્મજ્ઞાનીઓ નિષ્કામરૂપમાં ફેરવી નાખે છે અને તેઓના વિચારોમાં અને આચારમાં પરમાર્થતા વહ્યા કરે છે. આત્મજ્ઞાની સદૂગુરુઓ પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને નિષ્કામદશાની પ્રાપ્તિ કરવી જોઈએ. અશુભ કામનાઓનો ત્યાગ કર્યા વિના અને શુભ કામનાઓમાં પણ છેવટે હેય બુદ્ધિ થયા વિના લાખે આત્મજ્ઞાની ગુરુઓ મળે તે પણ નિષ્કામદશાની પ્રાપ્તિ થતી નથી. નિષ્કામદશા થયા પશ્ચાત્ શુભકામ્ય મનુષ્યોની પેઠે શામાટે બાહ્યકર્મોની પ્રવૃત્તિ કરવી જોઈએ? તેના ઉત્તરમાં જણાવવાનું કે નિષ્કામ દશા થયા પશ્ચાત્ મન વાણી અને કાયા જ્યાંસુધી છે ત્યાંસુધી તે દ્વારા વિશ્વલોકોના કલ્યાણાર્થે પ્રવૃત્તિ કરવાની જરૂર છે. પારમાર્થિક કાર્યોમાં વસ્તુતઃ નિષ્કામ દશાવિના ખરી પ્રવૃત્તિ થતી નથી. નિષ્કામદશાથી વિશ્વ લેકના ઉપકારાર્થે મન- વાણી અને કાયાથી પ્રવૃત્તિ કરતાં પિતાનું અહિત થતું નથી, અને વિશ્વનું કલ્યાણ કરી શકાય છે. નિષ્કામી મનુષ્ય કેઈના ઉપકાર કરીને તે પાછો ઉપકાર કરે તેવી સ્થિતિમાં પિતાને મૂકાવવા પ્રયત્ન કરતા નથી. નિષ્કામી કર્મયોગીએ કેઈના પર ઉપકાર કરીને તે ઉપકાર કર્યો For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy