________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાસક્તની દશા.
( ૫૬૭).
છે અને તેથી અજ્ઞાનીઓ મતભેદ કલેશની તકરારમાં પડી અનેક જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે અને ભવિષ્યમાં બાંધશે. અજ્ઞાન મિથ્યાત્વ રાગ-દ્વેષ કાળ ઈષ્ય ભેદભાવ પક્ષપાતાદિ દુર્ગણેથી જે જે અંશે કર્મયોગીઓ મુકત થાય છે તે તે અંગે તેઓ આત્માનું તથા દુનિયાનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. મહાસત મનુષ્યએ સ્વાત્માની નિર્બલતા અવબોધીને એક ક્ષણ માત્ર પણ જ્ઞાનીઓની સલાહ-આજ્ઞા વિના રહેવું નહી-એ જ તેઓની ઉન્નતિને સર્વોત્તમ ઉપાય છે. અનાદિકાલથી આત્મજ્ઞાનીઓ અને અજ્ઞાનીઓની વિદ્યમાનતા છે. આત્મજ્ઞાનીઓ દિવસ સમાન છે અને અજ્ઞાનીઓ રાત્રી સમાન છે. ઘુવડો જેમ સૂર્યને દેખી શકતા નથી તેમ અજ્ઞાનીઓ જ્ઞાનીકમગીઓની ઉજવલતા દેખવા સમર્થ થતા નથી. અજ્ઞાનીઓના વ્હાલ કરતાં જ્ઞાનીઓનાં ખાસડાં ઉપાડવાં તે કરાડ દર
જે શ્રેષ્ઠ કર્મ છે. ભારતમાં બ્રાહ્મણોએ ક્ષત્રિયોએ વૈશ્યએ અને શૂદ્રોએ મહાસકિતથી જેટલી પિતાની પતિતદશા કરી છે તેટલી અન્યોથી થઈ નથી. બાહ્યશુચિની એકાંત પવિત્રતાની અહંતામાં આવીને બ્રાહ્મણોએ રજોગુણ અને તમોગુણને વિશેષ સેવ્યો તેથી તેઓ પ્રમાદથી પતિત થયા. મહાસકત બનેલા બ્રાહ્મણોએ વિદ્યાદિ શુભ પ્રવૃત્તિ
ને ત્યજવા માંડી તેથી તેઓની હાલ પડતી અવલકવામાં આવે છે. બ્રાહ્મણોએ સ્વધર્મને ત્યાગ કરીને બાહ્યજીવનમાં જીવવાનો ફકત મોહધાર્યો તેથી તેઓને અન્યના શિષ્ય બનવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે. ક્ષત્રિએ ક્ષાત્રધર્મ ગુણને મોહથી ત્યજવા માંડ્યા તથા મહાસતિપૂર્વક ક્ષાત્રકર્મમાં પ્રવૃત્ત થયા તેથી તેઓનામાં કલેશ કુસંપ વધ્યું અને તેઓની પતિત વર્તમાનક સ્થિતિ અવલોકવામાં આવે છે. કવિઓએ અને લેખકે એ મહાસકત પૂર્વક કર્મપ્રવૃત્તિ કરી તેથી તેઓ સ્વપદથી ચુત થયા અને પરેને આજીજી કરી ગમે તે ઉપયોગથી આજીવિકા ચલાવવાનો પ્રસંગ પ્રાપ્ત થયું. જે દેશકાલમાં જ્યારે જ્યારે મહાસકિતનું પ્રાબલ્ય વૃદ્ધિ પામે છે ત્યારે તે દેશના મનુષ્યની જે કાલમાં અવનતિ થાય છે અને અન્ય દેશી અજ્ઞાની મનુષ્યના રક્ષણતળે પરતંત્ર બનીને રહે છે. મહાસકત મનુષ્ય સ્વાતંત્ર્યને સ્થાને સ્વાછંઘને સેવે છે તેથી એ પરિણામ આવે છે કે તેઓ પરતંત્રતાની એડીમાં કસાય છે. મહાસકિતથી ભીતિ વધે છે અને તેથી પરતંત્રતાએ જીવવું ઈરછાય છે અને તેથી છેવટે દાસત્વકેટિમાં પ્રવેશ થાય છે. મહાસકત મનુષ્ય ગમે તેનું અશુભ ઈ છે છે અને પોતાની પ્રગતિના માર્ગોમાં પિતાની મેળે કાંટા વેરે છે. આર્યાવર્તમાં મહાસકિત વધવા માંડી ત્યારથી ખરા વીરે ખરા લેખકે સત્ય વકતાઓ અને સત્ય વીરકર્મ યોગીઓની ન્યૂનતા વધવા લાગી છે. આર્યાવર્તના મનુષ્યો હોય કે અન્ય દેશના મનુષ્યો હોય પરંતુ તેઓ મહાસકિતથી પાપને ન કરનારા હોવા છતાં મનથી તેઓ પાપને સેવે છે. નિમેહજ્ઞાની કર્મચગીઓ વિશ્વના સર્વ મનુષ્યને એક સરખા સુખમય સ્વતંત્રમય વિચારથી સાંકળના અંકેડાની પેઠે પરસ્પર સંબંધિત કરવા ઈચ્છે છે
For Private And Personal Use Only