SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાનીઓને અધિકાર. (૫૫૭ ) તેમાંથી અમુકને આ લેખને અધિકાર સંઘટી શકે તેમ છે. જ્ઞાની સંન્યાસી ત્યાગી સાધુના અનંત વિચારો હોય છે, પરંતુ આચારે તે પરિવર્તનશીલ એકદેશીય હોય છે. જ્ઞાનીઓની અનંતવિચારશ્રેણિયે અનન્ત હોય છે, પરંતુ તેઓના આચારો તે કમાવર્તિ એકદેશીય અને દેશકાળાદિ પ્રતિબદ્ધ હોવાથી ટૂંકા હોય છે. જ્ઞાનીઓ કાયા કરતાં માનસિક પ્રવૃત્તિમાં અત્યંત વેગવાન હોય છે. સવદેશની ઉન્નતિનો આધાર જ્ઞાનીઓ પર છે; જ્ઞાનીઓને શારીરિક બાહ્યપ્રવૃત્તિમાં દુઃખ ભાસે છે, પરંતુ તેમને સુખ ભાસતું નથી–એ તેઓએ પ્રાપ્ત કરેલી દશાએ ચોગ્ય છે. આત્મજ્ઞાનીઓ બાહ્યની ક્રિયાઓમાં વિરક્ત હોય છે છતાં તેઓ ધર્મમાર્ગમાં અન્યલોક પ્રવૃત્તિ કરે તે હેતુ વગેરે કારણેથી બાહ્યકર્મોમાં તેઓ જેમ ઘટે છે તેમ પ્રવૃત્તિ કરે છે, તેથી તેમને કંઈ લાભ વા હાનિ નથી. જ્ઞાની કર્મ કરવાને માટે યોગ્ય નથી તે કૃતકૃત્ય થયે છતો પણ નીચે પ્રમાણે શિષ્યને જણાવે છે. ભગવદ્ગીતા–ને મે પર્યાદિત વાર્તā ત્રિપુ लोकेषु किञ्चन । नानवाप्तमवाप्तव्यं, वर्तएव च कर्मणि ॥ यदि ह्ययं न वर्तेय, जातु कर्मण्यतंद्रितः ॥ मम वानुवर्तन्ते, मनुष्याः पार्थ सर्वशः ॥ उत्सीदेयुरिमे लोका, न कुर्या कर्म હું સારી જ વાતfથાણvસ્થામિના: પ્રજ્ઞા: I હે પાર્શે ! ત્રણ લોકમાં એવું કંઈ નથી કે જે શુદ્ધાત્માવડે કરવાગ્ય ન હોય. એવી એક ચીજ નથી કે જે મને મળેલી ન હોય. અર્થાત્ સર્વથી પ્રિયમાં પ્રિય વસ્તુની પ્રાપ્તિ થએલી છે, આટલું છતાં પણ હું તેમાં સામેલ થાઉ છું. પરિશ્રમરહિત હું જે કર્મ કરવામાં સામેલ ન થાઉં તો સર્વ લેકે મારે માર્ગ અંગીકાર કરે, અને તેથી જ તેઓ જડ જેવા બની જાય, અને પરિણામે તેઓ આત્માની શુદ્ધિ કરી શકે નહિ. જો હું બાહ્યફરજથી કર્મ ન કરું તો આ લોકોને નાશ થાય, લેકે વર્ણશંકર થઈ જાય, અને તેને કરનારો હું થાઉં; માટે મારે સર્વના નેતારૂપ આદર્શ પુરુષ બનીને કર્મ કરવાં જોઈએ. મદાઝના ત ર ઘા કર્મમાં મમતા રાખીને અજ્ઞાની મનુષ્યો કર્મ કરે છે. આત્મજ્ઞાનીઓ મમતા રાખ્યા વિના લેકે કર્મથી ભ્રષ્ટ ન થાય એ હેતુથી લોકોના કલ્યાણ પ્રતિ લક્ષ્ય રાખીને કર્મ કરે છે. આત્માનો સાક્ષાત્કાર કરનાર આત્મજ્ઞાનીઓનાં બાહ્યકર્મો એકસરખાં મેળવાળાં નથી. દેશકાલવય આદિભેદે તેઓના બાહ્ય કર્મોમાં ભેદ પડે છે. આત્મા અરૂપી છે. બાહ્યકમે રૂપી છે છતાં તેઓ આત્માથી ભિન્ન એવાં બાહ્યકર્મોમાં અહંકર્તા ભક્તા બુદ્ધિ રાખ્યા વિના તેઓને કરે છે. દેશકાલાનુસારે બાહ્ય કર્મોમાં સુધારવધારો કરવાનો અધિકાર આત્મજ્ઞાનીઓને હોય છે. રઢિકપ્રવૃત્તિના વશ થઈને આત્મજ્ઞાનીઓ બાહ્યકર્મોમાં એકસરખા પ્રવૃત્તિવાળા થતા નથી. તેઓને જેમ એગ્ય લાગે છે તેમ તેઓ બાહ્યકર્મની પ્રવૃત્તિને આચરે છે. તેઓ સમાજ આદિના એકાને પરવશ થઈને બાહ્યકર્મ પ્રવૃત્તિ કરતા નથી. તેઓ બાહ્યક્રિયાઓ કરવાના સર્વ રહસ્યને અવધતા હોવાથી અજ્ઞાનીઓને તેનું વાસ્તવિક રૂપ સમજાવીને તેમને ધર્મમાર્ગે વાળવા સત્ય રહસ્યને સમજાવે છે તથા કર્મની સત્યપ્રવૃત્તિ આચરે છે. આત્મ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy