SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પપ૬ ) શ્રી કર્મ ગ ગ્રંથ-સવિવેચન. तयपि धर्ममार्गस्य योग्याः कर्मप्रवृत्तयः। स्वान्यश्रेयस्करास्तास्तु साधयेद् व्यवहारतः ॥ १३९ ॥ निष्क्रिया भावितात्मानो निवृत्तिसाधकाश्च ये । तथापि स्वाधिकारात्ते कर्म कुर्वन्ति बाह्यतः ॥ १४० ॥ स्वाधिकारक्रियां कुर्वन् ज्ञानी ज्ञानादिभिः शुभाम् । साधयेत् पूर्णनिवृत्तिं यथायोगमपेक्षया ॥ १४१ ॥ ज्ञानध्यानादिलीनानां क्रिया नातिप्रयोजना । आत्मानं निष्क्रियं पश्यन् यत्तत्करोति बाह्यतः ॥ १४२ ॥ यावद् बाह्याधिकारस्तु धर्मकर्मणि वर्तते ॥ तावत् करोति तद् ज्ञानी पश्चात्तु विनिवर्तते ॥ १४३ ॥ શબ્દાર્થ –દેહાધ્યાસાદિવર્ધક ક્રિયાથી સુખ થતું નથી માટે સ્વભાવથી જ્ઞાની ક્રિયા કરવાને ઉત્સાહી થતો નથી. આત્મભિન્ન પ્રવૃત્તિ તો ખેદ દુઃખાદિપ્રદ છે માટે તેને ત્યાગ કરીને શાન્તિ માટે જ્ઞાની નિવૃત્તિ સાધે છે, તો પણ જ્ઞાની ધર્મમાર્ગગ્ય જે જે સ્વપરશ્રેયસ્કર પ્રવૃત્તિ છે તેને બાહ્ય વ્યવહારથી સેવે છે. નિષ્ક્રિયરૂપ આત્માને ભાવનારા નિવૃત્તિ સાધક જ્ઞાનીઓ છે, તથાપિ તેઓ બાહ્યથી કર્મ કરે છે. જ્ઞાની જેમ ઘટે તેમ સાપેક્ષપણે જ્ઞાનાદિવડે સ્વાધિકારોગ્ય ક્રિયાને કરે છે, અને નિવૃત્તિકારક પ્રવૃત્તિથી પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનધ્યાનાદિ લીન મહાત્માઓને અતિ પ્રજનવાળી બાહ્યકિયા નથી, તોપણ તેઓ આત્માને નિષ્ક્રિયસ્વરૂપ અવલોકતા છતાં જે જે કંઈ ઘટે છે તે બાહ્યથી કરે છે. યાવત્ જ્ઞાનીઓને બાહ્ય કર્માધિકાર છે તાવતું તે તે જ્ઞાની બાહ્યથી ધર્મી કર્મ પ્રવૃત્તિને સેવે છે, પશ્ચાત્ બાહ્ય ધમ્મ કર્મપ્રવૃત્તિને સેવતા નથી. વિવેચન –બ્રહ્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરનાર જ્ઞાની દેહને પ્રયાસ-દુઃખ પડે એવી ક્રિયાને અવધે છે, તેથી તે બાહ્યક્યિા પ્રવૃત્તિમાં સુખ નથી એવો નિશ્ચય કરે છે; માટે તે ક્રિયા કરવાને ઉત્સાહી બનતો નથી. જ્ઞાનીઓનાં લક્ષણ પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીની બાહ્યકર્મની ચેષ્ટાઓનો પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીઓ માટે આજે કંઈ લખાય છે તે એક દેશથી છે, અને સમજાય છે તે પણ એક દેશથી છે. સર્વ દેશથી જ્ઞાનીને શું કર્તવ્ય છે? શું કરે? ઈત્યાદિને પ્રરૂપી શકાય નહિ. અનેક જાતના જ્ઞાનીઓ છે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy