SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાની કેવી રીતે કર્તવ્ય કર્મ કરે ? ( ૫૫૫ ) ત્યાગપ્રેમ, દાનપ્રેમ, કુદરતપ્રેમ, લૌકિક પ્રેમ, લેકોત્તરપ્રેમ, ઔપચારિક પ્રેમ, દઢરંગપ્રેમ, સ્વાપણ પ્રેમ, તન્મયપ્રેમ, અતન્મયપ્રેમ, વગેરે પ્રેમના લાખો કરડે ભેદ ઉપાધિભેદે પડે છે. પ્રેમવિના મતા રસિકતા પ્રાપ્ત થતી નથી. જેનાથી આત્મશક્તિનો વિકાસ થાય અને સ્વાધિકારે કર્તવ્યપ્રવૃત્તિથી પ્રગતિ થાય એવા સર્વ પ્રશસ્ય પ્રેમની આદેયતા છે. રજોગુણી પ્રેમ ને તમોગુણ પ્રેમ કરતાં સાત્વિકગુણ પ્રેમની અનન્તગુણ મહત્તા છે. સાવિકગણ પ્રશસ્ય પ્રેમથી આત્માના અધિકારે કર્તવ્ય કાર્યમાં લયલીનતાપૂર્વક પ્રવૃત્તિ થાય છે, તે કર્તવ્યકાર્યની પરિપૂર્ણ ફરજ અદા કરી શકાય છે. જે કાર્ય કરવામાં પ્રથમ સ્વાત્મામાં પ્રેમ ઉદ્ભવે છે તે કાર્ય કરવામાં પિતાને સ્વાધિકાર છે એમ અવબોધવું; અમુક કર્તવ્યપ્રવૃત્તિમાંથી પ્રેમ ટળે છે, તે અન્યકર્તવ્ય પ્રવૃતિમાં પ્રેમ ઉદભવે છે. જેમાંથી પ્રેમ ટળે છે અને જેમાં પ્રેમ થાય છે. તે કર્તવ્ય પ્રવૃત્તિમાં સ્વાધિકાર છે એમ નિશ્ચય થાય છે. પ્રેમથી ઉત્સાહ પ્રકટે છે અને તેથી કર્તવ્યકર્મમાં આત્મબળ ફેરવી શકાય છે; માટે જે કાર્ય કરવામાં પ્રેમ ઉત્પન્ન થાય છે તેમાં તન્મયતા થાય છે. શિવાજી અને પ્રતાપરાણાને સ્વદેશ પર કેમ જાગ્યો હતો તેથી તેઓએ આદર્શ પુરુષની પેઠે કાર્યપ્રવૃત્તિ સેવી હતી. વિદ્યાની પ્રાપ્તિ માટે થતા પ્રેમથી વિદ્યાની પ્રાપ્તિ કરી શકાય છે. જે પ્રવૃત્તિ પર પ્રેમ થાય છે તેને મન વાણી અને કાયાથી આદરી શકાય છે. જે કર્મ પ્રવૃત્તિમાં પ્રેમની રઢ લાગે છે તે ગમે તેવું દુઃસાધ્ય હોય છે તો પણ તેને સુસાધ્ય કરી શકાય છે. જે શુભ આવશ્યક કર્તવ્ય કાર્ય પર પ્રેમ પ્રગટે છે તેમાં સહેજે તન્મયતા કરીને તેમાં સંયમની સિદ્ધિપૂર્વક કર્તવ્યબળને વિકાસ કરી શકાય છે; માટે લીનતાગસાધક પ્રેમપૂર્વક કર્તવ્યકાર્ય કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ. પ્રેમનો ઉંચકોટિના અધિકારે ત્યાગ કરી શકાય છે; માટે પ્રથમથી પ્રેમને ત્યાગ ન કરતાં કર્તવ્ય પ્રેમપૂર્વક સ્વાધિકારે કર્મ પ્રવૃત્તિમાં લીન થવું જોઈએ કે જેથી વૃત્તિની લીનતાગની સહેજે સિદ્ધિ થાય. અવતરણઃ—જ્ઞાની કર્મયોગીને કર્તવ્યકર્મની પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય છે તે નિશે છે. શો देहायासादिवर्धिन्या क्रियया शर्म नो भवेत् । अतो नोत्सहते ज्ञानी क्रियां कर्तुं स्वभावतः ॥ १३७ ॥ आत्मभिन्नां प्रवृत्तिं तु खेददुःखादिदायिनीम् । त्यक्त्वा तां शान्तये नित्यं निवृत्तिं साधयेत् स्वयम् ॥ १३८॥ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy