SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૪૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અને ભવિષ્યમાં જે બનશે તે સર્વે જૈનદર્શનરૂ૫ આત્માની બહાર નથી. આવા જૈનદર્શનરૂપ પરમાત્માને આરાધી-સેવી અને તેનું ધ્યાન ધરીને ચોરાશીગચ્છના જૈન, બૌદ્ધો, સાંખે, હિન્દુઓ, મુસલમાને, ખ્રિસ્તિયો વગેરે સર્વ ધર્મના મનુષ્ય, જૈનદર્શન પ્રતિપાઘ સમભાવરૂ૫ આત્માની અવસ્થાને અંગીકાર કરીને મુકિત પામે છે. સમભાવ છે તે જ આત્માની શુદ્ધ દશા છે, તેને પામીને ગમે તે દર્શનમાં રહેલો મનુષ્ય મુક્તિપદને પામે છે એમ શ્રી મહાવીર પ્રભુ જણાવે છે. જાથા-ચંવરો વા વારંવાર વા, શુદ્ધ ઘા શવ અને વાં મમાયમાવી અgi, ૪૬ મુવણં સંat વેતાંબર, દિગંબર, બૌદ્ધ, વેદાન્તી, ખ્રીસ્તિ, મુસલમાન આદિ ગમે તે ધમી મનુષ્ય હોય પરંતુ તે રાગદ્વેષ રહિત સમભાવને પામી મુક્તિ પામે છે એમાં કંઈ પણ શંકા નથી. રાગદ્વેષ રહિત દશા થવાથી સમભાવની પ્રાપ્તિ થાય છે. દુનિયાના સર્વ દર્શને પર અને સર્વ શુભાશુભ મનાતા પદાર્થો પર તથા જી પર સમભાવ પ્રગટે છે ત્યારે ઘનઘાતી મોહનીય વગેરે કર્મોને નાશ થાય છે અને આત્મામાં કેવળજ્ઞાન પ્રગટે છે. આત્માની પરમશુદ્ધતા એ જ શુદ્ધબ્રહ્મ અવબોધવું. સમ્ય) ભાવથી આત્માની શુદ્ધતા થાય છે. સર્વનોની સાપેક્ષતાએ આત્માનું સ્વરૂપ અધાતાં સમભાવ પ્રગટે છે અને તેથી સર્વદર્શનના લાકે સમભાવને પગથીએ પાદ મૂકીને મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સર્વગછીય મનુષ્ય, અને સર્વદાર્શનિક મનુષ્ય, સમભાવને અવલંબી મુક્તિપદને પામ્યા, પામે છે અને પામશે–એમાં જરા માત્ર સંશય નથી. એમ આત્મજ્ઞાની યોગીઓ દ્વારા અવધીને મનુષ્યોએ કર્તવ્ય કર્મને સમભાવે કરવા કરાવવા અને અમેદવાં. સમભાવપૂર્વક ધર્મકર્મયેગી બનીને કર્તવ્ય કર્મો સેવવાં. અવતરણ –મહાસંઘની સેવા–ભક્તિથી પરમાત્માની સેવા થઈ શકે છે અને તેથી મહાફળની પ્રાપ્તિ થાય છે તે દર્શાવે છે. ___ श्लोकः अतः श्रीयुतसंघस्य वैयावृत्ये महाफलम् । ज्ञात्वा तदेव कर्तव्यमात्मशक्त्यनुसारतः ॥ १३० ॥ શબ્દાર્થ –ઉપર્યુક્ત હેતુઓથી મહાસંઘની વૈયાવૃત્યમાં–સેવામાં ભક્તિમાં મહાફલ છે એમ અવબોધીને આત્મશકત્યનુસાર મહાસંઘની સેવા કરવી જોઈએ. વિવેચન –મહાસંઘમાં સર્વ ગચ્છીય આચાર્યો ઉપાધ્યાયે સાધુઓ સાધ્વીઓ શ્રાવકો અને શ્રાવિકાઓને સમાવેશ થાય છે. મહાસંઘમાં સર્વ ધર્મી મનુષ્યને સમાવેશ થાય છે. વિશ્વવર્તિ સર્વધર્મી મનુષ્યના આત્માઓના સમૂહરૂપ સમષ્ટિ-પ્રભુની સેવાભક્તિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy