SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org L જૈન દર્શનમાં અન્ય દતાના સમાવેશ. (૫૪૧ ) આત્માને દેવી શક્તિરૂપ માનીને તેની ઉપાસના-આરાધના—ભક્તિ કરે છે. કાઇ આત્માને અલ્લા ખુદારૂપ માનીને તેની ઉપાસના સેવા ભક્તિરૂપ ધ્યાન ધરે છે. કોઇ આત્મારૂપ પ્રભુને ઉત્પત્તિ-વ્યય અને ધ્રુવરૂપ માનીને તેની સેવા–ઉપાસના કરે છે. કેાઇ આત્માને પ્રેમરૂપ ગૌતમ બુદ્ધરૂપ માનીને તેની સેવા-કિત કરે છે. કોઇ આત્માને સમસ્ત વિશ્વરૂપ માનીને તેની સેવા કરે છે. કાઇ આત્માને નિરાકારરૂપ માનીને નિરાકારરૂપે પ્રભુનું ધ્યાનભજન કરે છે અને કાઈ આત્માને સાકાર માની સાકારરૂપે પ્રભુનું ભજન કરે છે. કાઈ ઉત્પાદરૂપ સર્જનમાં, વ્યયરૂપ પ્રલયમાં અને ધ્રુવતારૂપ સ્થિરતાકાલમાં–ત્રણ અવસ્થારૂપે આત્મારૂપ પ્રભુને માનીને તેનુ' ધ્યાન ધરે છે. ઉત્પાદવ્યયવસ્વરૂપ આત્મા છે. આત્મારૂપ પ્રભુમાં અનેક ઉત્તમ અવતાર સ્વરૂપે માનીને કેટલાક મનુષ્યા નામરૂપ સહિત તેની આરાધના કરે છે. આત્મારૂપ પ્રભુના અનેક રૂપે અનેક નામે છે. રજોગુણુ તમેગુણુ અને સત્ત્વગુણુ સહિત આત્માને કેટલાક સખલ બ્રહ્મ માની તેની આરાધના કરે છે, રજોગુણ તમેગુણુ અને સત્ત્વગુણુ રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ આત્માની કેટલાક આરાધના કરે છે. પ્રત્યેક આત્મારૂપ પ્રભુની કેટલાક સેવા આરાધના ભક્તિ કરે છે. ચઉદ રાજલેાકમાં રહેલ સર્વે જીવેાની ચિન્માત્ર સત્તાને કેટલાક કેવલાદ્વૈત દૃષ્ટિએ કેવલ એક બ્રહ્મ માનીને તેની ઉપાસના કરે છે. કસહિત સ`સારી સર્વે આત્માઓના સમૂહને એક સમષ્ટિરૂપ પ્રભુ માનીને કેટલાક તેની સેવા-ભકિત-ધ્યાન ધરે છે. એ પ્રમાણે સર્વત્ર ધર્માંદૃષ્ટિયામાં બહિરાત્મા અન્તરાત્મા અને પરમાત્માની ધ્યાન-સેવા થઈ રહેલી છે, અહિરાત્મા તે જ અંતરાત્મા થાય છે અને અન્તરાત્મા તે જ પરમાત્મા થાય છે. બહિરામાં અન્તરાત્મા અને Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્મા એ ત્રણ આત્માનાં રૂપ છે, તેથી એ ત્રણુ આત્માઓને અનેક દૃષ્ટિથી પ્રભુરૂપ માનીને ભજનારાઓને આત્મારૂપ જૈનદર્શનમાં સમાવેશ થાય છે. ષગ્દર્શનોમાં આત્માદિતત્ત્વોની જે જે માન્યતાએ લખેલી છે તેના સાપેક્ષનયથી જૈનદર્શનમાં સમાવેશ થાય છે. શ્રીઆનંદઘનજી મહારાજ શ્રીનમિનાથના સ્તવનમાં ખટ્ટુન જિનઅંગ ભણીજે--ઈત્યાદિ પ્રતિપાદન કરીને જિનભગવાનનાં અંગતરીકે ષડ્ઝનાને જણાવે છે. જૈન દર્શનમાં સાગરમાં એકેક નયથી ઉઠેલ સર્વ દનરૂપ નદીઓના સમાવેશ થાય છે. અતએવ જૈનદર્શનની અનન્ત વર્તુલતા છે તેથી તે સર્વ દનામાં મહાસાગરની ઉપમાને ધારણ કરે છે અર્થાત્ તે વિશ્વમાં સર્વત્ર અનાદિકાલથી અનન્તકાલ પર્યન્ત વિદ્યમાન છે. જૈનદર્શનરૂપ યાને અનન્તજ્ઞાનરૂપ વેદની આદિ નથી અને અન્ત નથી. જૈનદનમાં સર્વ પ્રકારના આત્માને સમાવેશ થાય છે. જૈન દર્શનરૂપ આત્મા તે જ શુદ્ધભ્રહ્મ છે તે જ વેદ છે અને તે જ વેદાન્ત છે—તે જ આગમ છે. તે જ સર્વ ધર્મ શાસ્ત્રોને સાર છે. તે જ બાઇબલ અને કુરાન છે. જૈનદર્શનરૂપ આત્મામાં અનન્ત વેદો, અનન્ત વેદાન્તા, અનન્ત આગમ, અનન્ત બાઇબલા, અન ંત કુરાના, અને અનંત પુરાણા સમાઇ જાય છે. ભૂતકાલમાં જે બન્યું, વર્તમાનમાં જે અને છે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy