SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૪૦ ) શ્રી ક્રમ યાગ ગ્ર'થ-વિવેચન. દાયામાં જૈન ધર્મરૂપ રસ તે એક સરખા આત્માની ઉન્નતિકારક વહે છે અને તેથી સ વૃક્ષનાં ડાળાં વગેરેનુ જીવન વહ્યા કરે છે. જૈન ધર્મના સર્વ ભેદોમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રના જ્યાં સુધી સજીવન રસ વહે છે ત્યાં સુધી તે જીવે છે અને જ્યારે સજીવન રસ વહેતા બંધ થઈ જાય છે ત્યારે તે તે ગાને નાશ થઈ જાય છે. વૃક્ષનાં ડાળાં ડાળીઓ પરસ્પર ભિન્ન હેાવા છતાં તે વૃક્ષના રસથી જીવી શકે છે અને પરસ્પર એકખીજાનેા નાશ કરવા તેઓની પ્રવૃત્તિ થતી નથી તેમ અનેક ગચ્છાએ અને અનેક ગચ્છમાં રહેનાર મનુષ્યએ આત્મરસ-બ્રહ્મરસને આસ્વાદી જીવવું જોઇએ અને પરસ્પર એકબીજાના નાશ કરવાની પ્રવૃત્તિ ન સેવવી જોઇએ. અનન્તબ્રહ્મની વ્યાપકતાના અનન્ત વર્તુલમાં જેમ સર્વના સમાવેશ થાય છે તેમ આત્મારૂપ જૈન ધમમાં સવ ગચ્છોનેા અને સર્વ દનાના સમાવેશ થાય છે. અતએવ સગવડે પૂર્ણ મહાસંઘની પૂન્યતા સ્વીકારી તેને સમષ્ટિ બ્રહ્મ-પરમાત્મત્વ માની તેની સેવા કરવી જોઇએ. જીવતા મહાસંઘની સેવા કરવામાં સર્વ ધર્મોના સમાવેશ થાય છે. અનેક આત્માએ મળીને મહાસંઘ થાય છે તેથી સત્પુરુષાએ મહાસંઘની પૂજા કરવામાં આત્માપણુ કરવુ જોઇએ. મહાસંઘની સેવા કરવાથી સમસ્ત પ્રકારની સેવા કર્યાંનું ફૂલ પ્રાપ્ત થઈ શકે છે. મહાસંઘમાં સર્વને સમાવેશ થાય છે. સવે આત્માઓના સમૂહને મહાસંઘ, મહાસમષ્ટિપ્રભુરૂપ માનીને તેની સેવા કરવાથી સર્વ પ્રકારનાં પાપાના નાશ થાય છે. મહાનદી જેમ સાગરમાં ભળે છે તેમ સ દનાના જૈન દનમાં સમાવેશ થાય છે અને જૈન દર્શન તે વસ્તુતઃ આત્મારૂપ યાને બ્રહ્મરૂપ હાવાથી બ્રહ્મની આરાધના કરવાથી સર્વની આરાધના થાય છે. તેમ આત્મારૂપ જૈન દર્શનની આરાધના કરવાથી સર્વની આરાધના કરી શકાય છે. ધ્રુવ મહાનદીએ જેમ સાગરમાં સમાઈ જાય છે, તેમ જૈન ધર્મના સર્વ ગાના આત્મારૂપ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. સવ નદીએ વેગથી જેમ સમુદ્રને મળે છે તેમ સર્વ ગચ્છીય ધર્મીઓ મુક્તિને પામે છે. દુનિયામાં જે જે ધર્માં, દર્શના, ધર્મના પન્થા છે તે સર્વના અપેક્ષાએ જૈન દર્શનમાં સમાવેશ થઈ જાય છે અને જૈન દર્શનના શુદ્ધાત્મામાં સમાવેશ થઈ જાય છે તેથી શુદ્ધ આત્મસ્વરૂપની આરાધના કરનારા સર્વે અખિલવિશ્વવર્તિ સર્વ જૈને છે. જૈન દર્શનરૂપ આત્માના અનન્ત વર્તુલમાં લઘુ વર્તુલરૂપ સર્વધર્મદનાના સમાવેશ થઇ જાય છે. જૈનધર્મમાં સર્વ જીવમાત્રના સમાવેશ થઇ જાય છે. દુનિયામાં જે જે પદાર્યાં છે તે સર્વના જૈન દર્શનરૂપ આત્મામાં સમાવેશ થઇ જાય છે. અતએવ જૈન ધર્મની અનન્ત વર્તુલતાની બહાર કોઇ ધર્મ રહેતા નથી, અસંખ્ય યોગાના ધર્માંક – સાગરની બહાર કાઈ દુનિયાના ધર્મ રહેતા નથી તેથી અસખ્ય યોગોથી પ્રાપ્ત થનાર આત્માની શુદ્ધતામાં કાઈ જાતના વિશધ આવતા નથી; કોઇ આત્માને વિષ્ણુરૂપ માનીને તેની ઉપાસના કરે છે. કાઇ આત્માને બ્રહ્મારૂપ માનીને તેની ઉપાસના કરે છે. કેાઈ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy