SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ ગચ્છના મહાસંધની પૂજ્યતા. ( ૫૩૯ ) અવતરણુ–સર્વગચ્છ, સર્વદર્શન વગેરેને આત્મામાં સમાવેશ થાય છે અને તેથી અસંખ્ય ગોમાં સમાનતાએ સર્વ ગરોથી મુક્તિ થાય છે એમ જણાવવામાં આવે છે તથા સર્વ ગચ્છવડે બનેલા મહાસંઘની પ્રથમ પૂજ્યતા દર્શાવવામાં આવે છે. नानागच्छादि संकीर्ण महासङ्घस्य पूज्यता । यतितव्यं सदासद्भिः संघसेवादिकर्मसु महानद्यो यथा यान्ति सागरं प्रति वेगतः। मुक्तिं प्रति तथा यान्ति सम्यग्गच्छा हि साम्यतः॥१२८॥ साम्यभावं समालंब्य नाना दार्शनिका जनाः। धर्मकर्मप्रकर्तारो याता यास्यन्ति सद्गतिम् ॥१२९ ॥ શબ્દાર્થ –નાનાગચ્છાદિવ્યાખ મહાસંઘની પૂજ્યતા છે. સંઘસેવાદિકમાં સદા સપુરુષએ યત્ન કરે જોઈએ. મહાનદી સાગર પ્રતિ વેગથી જાય છે–તદ્વત્ સર્વ ગરો મુક્તિ પ્રતિ જાય છે. સામ્યભાવને અવલંબી નાના દાર્શનિક જને કે જેઓ ધર્મ કરનારાઓ છે તે મુક્તિ પામ્યા પામે છે અને પામશે. વિવેચન – જૈનધર્મમાં ચોરાશી ગરછ–અનેક મત સંપ્રદાય છે. એક વૃક્ષ ઉત્પન્ન થાય એટલે તેને અનેક સ્તંભ, ડાળાં, ડાળીઓ પ્રગટે છે અને તેવડે તે શેભી શકે છે. વૃક્ષને સ્તંભ ડાળ ડાળીઓ જેમ વિશેષ હોય છે તેમ તેની વિશાળતામાં–મહત્તામાં વૃદ્ધિ થાય છે. દુનિયામાં એક ધર્મના અનેક ભેદ પડે છે. સર્વગોથી બનેલા ચતુર્વિધ સંઘની મહાસંઘતા થાય છે. સર્વ ગરછમાં અનેક ગોવડે ધર્મની આરાધના કરનાર ત્યાગીઓ અને ગૃહસ્થ હોય છે. સર્વ ગચ્છમાં અનેક ગુણ મનુષ્ય હેય છે. કેઈ ગચ્છ એ નહિ હોય કે જ્યાં ગુણી મનુષ્ય ન હોય. ઇંગ્લીશ સરકારની પાર્લામેન્ટમાં કોન્ઝરવેટીવ અને લીબરલ એ બે પક્ષ છે પણ બન્નેનું સાધ્યબિંદુ તે કેટલાક વિચારોને મતભેદ છતાં એક છે. અન્યની પણ તે સ્થિતિ છે. તે પ્રમાણે સર્વજ્ઞધર્મમાં પણ અનેક પક્ષે હોય છે પણ તેઓ સર્વે મુકિતની પ્રાપ્તિ માટે તૈયાર છે. અનેક ગરછભેદમાંથી જુદુ જુદુ જાણવાનું શિક્ષણ મળે છે અને તેઓ ધર્મની આવશ્યકતા પ્રતિપાદન કરે છે. એક વૃક્ષના જ રાશી ખંભે હોય અને તેનાં સહસશઃ ડાળાં હોય અને લાખ ડાળી હોય પરંતુ તે સર્વમાં વૃક્ષને ૨સ તે એક સરખો વહે છે તદ્ધતુ જૈનધર્મના અનેક ગચ્છા મતો-સંપ્ર For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy