SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ( ૫૩૮ ). શ્રી કમોગ ગ્રંથ–સવિવેચન. પ્રાપ્ત કરીને દુઃખની પિલી પાર જાય એ જ અસંખ્ય યોગોનું કર્તવ્ય કાર્ય છે. અતએ અસંખ્ય ગોની સેવા કરવાની જરૂર છે. જે પૂરા જ્ઞાનીઓ છે તેઓ કઈ યોગનું ખંડન કરતા નથી. પ્રત્યેક મનુષ્ય પિતાના અધિકાર પ્રમાણે સ્વરુચિથી કર્મમાં પ્રવૃત્તિ કરે છે, અનેક અન્યાધિકાર થતાં પૂર્વ કર્મને મૂકી અન્ય કર્મપ્રવૃત્તિને સેવે છે. વિષ્કાના જીવડાને તેના અધિકાર વિના સ્વર્ગની વાડીમાં મૂકવામાં આવે તે ત્યાં તેને રુચશે નહિ અને તેને વિઝામાં રમવું રુચશે. આ ઉપરથી અવધવાનું એટલું મળે છે કે-કઈ જીવ સ્વાધિકાર સ્વરુચિના અનુસારે કઈ ધર્મ કરતો હોય અને ત્યાં તેને રસ પડતો હોય તે એકદમ તેને તેની ધર્મકર્મ પ્રવૃત્તિથી ભ્રષ્ટ કરીને અન્ય ધર્મપ્રવૃત્તિને ઉપદેશ દે નહિતેમ તેવી પ્રેરણા પણ કરવી નહિ. સ્વાધિકાર જે કર્મ જેને રુચે છે તેમાં તે પ્રવૃત્તિ કરે છે અને પશ્ચાત અધિકાર બદલાતાં તેમાં તેને રુચિ પડતી નથી અને તેનું હૃદય ખરેખર અન્ય ધર્મકર્મપ્રવૃત્તિમાં પડે છે. સાપેક્ષદષ્ટિએ અસંખ્ય યોગની આરાધનાથી મુક્તિ થાય છે. અસંખ્ય યોગો પૈકી ગમે તે કર્મ પ્રવૃત્તિથી મુક્તિ થાય છે એ જેને બંધ થાય છે તેનામાં પક્ષપાત કદાગ્રહ વિષમભાવ રહેતો નથી; તેને અસંખ્ય અને અસંખ્ય ગેની ધર્મકર્મપ્રવૃત્તિ કરનારાઓ ઉપર સમભાવ પ્રગટે છે અને તે સમભાવવાળા ચિત્તથી સ્વાધિકાર યોગ્ય ધર્મકર્મ કરીને મુકત બને છે. આ વિશ્વમાં અસંખ્ય યોગથી મુક્તિ માનનારા જૈનેમાં, ધર્મના નિમિત્તોમાં પરસ્પર વૈષમ્યભાવે પક્ષ પડે અને આત્મવિર્યને દુરુપયોગ કદાપિ થાય એવું–અસંખ્ય યોગથી મુક્તિનો નિશ્ચય થતાં અને જ નહિ અને જેનોની વિશાળતા વ્યાપકત્વ વધે એમાં કઈ જાતની શંકા રહેતી નથી. અસંખ્ય યોગ પૈકી ગમે તે ગની સ્વાધિકારે પ્રવૃત્તિ કરો પરંતુ ધર્મના નિમિત્તભેદે લડે નહિ અને કુસંપ કરે નહિ. મૂલસાધ્ય તત્ત્વની ગમે તે યુગે પ્રાપ્તિ થતી હોય તે પશ્ચાત્ મતસહિષ્ણુતા રાખીને સામ્યચિત્તની સ્વયેગ્ય ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. અસંખ્ય યોગના મહાવર્તેલમાં સર્વ ધર્મને સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ મહાવીર પ્રભુ પ્રતિપાદિત જૈનધર્મને પ્રચાર કરવામાં આવે છે. વિશ્વવર્તિ સર્વ જીને આત્મન્નિતિમાં આગળ વધવાના અનેક માર્ગો હસ્તમાં આવી શકે. વેષ આચાર અને વિચારની ભેદતાએ પરસ્પર લડી મરવું ન જોઈએ. વેષ આચાર અને વિચારોને અસંખ્ય વેગમાં સમાવેશ કરીને વેષાદિને મુકિતના હેતુભૂત માની વિશાલ દષ્ટિધારી ગ્ય કર્મ પ્રવૃત્તિને સમતાભાવે સેવવી કે જેથી આત્મોન્નતિની પૂર્ણ પ્રાપ્તિ થાય. લાખ કરોડો ગાયે, જુદા જુદા રંગની અને ભિન્ન ચેષ્ટાવાળી હોય પરંતુ સર્વના સ્તનમાંથી દુશ્વરસ નીકળતો હોય તે પશ્ચાતુ બહિરુના ભેદની શી આવશ્યકતા છે? તેમ અસંખ્ય ગેથી કરોડે આજે મનુષ્યને ભિન્ન ભિન્ન વિચાર ક્રિયાપ્રવૃત્તિઓ પણ આત્મોન્નતિ થતી હોય અને આત્મસુખને સાક્ષાત્કાર થતો હોય તે મતભેદની કંઈપણ જરૂર નથી. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy