SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. प्राप्तयोग्यप्रवृत्तिस्तु भवाय नैव जायते । अध्यात्मज्ञानिनः सम्यग् व्याख्यानादिककर्मणः ॥१२३॥ उत्सर्गकापवादाभ्यां प्रवृत्तिधर्मकर्मणाम् । साधूनां च गृहस्थानां द्रव्यक्षेत्रादितः सदा ॥१२४॥ શબ્દાર્થ –રાગદ્વેષાદિ ક્ષયરૂપ જે પ્રસિદ્ધ પરમક્તવ્ય છે તે ધર્મધ્યાનાદિ સાધવડે ધમ મનુષ્યોથી કરાય છે. શુદ્ધ નિશ્ચયતઃ આત્મા તે જ પરમાત્મારૂપ છે. આત્માની રત્નત્રયીના પ્રકાશાથે પરમ બ્રહ્મમય થવું ઇત્યાદિ કર્તવ્યકર્મ છે. વ્યાખ્યાનાદિક કર્મવાળા અધ્યામજ્ઞાની સાધુને પ્રાગ્ય પ્રવૃત્તિ છે તે સંસારબંધન માટે થતી નથી. સાધુઓને અને ગૃહસ્થોને દ્રવ્યક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અને અપવાદ માગે ઘર્મકર્મોની પ્રવૃત્તિ છે. વિવેચન –ધર્મધ્યાન અને શુકલધ્યાનવડે રાગદ્વેષનો ક્ષય કરે એ જ પરમ કર્તવ્ય ખરેખર ધમ મનુષ્યવડે સેવાય છે. રાગદ્વેષના ક્ષયથી આત્મામાં સર્વજ્ઞતા ઉદ્ભવે છે. રાગદ્વેષના ક્ષયથી આત્માની અનન્ત શક્તિ પ્રગટે છે. રાગદ્વેષના ક્ષયથી પરમ સમભાવ પ્રગટે છે. રાગદ્વેષના ક્ષયવિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોટા મોટા ઋષિ રાગદ્વેષના ક્ષયાર્થ એકાન્ત ગુફામાં ધ્યાન ધરે છે. રજોગુણ અને તમે ગુણ રાગદ્વેષમય છે. સંસારનું મૂળ રાગદ્વેષ છે. રાગદ્વેષના વેગે અનેક અવતાર ગ્રહવા પડે છે. ધર્મધ્યાનથી અને શકલધ્યાનથી આત્માની શુદ્ધતા પ્રકટે છે. ધર્મધ્યાનાદિથી આત્માને શોપયોગ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયની સાથે આત્મધર્મસામ્રાજ્ય પ્રગટે છે અને તેથી આત્મા તે પરમાત્મતારૂપ થાય છે. આત્મા તે જ પરમાત્મારૂપ છે. શુદ્ધ નિશ્ચયથી સ્વયં આત્મા તે જ પરમાત્મા છે. તેમાં જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્નત્રયી છે. આત્મામાં અનંતજ્ઞાન અનંતદર્શન અને અનંતચારિત્ર છે. રાગદ્વેષનાં આવરણ હળવાથી રત્નત્રયીને પ્રકાશ થાય છે. રત્નત્રયીના પ્રકાશાથે પરમબ્રહ્મરૂપ પરમાત્મામાં તન્મય થઈ જવું એ જ પરમક્તવ્ય છે. રત્નત્રયી પ્રકાશાથે જે જે કર્મયોગ સાધવામાં આવે છે તે અવબોધ. આત્મામાં તન્મય થવાથી આત્માની જ્ઞાનાદિ શક્તિને પ્રકાશ થાય છે. શુદ્ધનિશ્ચયદૃષ્ટિથી આત્મા તેજ પરમાત્મા છે એવું મહાગીઓના અનુભવમાં આવે છે. આત્માની અનંત જ્ઞાનાદિશક્તિના પ્રકાશ કરવા માટે તન્મય-લયતા આદિ જે જે કરવું તે પરમકર્તવ્ય છે. નામરૂપમાં નામરૂપની અહંવૃત્તિના સ્થાને તેમાં આત્મદર્શન થાય અને નામરૂપની અહંવૃત્તિ ટળે તથા અનંતજ્ઞાનાદિ શક્તિ ખીલે ત્યારે આત્માની તન્મયતા થાય છે ત્યારે આત્માની શકિતને વિકાસ થાય છે. આત્માને આત્મારૂપ દેખ અને રાગદ્વેષની પરિણતિવિના આત્મધર્મકર્મની કર્તવ્યતા સાધવી એ જ પરમ કર્તવ્ય છે. આવી આત્મજ્ઞાનદશાથી તન્મયતા અને તેને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy