________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પાર )
શ્રી કર્મઘોગ ગ્રંથ-સવિવેચન.
કામનાઓને અંત આવે છે, તેને યોગીઓ અનુભવ કરી શકે છે. તે પણ તેઓને બાહ્યકર્મની કર્તવ્યતા છે તે પ્રારબ્ધથી છે એમ અવબેધવું. પ્રારબ્ધથી તીર્થકર બાહ્યકર્તવ્યતાને કરે છે તે પ્રારબ્ધ ભોગવીને ક્ષપાવવા માટે છે. મહાત્માઓ સાધુ યોગીઓ જીવન્મુક્ત થઈને પ્રારબ્ધકર્મવેગે અર્થાત્ અઘાતી કર્મના ઉદયે બાકીની અવશેષ બાહ્યકર્તવ્યતાને કરે છે. પરમબ્રહ્મલીન થવાથી શરીરાદિકની ઉપયોગિતા અને તેની પિષણતા તથા પરોપકારતા વગેરે બાહ્યકર્તવ્યતાને નાશ થતો નથી. પરમબ્રહ્મમાં લીન થએલ મનુભ્યોને શરીરવાણી વગેરેનાં બાહ્ય કર્મો જેમ ઘટે તેમ કરવાં પડે છે પણ પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓનાં બાહ્યકર્મો અને બાહ્ય ચેષ્ટા એક સરખી હોતી નથી. તેમાં બાળજીવોને પરસ્પર વિરોધ દેખાય તેથી કંઈ તેઓની મહાત્મદશામાં ન્યૂનતા થતી નથી. પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓની બાહ્યકર્મપ્રવૃત્તિ એક સરખી હોય એવો સર્વ દેશકાલને અનુસરી નિયમ બાંધી શકાય નહિ અને એમ ત્રણ કાલમાં બની શકે નહિ. પરમબ્રહ્મમાં લીન થએલ કર્મવેગીઓ જ્ઞાનગીઓ પ્રારબ્ધને અનુસરી બાહ્યકર્તવ્યતા કરતા છતા પુનઃ સંસારમાં દુઃખને પામતા નથી. કારણ કે દુઃખને સર્વથા નાશ થયા પશ્ચાતુ પરમાનન્દ પ્રગટે છે તેમાં શાતા અને અશાતાના પ્રારબ્ધભેગથી વિક્ષેપ આવતું નથી. પરમબ્રહ્મલીન મનુષ્યનું પરમક્તવ્ય એ છે કે સર્વ છોને પરમ બ્રહ્મનું સમર્પણ કરવું. પિતાના આત્માને પરમબ્રહ્મનું સમર્પણ જે કરતો નથી તેમજ જે આત્માનું પરમ બ્રહ્મને સમર્પણ કરતા નથી તે અને પરમાનન્દનું સમર્પણ કરવા શક્તિમાન થતું નથી. સર્વ જીને બ્રહ્માનન્દનું સમર્પણ કરવું એ જ વિશ્વની પરમસેવા છે, એ જ પરમદાન છે અને એ જ પરમ પરોપકાર છે. એજ પરમ સ્વધર્મ છે. એ જ પરમભાવદયા છે. અને એ જ પરમભક્તિ છે. આત્મામાં શુદ્ધોપયોગ પ્રકટે છે ત્યારે પોતાના બ્રહ્માનન્દનું પિતાને તથા વિશ્વજીવોને સમર્પણ થાય છે. શુદ્ધપગથી સ્વપરને બ્રહ્માનન્દની પ્રાપ્તિ થાય છે. જ્યાં શુદ્ધ પગ છે ત્યાં સદા આત્માનંદ છે. શુદ્ધપગ છે તે જ આત્માને સાક્ષાત્કાર છે, અશુભપગ અને શુભપયોગ એ બે ઉપયોગથી ભિન્ન શુદ્ધોપયોગ છે. આત્માના શુદ્ધ વાસ્તવિકસ્વરૂપના ઉપયોગને શુદ્ધોપગ કથવામાં આવે છે. પુણ્ય સંબંધી ઉપગને શપયોગ કથવામાં આવે છે અને પાપ સંબંધી ઉપગને અશુભપગ કથવામાં આવે છે. સમ્યકત્વની પ્રાપ્તિ પશ્ચાત શુદ્ધ પગને આવિર્ભાવ થાય છે. આત્માના શુદ્ધગુણોને આત્મસ્વરૂપે દેખવા અને તેના ઉપગી બનવું એ જ શુદ્ધોપયોગ છે. શુદ્ધોપગ એ જ મોક્ષ છે. જ્ઞાનાવરણીયાદિ સકલ કર્મને ક્ષય કરનાર શુદ્ધપયોગ છે. આત્માને આત્મારૂપે અનુભવીને તેના ઉપગના તાનમાં રહી અન્યોને ઉપદેશ૩૫ કર્મ દ્વારા બ્રહ્માનન્દનું સમર્પણ કરી શકાય છે. જે મહાત્માઓ જીવતાં છતાં બ્રહ્માનન્દમય બન્યા નથી તેઓ અન્યને બ્રહ્માનન્દનું સમર્પણ
For Private And Personal Use Only