SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir પરમ બ્રહ્મ(મોક્ષ)નું સ્વરૂપ અવર્ણનીય છે. ( પ૩૧ ) દયાનભાવનાના પ્રેમબળે આત્માને દેખતાં રાગ દ્વેષાદિ આદ્રતાને તુરત સુકવી નાખવામાં આવે છે અને અનન્ત બ્રહ્મને સાક્ષાત્કાર કરવામાં આવે છે. જ્યાં રેવું ત્યાં સુંઢિ-શ્રાપતિ વીર પ્રેમ જ એવી પૂર્ણ દઢ પ્રેમ ભાવનાનું બળ વધે છે ત્યારે આત્માની પ્રભુમય જીવનતા પ્રાપ્ત થાય છે. પ્રભુમય જીવન કરવાને પરમમાર્ગ એ છે કે-સર્વોત્ર સવસ્થાવર જંગમમાં આત્માને દેખીને આત્મરૂપ બ્રહ્મને સાક્ષાત્કાર કરે. આત્માને સાક્ષાત્કાર કર્યાથી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે, દયાન યોગના ઉત્તમ પગથીઆપર પગ મૂકયાથી આત્માને આત્મામાં સાક્ષાત્કાર થાય છે. આત્માનો સાક્ષાત્કાર કરવા માટે યુગના ગ્રન્થને વાંચી ગુમપૂર્વક આત્મધ્યાન ધરવું, યુગદીપકમાં, આત્મપ્રકાશમાં, સમાધિશતકમાં અને પરમાત્મતિમાં આત્માને સાક્ષાત્કાર કરવા માટે ધ્યાનનાં ગુપ્ત રહસ્યોને જણાવ્યાં છે તે ગુરુગમથી અવબોધાય છે. ધ્યાનયોગના પ્રભાવે આત્માને સર્વત્ર જે દેખે છે તે પરમાનન્દને પામે છે પશ્ચાત્ તે જીવન્મુક્ત બને છે. પશ્ચાત્ તે જે કંઈ કરે છે તે પ્રારબ્ધયોગે ફરજ દષ્ટિથી કરે છે. સર્વત્ર આત્મદર્શન કરનાર મહાત્મામાં આનન્દનું ઘેન વહ્યા કરે છે તેવા ધ્યાની મહાત્માઓને અવબોધવવા માટે જેટલાં બાહ્ય લક્ષણા કથવામાં આવે તે એકદેશીય હોવાથી તેનાથી મહાત્માની પરીક્ષા થઈ શકે નહીં. આત્માને સર્વત્ર દેખીને તેનો અનુભવ કર્યાથી વ્યાપકજ્ઞાની કર્મચગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેવા કર્મચગીને પશ્ચાત્ કોઈ જાતનું બંધન થતું નથી. ક્યાનગના પ્રભાવથી પરમાનંદની પ્રાપ્તિપૂર્વક જેઓ પરબ્રહ્મમાં લીન થએલા છે તેઓને કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. પરબ્રહ્મમાં લીન થઈ પરબ્રહ્મ થયા પશ્ચાત્ કંઈ પણ કર્તવ્ય કરવાનું રહેતું નથી–એ દયાનીઓને ધ્યાનકાલમાં સાક્ષાત અનુભવ આવે છે. આત્માનાં લાખો કરોડે અને અસંખ્ય લક્ષણો બાંધવામાં આવે તો પણ આત્મા અર્થાત્ બ્રહ્મસ્વરૂપને પરિપૂર્ણ પાર પામી શકાય નહિ. અએવ ૩૪ત્તત્રણ ઈત્યાદિવડે આત્માનું સ્વરૂપ પ્રતિપાધું છે. આત્માથી બ્રહ્મ ચારૂં છે તેથી મનથી અનેક તર્કોવિતર્કો કરવામાં આવે તો પણ મનથી ભિન્ન એવા અનન્તબ્રહ્મનો પાર પામી શકાય નહિ. જગતમાં અનન્ત આત્માઓરૂપ અનન્ત બ્રહ્મ છે અને તેના અનન્ત અનન્તગુણ છે તેને સર્વજ્ઞ પણ વાણીથી પૂર્ણ પાર પામી શકતા નથી. અનન્તબ્રહ્મની લાખે કરોડો વ્યાખ્યાઓની સિદ્ધિ કરવામાં આવે હોયે અનન્ત બ્રહ્મનું લેશ સ્વરૂપ અનુભવી શકાય છે વા કથી શકાય છે એમ સ્થાય છે. વેદ-ઉપનિષદો અને જૈનાગ નેતિ નેતિ અવશ્ય શબ્દથી આત્મસ્વરૂપના અનંત પારને પામી શકાય નહિ એમ પ્રબોધે છે. સાગરમાં લૂણની પૂતળી ડુબે છે અને સાગરરૂપ બની જાય છે તેમ પરમબ્રહ્મ અર્થાત્ રાગદ્વેષાદિની પેલી પાર રહેલા આત્મસ્વરૂપમાં લીન થએલ યેગીઓ સાધુઓ મહાત્માઓ પરબ્રહ્મનું વર્ણન કરવા સમર્થ થતા નથી. પરમબ્રહ્મમાં લીન થવું એ જ મનુષ્યનું પરમકર્તવ્ય છે તે પૂર્ણ થતાં સર્વ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy