SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમા પર પ્રેમ પ્રકટાવ જોઈએ. (૫૨૯ ). સ્વાત્મોન્નતિ માટે કંઈ કર્તવ્ય બાકી રહેલું નથી તો પણ તેઓને બાહ્ય કર્મકર્તવ્યતા છે તે પ્રારબ્ધકર્મથી છે એમ અવબોધવું. આત્માને બ્રહ્માનન્દનું સમર્પણ કરવું એ જ આ વિશ્વમાં પરમ કર્તવ્ય છે અને તે શુભ કર્તવ્ય આત્મશુદ્ધોપાગવડે યેગીઓથી કરાય છે. વિવેચન–પાત્ર મનુષ્ય ગ્યતાવડે બ્રહ્મજ્ઞાનીની પ્રાપ્તિ કરીને જ્ઞાનની તથા વિરતિની પરિપકવદશાએ મહાત્માઓ બની શકે છે અને તેઓ આત્મજ્ઞાન પામીને ધ્યાન કરી શકે છે. જેટલા પ્રમાણમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તેટલા પ્રમાણમાં આત્મધ્યાન કરી શકાય છે. જ્ઞાનનો પશ્ચાત્ ધ્યાનગની પ્રાપ્તિ થાય છે અને ધ્યાનમાં પશ્ચાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય છે અને તેથી સિદ્ધબુદ્ધ થવાય છે. સર્વ વિશ્વને આત્મસ્વરૂપે દેખવાની ભાવના પ્રથમ તો પ્રકટાવવી. સર્વ આત્માઓ– પિતાના સમાન છે એટલે તે આત્મસમાન આત્મરૂપ છે. સ્થાવર ત્રસજી આત્મસ્વરૂપ છે. જડવસ્તુઓમાં સ્થાપનાનિક્ષેપની અપેક્ષાએ સર્વમાં આત્મભાવના ભાવવી. સર્વત્ર જડવસ્તુઓમાં આત્મભાવના ભાવવાથી અને તેઓમાં આત્માને ત્રાટક ધારણું કરીને દેખવાના ધ્યાનયેગથી આત્મારૂપ પરમપ્રભુની જ્ઞાનશક્તિમાં અનન્તગુણ વિકાસ થાય છે અને તેથી જ પ્રભુમય જીવનની પ્રાપ્તિ થાય છે. પ્રારૂપ પરમાત્મા સર્વત્ર વિલસી રહ્યો છે, તેના વિના અન્ય કશું કંઈ બ્રહ્મરૂપ નથી એમ શાંકરમતાનુયાયીઓ માને છે. રામાનુજાયાયીઓ સર્વત્ર સર્વ જડચેતન વસ્તુઓમાં અન્તર્યામી પરમાત્મા વ્યાપી રહ્યો છે એમ માને છે, શુદ્ધાદ્વૈતવાદીઓ બ્રહ્મના આવિર્ભાવ અને તિરે ભાવરૂપ સર્વ વિશ્વને માને છે, કબીરમતાનુયાયીઓ સર્વત્ર બ્રહ્મને માને છે. મુસલમાને સર્વત્ર ખુદા-પ્રભુનું અસ્તિત્વ સ્વીકારે છે. જેને સર્વત્ર ચતુર્દશ રાજકમાં જીવો તે જ સત્તાએ પરમાત્મા છે તેમ સમષ્ટિરૂપ પ્રભુનું અસ્તિત્વ સ્વીકારે છે. બીદ્ધો સર્વત્ર ચૈતન્ય સ્વરૂપની વ્યાપકતા સ્વીકારે છે એમ અપેક્ષાએ અવકતાં સર્વત્ર આત્મપ્રભુને દેખવાને પ્રથમ પ્રેમ પ્રકટાવો જોઈએ. પ્રભુપ્રેમ, આત્મપ્રેમ, બ્રહ્મપ્રેમ પ્રકટયા વિના કેઈ પણ મનુષ્ય સર્વત્ર પ્રભુની ભાવનામય દષ્ટિથી પ્રભુનું સ્વરૂપ અવલકવા સમર્થ થતું નથી. અએવ પ્રથમ સર્વ યોગ્ય મનુષ્યોએ આત્મા ઉપર શુદ્ધ પ્રેમ પ્રકટાવ જોઈએ કે જેથી સર્વત્ર ભટકતી મનોવૃત્તિને આત્મસ્વરૂપમાં લીન કરી શકાય. પરમવિશુદ્ધ પ્રેમની સાથે આત્મામાં ધ્યાનની સ્થિરતા થાય છે. સબલ બ્રહ્મદષ્ટિની અપેક્ષાએ અવલોકતાં પ્રેમને બ્રહ્મસ્વરૂપ માનવામાં આવે છે. પશ્ચાતુ બ્રહ્મની વિશદ્ધિ થતાં સ્વયમેવ પ્રભુમયજીવન થઈ શકે છે અને તેથી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમ જીવ સમષ્ટિમાં આત્મસ્વરૂપની પ્રબળ ભાવનાથી આત્માને અવલોક્યા વિના અર્થાત્ બ્રહ્મસાક્ષાત્કાર કર્યા વિના કે પ્રભુમય જીવન અર્થાત્ બ્રહ્મજીવનને પ્રાપ્ત કરી શકતો નથી. સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવાની દૃષ્ટિથી રજોગુણ અને તમે ગુણને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy