SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra E www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાનપૂર્વક કર્તવ્ય કરવું. अत एवात्मबोधस्य महिमा लोक उत्तरः । आत्मज्ञानेन कर्तव्या क्रिया दुःखविनाशिनी ॥११५॥ ( ૧૨૩ ) શબ્દાર્થ;—અજ્ઞાનથી સેવ્યમાન કમ પ્રવૃત્તિમાં રાગાદિના પૂર્ણ પ્રાદુર્ભાવ થાય છે અને સેન્યમાન પ્રવૃત્તિમાં જ્ઞાનથી રાગાદિના ક્ષય થાય છે. અતએવ આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાનના લોકોત્તર મહિમા છે--એવુ' અવબેધી આત્મજ્ઞાનવડે દુઃખવિનાશિકા ક્રિયા કરવી જોઇએ. For Private And Personal Use Only વિવેચન—સેવાતી એવી દરેક કર્માંપ્રવૃત્તિયેયમાં મનુષ્યો વગેરેને રાગાદિના ઉત્પાદ થાય છે. જ્યાં સુધી અજ્ઞાનાવસ્થા છે ત્યાં સુધી કાર્યાંની પ્રવૃત્તિયેયમાં ક્રોધ-માન-માયાં અને લાભાદિ દોષો પ્રકટે છે. ક્રોધ--માન-માયા--લાભ--ઈર્ષ્યાદિ દોષના નાશપૂર્વક જે જે પ્રવૃત્તિયા થાય છે તે શબ્દનયની અપેક્ષાએ કમચાગીને સમ્યગ્ પ્રાપ્ત થાય છે. નિર્વિષ સર્પની પ્રવૃત્તિ જેમ અન્યના પ્રાણુનાશાથે થતી નથી તેમ રાગદ્વેષાદ્રિના ઉત્પાદ વિનાનાં કર્મોથી કઢિ ધાવાનુ' થતુ' નથી. રાગદ્વેષરૂપ મનના ઉપર જય મેળવીને આત્માની ફરજની દૃષ્ટિએ ક કરવામાં આવે છે, ત્યારે કર્મપ્રવૃત્તિયાથી બંધાવાનું થતું નથી. રજોગુણ, તમેગુણુ અને સત્ત્વગુણુથી કના ત્રણ ભેદ પડે છે. રજોગુણી કર્મ, તમેગુણી કર્મ અને સત્ત્વગુણી કર્મ, આત્મજ્ઞાનની પ્રાપ્તિથી ગમે તે અવસ્થામાં સત્વગુણુપૂર્વક કર્મ કરી શકાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અને પ્રભુમયજીવન થયા વિના કર્તવ્ય કર્યાં કરતાં રાગાદિના ક્ષય થતા નથી. અજ્ઞાનીઓ કદાપિ રાગદ્વેષ રહિત કમ કરી શકતા નથી. અજ્ઞાનીઓ જે જે કર્મો કરે છે તેમાં 'ધાય છે અને ઉલટું તેના કર્માંથી જગત્ની અશાન્તિમાં વૃદ્ધિ થાય છે. આત્મજ્ઞાન વિના અને પ્રભુમય જીવન થયા વિના કોઇ પણ યાગી, મહાત્મા, સાધુ, ત્યાગી, ગુરુ બની શકતા નથી. પ્રભુમય જીવન થયા વિના જે જે કર્મો કરવામાં આવે છે તેમાં રજોગુણ અને તમેગુણની વૃત્તિ પ્રગટયા કરે છે. રાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, વ્યાપાર પ્રવૃત્તિ, કલાવિજ્ઞાનક પ્રવૃત્તિ, વિદ્યાદિ પ્રવૃત્તિ-આદિ અનેક જાતની કમ પ્રવૃત્તિયેાગમાં અજ્ઞાનથી રાગદ્વેષના પ્રાદુર્ભાવ થાય છે અને તે તે પ્રવૃત્તિયેાથી દુનિયાને તથા સ્વાત્માને પ્રગતિના વેગે વહાવી શકવામાં સ્વયમેવ વિના ઉપસ્થિત થાય છે. અનેક હુન્નરકળાની શોધા કરીને દુનિયામાં વિજ્ઞાનના શિખરે પહેાંચી શકાય તથાપિ રાગદ્વેષના પ્રકટ ભાવ છે ત્યાં સુધી સુખમયજીવન–પ્રભુમયજીવન અની શકવાનું નથી, અને દુનિયાને ખરી શાંતિ મળવાની નથી, દુનિયાના મનુષ્યામાંથી રોગુણવૃત્તિ જે જે અંગે ટળે છે તે તે અંશે આત્મસુખશાંતિના પ્રાદુર્ભાવ થાય છે. આત્માના અનન્તજ્ઞાન પ્રકાશ વધારીને તેને પ્રભુમયજીવનવાળા બનાવી આખી દુનિયાના કર્માંની પ્રવૃત્તિ કરવામાં આવે તે તેથી અલ્પહાનિએ સ્વને તથા દુનિયાના જીવાને અનન્તગુણ સુખશાન્તિને લાભ સમપી
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy