________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૨ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
!
પવૅક
પ્રવૃત્તિ સેવવામાં આવતી હોય છે તેથી સ્વમાં તથા સ્વવંશજાતિસંઘપરંપરામાં ક્રિયાજડત્વની વૃદ્ધિ થાય છે. જ્ઞાન વિના દીવાર, જાદા રાવત નારા લાદો તો જાવ, ઐત તો વાસ છે જ્ઞાન વિના કર્મની આવશ્યકતા અવબોધાતી નથી. વિર પ્રવૃત્તિ કરીને ઈંગ્લાંડ તથા જર્મનીના વિદ્વાનોએ અનેક જાતની શોધ કરી છે કે જેથી તેઓ સુધરેલી દુનિયામાં અગ્રગણ્ય ગણાય છે. આપણે જે જે કર્મો કરીએ છીએ તેનું ચારે તરફથી સ્વરૂપ અવધવું જોઈએ. ગાડાંની પેઠે પ્રવૃત્તિ કરવાથી કંઈ આત્મોન્નતિ થઈ શકતી નથી. સંમૂછિમની પેઠે પ્રવૃત્તિ કરવાથી આત્મજ્ઞાનને વિકાસ થતું નથી અને અનેક પ્રકારની તાત્વિક શો કરી શકાતી નથી. મહાભારત યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જુનને સર્વથી મહાન ખાસ જ્ઞાનની આવશ્યકતા સમજાવી હતી. ભારતની પડતીમાં અજ્ઞાનપૂર્વક કિયાએ મેટે ભાગ ભજવ્યું છે. જેની પડતીમાં ગતાનુગતિક ગાડરીયા પ્રવાહથી અંધક્રિયાઓ માટે ભાગ ભજવ્યો છે. વેદિયાં ઠેરની પેઠે સમજ્યા વિના પ્રવૃત્તિ કરવાથી ઘાંચીની ઘાણીના બળદની પેઠે જ્યાંના ત્યાં રહેવાય છે. મદનીયાની મહેકાણની પેઠે સમજ્યા વિના ક્રિયા કરવાથી આત્માની હાંસી થાય છે. દેવસી રાઈસીના ખમાવવાની પેઠે કિયાનાં રહસ્ય અવબોધ્યા વિના કિયા કરવાથી કુફલ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાનપૂર્વક ધાર્મિક તથા સામાજિક ક્રિયાઓ કરવાથી આન્નતિના શિખરે આરહી શકાય છે. આર્યાવર્તના મનુષ્યોએ તથા વિશ્વવર્તિ સર્વ મનુષ્યએ જે જે કર્મ આદર્યા હેય વા આદરવાનાં હોય તેનું સમ્યકુ સ્વરૂપે પ્રથમથી જાણવું જોઈએ. દેખાદેખી સાધે યોગ, પડે પિંડ કે વાધે રેગ-દેખાદેખી કરવા જાય, મૂર્ખશિરોમણિ તે કહેવાય-ઇત્યાદિક કિંવદન્તીથી પ્રત્યેક મનુષ્ય જ્ઞાન પૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રભુની પ્રાપ્તિ પણ પ્રભુનું પૂર્ણ સ્વરૂપ અવબોધ્યા વિના ફક્ત ક્રિયા કરવા માત્રથી થવાની નથી. ગાડરીઆ પ્રવાહ પ્રમાણે કર્મો કરીને મનુષ્ય દુઃખી થાય છે તેના અનેક દૃષ્ટાંત મજુદ છે. મનુષ્યએ કર્મપ્રવૃત્તિનું પૂર્ણ સ્વરૂપ અવબોધ્યા વિના ઘણું ખાયું છે અને જે વર્તમાનમાં હજી અધકિયાજડે રહેશે તેઓ ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે નહીં. જ્ઞાન વિનાની કર્મ પ્રવૃત્તિમાં અનંત દુઃખ છે તેને નાશ કરવો હોય તો ગતાનુગતિક્તાની ટેવ ટાળી જ્ઞાનપૂર્વક પ્રત્યેક કર્મ કરવાં જોઈએ.
અવતરણકર્મ પ્રવૃત્તિમાં રાગ અને વિરાગતાનું કારણ દર્શાવે છે અને આત્મજ્ઞાનપૂર્વક કર્મ કરવાં જોઈએ એ દઢ નિશ્ચય કરાવવામાં આવે છે.
श्लोको सेव्यमानप्रवृत्तौ हि रागादीनां समुद्भवः । भवत्यज्ञानतस्तूर्ण ज्ञानाद् रागादिसंक्षयः ॥११४॥
For Private And Personal Use Only