SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર૦ ) શ્રી કર્મમ ગ્રંથ-સવિવેચન. જ્ઞાનના અનન્તવર્તુલની સાથે આચારનું અનન્તવર્લ્ડલ સમષ્ટિપરત્વે ભાસે છે પરંતુ વ્યકિતગત વ્યષ્ટિ પર તે તે સંકીર્ણવર્તુલ દેખાવ આપે છે. બ્રહ્મના અનન્તવતુંલને અનુભવ પામ્યા પશ્ચાત્ ગવાશિષ્ઠાદિ ગ્રન્થોએ પ્રતિપાદિત વૃત્તિના શુભાશુભત્વના સંકીર્ણવલજન્ય આચારની પ્રવૃત્તિમાં કર્મયોગી ફરજધર્મવિના એકાન્ત બંધાતો નથી. શુભાશુભ પરિણામને શુભાશુભવૃત્તિ કથવામાં આવે છે. અનન્તબ્રહ્મની અગ્રે શુભાશુભવૃત્તિ તે બુદ્દબદની ઉપમાને પામે છે. શુભાશુભવૃત્તિમાંથી અહમમત્વ ટળવાની સાથે અને એવા નિશ્ચયની સાથે અનન્તબ્રહ્મષ્ટિથી કર્મયોગી પ્રવૃત્તિ કરે છે અને બાહ્યથી સર્વ વિચારેને અને આચારોને સંબંધ છતાં અન્તરમાં મુક્તત્વને અનુભવ કરે છે. બ્રાહ્મણે ક્ષત્રિય વૈ શુદ્ર ત્યાગીએ ગુરૂઓ ધર્માચાર્યો ઉપર્યુક્ત ભાવ પ્રમાણે શુભાશુભ પરિણામથી મુક્ત થઈ સ્વાધિકારે સર્વ કર્મને કરે છે પણ તેઓ સંશયી નહિ હોવાથી સ્વાત્માને નાશ કરી શકતા નથી એવું અવધાવીને શ્રી સ્વશિષ્ણ ભક્તને કથે છે કે-હે શિષ્ય ! તું આત્મસ્વરૂપને સર્વનયની દૃષ્ટિએ સાક્ષાત્કાર કરીને યથાગ યથામતિ શક્તિથી સ્વાધિકાર નિશ્ચિત કર્મમાં પ્રવૃત્તિ કર ! ! ! મન વાણી અને કાયને એ ધર્મ છે કે ક્ષણે ક્ષણે કઈ પણ જાતની પ્રવૃત્તિ કર્યાવિના રહેવાનાં નથી. જે શુષ્કજ્ઞાનીઓ મહન્ત સને નિષ્ક્રિય થઈને પડી રહે છે તેઓ પણ મન વાણી અને કાયાની આહારપાનાથે કઈ પણ જાતની કર્મપ્રવૃત્તિ કર્યા વિના રહેતા નથી તે પછી અન્ય શું બાકી કહેવું જોઈએ ? તૈમ-ખંત્ર-૨થવદાર-ગુરૂત્ર-રાકના મિત્ર અને ઇવમૂત એ સાત નયના સાતસે ભેદો થાય છે બલકે અસંખ્ય ભેદે થાય છે. અનન્તજ્ઞાન વર્તલ અર્થાત કેવલજ્ઞાનરૂપ અનન્તવર્ધલની એકેક નય તે એક એક અંશભૂત વર્તનની દૃષ્ટિ છે. સર્વને સ્વસ્વભિન્નદૃષ્ટિથી એક વસ્તુ સંબંધી વિચારોને પ્રતિપાદે છે. સર્વનોથી એક વસ્તુનું સમ્યગું પરીક્ષણ થાય છે. સર્વનયથી આત્મતત્વને અનુભવ કર્યા વિના એકાન્ત સંકીર્ણ દુરાગ્રહ વર્તુળમાં પાત થાય છે અને તેથી અન્યજ્ઞાન દષ્ટિથી માનેલા ધર્મોનું અજ્ઞાન રહેવાથી રાગદ્વેષના પક્ષપાતમાં પતિત થવાય છે. અતએ સર્વ નાની અપેક્ષાએ અનન્તજ્ઞાન દૃષ્ટિથી આત્મસ્વરૂપ અવધતાં સર્વદર્શનેમાંથી સત્યસાર ખેંચી શકાય છે અને અનન્તજ્ઞાનવર્સેલમય થઈ જવાય છે. સાતે ને અને તેના સાતસે ભેદેથી આત્માનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી સ્વરૂપ અવબંધાય છે. સર્વનયની દૃષ્ટિથી આત્મસ્વરૂપ અવધતાં બૌદ્ધ, સાંખ્ય, વેદાન્ત, વૈષ્ણવ, ખ્રીસ્તાદિ એક એક ધર્મના વાડામાં પતિત થવાનો સંભવ રહેતો નથી અને ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ પર રાગ દ્વેષને પરિણામ થતું નથી. સ્યાદ્વાદદર્શન એ વસ્તુતઃ અનન્ત વર્તુલ છે, તેથી તેના સમ્યગજ્ઞાતાઓ સર્વ દર્શનેની સર્વદષ્ટિથી આત્મસ્વરૂપ અવબોધીને શુભાશુભ પરિણામની સંકીર્ણતાને ત્યાગ કરી અનન્ત બ્રહ્મસ્વરૂપમય બની સ્વાધિકાર કાર્યોને કરે છે; માટે હે શિષ્ય ! ! ! તું ગુરુમુખથી તે બાબતને નિર્ધાર For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy