________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મયોગીની ફરજ.
( ૧૧
)
કલ્પના પણ પહોંચી શકતી નથી. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્રાદિ જાતિમાં સ્થિત તથા બ્રાહ્મ
દિવર્ણકમમાં સ્થિત કર્મચાગીઓ આત્મજ્ઞાનબળે શુભાશુભ પરિણામ વિના સ્વાધિકારથી બાહ્યકર્તવ્ય કાર્યોમાં પ્રવર્તે છે તેથી તેઓને કઈ કર્મોને લેપ થતું નથી. જે જાતમાં ઉત્પન્ન થએલે મનુષ્ય હોય તે આત્મજ્ઞાન પામીને નાતજાતના વ્યવહારથી તે તે જાતિસ્થિત કમેને કરતે છતા નિલેપ રહી શકે છે. શુભાશુભ પરિણામથી પુણ્ય અને પાપને બંધ છે. આ વિશ્વવર્તિ પદાર્થોમાંથી શુભાશુભત્વ કલ્પના નષ્ટ થયા પશ્ચાત્ પુણ્યપાપને કાષાયિકબંધ થતું નથી. શુભાશુભ પરિણામવિના આત્માની સમતલતા સંરક્ષી કર્મો કરવાથી કર્મને લેપ લાગતું નથી. આત્મામાં જે બાહ્યવસ્તુઓ નિમિત્તે શુભાશુભ પરિણામ ઉત્પન્ન ન થતું હોય તે પશ્ચાત્ કર્મ પ્રવૃત્તિમાં બીકણ બનવાથી વ્યાવહારિક ફરજ અર્થાત્ ધર્મને નાશ થાય છે અને તેથી ભવિષ્યમાં ઉત્તમ કામગીઓ થવાનાં કારોને બંધ કરવામાં કારણભૂત બનવું પડે છે. શુભાશુભ પરિણુમવિના બ્રાહ્મણદિ મનુષ્યને એકદમ કઈ કર્મ દેડીને આવી વળગી પડતું નથી અને કઈ પ્રભુ પણ એ નથી કે જે શુભાશુભ પરિણામવિના આત્મામાં કર્મ ઘુસાડી દે. બાહ્યપ્રવૃત્તિરૂપ કર્મ જુદા પ્રકારનું છે અને આત્માને લાગતું જ્ઞાનાવરણીયાદિ કર્મ જુદા પ્રકારનું છે. શુભાશુભ પરિણામવિના ફક્ત ફરજરૂપ ધર્મની અપેક્ષાએ કમગીઓ બાહ્યકર્મોને કરે છે તેથી તે વર્તમાનદેહે તે તે અંશે મુક્ત છે અને તેથી તેઓ વ્યવહારધર્મથી ભ્રષ્ટ થતા નથી. આત્મશક્તિઓને વિકાસ કરીને તેઓ શુભાશુભ પરિણામરૂપ કર્મથી મુક્ત થઈ જગના કલ્યાણાર્થે ગમે તે પ્રવૃત્તિ કરી શકે છે. તેઓ કઈ પણ વૃત્તિના અને આચારના ધર્મથી મર્યાદિત થઈ સંકીર્ણ થતા નથી. આત્માનું યાને બ્રહ્મનું અનંત વર્તુલ છે તેવું તેઓ અવબોધીને અમુક વિચારના અને આચારના સંકીર્ણ વર્તેલમાં એકાને બંધાઈ જતા નથી. તેઓ સર્વ વિચારમાં અને સર્વ આચારમાં સ્વતંત્ર રહીને કર્મગીની ફરજ અદા કરે છે. તેઓ ભૂતના વિચારોમાં અને આચારમાં એકાન્ત બંધાઈ જતા નથી. તેમજ વર્તમાનકાલીન વિચારોમાં અને આચારમાં એકાન્ત સંકીર્ણ જ્ઞાનવર્તુલથી બંધાઈ જતા નથી. તેઓ ભવિષ્યના વિચારોનાં અને આચારોનાં સંકીર્ણ વર્તેલમાં બંધાઈ જતા નથી. તેઓ જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર અને તપઆચારના અનન્ત વિચાર તથા આચારના સર્વદેશીય વર્તુલથી સંબંધિત થઈને કર્મવેગની પ્રવૃત્તિને આદરે છે તેમાં તેમને અજ્ઞમનુષ્ય નિંદે તેથી તેઓ કઈરીતે સંકેચ પામતા નથી. જ્ઞાનીઓના અને અજ્ઞાનીઓના, કર્મયોગીઓના, શુષ્ક રોગીઓના વિચારોમાં અને આચારોનાં વર્તુલેમાં સંકીર્ણ દષ્ટિવર્તુલે અને અનન્તદૃષ્ટિવર્તુલે બૃહદુ તારતમ્ય અવબોધાય છે. જે આચારો અને વિચારે મર્યાદિત છે તે એકદેશીય હોવાથી તે અનન્તવર્તુલના એક અંશભૂત છે પરંતુ તેમાં જ્ઞાન અને આચારના અનન્તવર્નલને સમાવેશ થતો નથી,
For Private And Personal Use Only