________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
આત્માનુ" વાસ્તવિક સ્વરૂપ,
( ૧૧૩ )
બળથી સર્વત્ર અસ્ખલિત બ્રહ્મષ્ટિથી સર્વ અવલેાકાય છે અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યના ખળથી સર્વત્ર નિર્માંહભાવથી આચરણ થાય છે તેથી મમત્વસંધ્યાનપૂર્વક કમ યાગીની ફરજ અદા કરી શકાય છે, અને યોગ્ય કાર્યાં છતાં સહજાનન્દના રસપૂર્વક બાહ્ય જીવનથી અને અન્તર અનંત જીવને જીવીને અનન્ત પ્રભુમય જીવનસાગરમાં તન્મય બની શકાય છે.
અવતરણઃ—અહંમમત્વરહિત બ્રહ્મજ્ઞાની આત્માનું વાસ્તવિક કેવું સ્વરૂપ અવલાકે છે ? તે જણાવે છે.
श्लोकौ
जायते म्रियते नात्मा शुद्धनिश्चयतः सदा ।
न विद्यते पुनर्जन्म शुद्ध ब्रह्मणि वस्तुतः ॥ १०६ ॥ सदा ज्ञानप्रकाश्यात्मा सर्वज्ञेयप्रकाशकः । उत्पत्तिव्यययुक्तात्मा शुद्धधर्मक्रियायुतः ॥ १०७ ॥
શબ્દાર્થ—શુદ્ધનિશ્ચયતઃ આત્મા સદા ઉત્પન્ન થતા નથી અને મરતા નથી. શુદ્ધનિશ્ચયથી વસ્તુતઃ આત્મામાં પુનર્જન્મ નથી. સદા સર્વજ્ઞયપ્રકાશક જ્ઞાનપ્રકાશી આત્મા છે. પર્યાયાર્થિક દૃષ્ટિથી ઉત્પત્તિવ્યયયુક્ત આત્મા છે અને દ્રવ્યાર્થિક દૃષ્ટિથી ધ્રુવસ્વરૂપી આત્મા છે. શુદ્ધધર્મક્રિયાયુત આત્મા છે.
વિવેચનઃ—શુદ્ધ નિશ્ચયષ્ટિથી અવલેાકતાં આત્મા ઉત્પન્ન થતા નથી અને મરતે નથી. જૈનાગમમાં વેદોમાં ઉપનિષદોમાં અને પુરાણામાં આત્માને અજરઅવિનાશી કથ્યા છે. આત્માની આદિ નથી અને અન્ત નથી. જેની આદિ નથી તે અનાર્ કહેવાય છે અને જેના અંત નથી તે અનન્ત કથાય છે. અનાદિ અનંત આત્મા છે તેથી તે ત્રણ કાલ ધ્રુવ છે. આત્માના મૂલ દ્રવ્યસ્વરૂપમાં કાપ ફેરફાર થતા નથી. દેહને જન્મ જરા અને મરણુ છે. દેહના અને આત્માના સંબધ હોવાથી અજ્ઞાની લેાકે આત્મામાં જન્મ જરા અને મરણની કલ્પના કરે છે. શરીરરૂપ વસ્ત્રને જન્મ અને વ્યય થયા કરે છે. આત્માના જન્મ અને મરણ થાય તે આત્મા ક્ષણિક થઈ જાય અને તેથી ધર્મની અધર્મની વ્યવસ્થા ટળી જાય. આત્માની નિત્યતા ન હોય તે ધર્મની આવશ્યક્તા સિદ્ધ ઠરી શકે નહિં. આત્માની નિત્યતા સંબધી અનેક શાસ્ત્રોમાં યુક્તિયેાપૂર્વક ઘણું લખવામાં આવ્યું છે. આત્માની રાગદ્વેષ પરિણતિથી જન્મ જરા મરણની “ણિ પ્રગટયા કરે છે. દેહુ
૫
For Private And Personal Use Only