________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૦૬ ).
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
તથાપિ આન્તર દષ્ટિએ તે આત્મત્કાન્તિવડે ઉચ્ચ હોય છે અને તે પરમાત્મપદપ્રાપ્તિને અધિકારી બનેલો હોય છે. યોગીઓ બાહ્યતઃ ભિક્ષુક મલિન જેવા દેખાય છે પરંતુ તેઓ આત્મત્કાન્તિમાં સર્વતઃ અગ્રગામી હોય છે એમ આન્તરિક ગુણવડે અનુભવ કરતાં અવબોધાય છે. આત્મત્કાન્તિના શિખર પર આરોહવાને આપાગી મનુષ્ય કર્તવ્ય કાર્ય કરતે છત અધિકારી બને છે. આત્મપયોગી જ્ઞાનીને જ્યાં સુધી પરોપકારાદિ કાર્યો કરવાને તના જીતક૯૫વ્યવહાર છે ત્યાં સુધી તે પ્રવૃત્તિ કરે છે તેમાં તેના આત્માની ઉન્નતિ અને અન્ય મનુષ્યની ઉન્નતિ સમાયેલી છે એમ અવધવું. કરે: મણ અફીણને વ્યાપાર કરનાર વ્યાપારી કંઈ સાવચેતીથી પ્રવર્તત છો અફીણથી મૃત્યુ વા ભય પામી શકતો નથી, તદ્વત્ આત્મજ્ઞાની આત્મા પગે આવશ્યક પ્રવૃત્તિ કરતો છતે કર્મરસથી રસાતે નથી એમ અનુભવી સ્થિર પ્રજ્ઞાથી પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી અને ચલચિત્ત શંકાદિ દોષને દૂર કરવા. ઉપર્યુક્ત બાબતને અનુભવ કર્યા પશ્ચાત્ સ્થિર પ્રજ્ઞાને ધારણ કરવી જોઈએ. અસ્થિરપ્રજ્ઞાવાળા મનુષ્ય ઉપર્યુક્ત બાબતને જાણે છે, છતાં અલ્પવીર્ય અને અસ્થિરબુદ્ધિથી કાર્યપ્રવૃત્તિમાં ડામાડોળ સ્થિતિને ધારણ કરી ધોબીના ધાનની પેઠે ઘરના નહિ અને ઘાટના નહિ એવી ઉભયભ્રષ્ટ દશાને ધારણ કરી સંસાર વ્યવહારમાં અવગતિપાત્ર બને છે, તેથી તેઓ આજીવિકાદિ દશામાં ચલચિત્ત વિકલ્પસંકલ્પદશાવાળા બને છે. તેથી ઘાંચીના બળદની પેઠે જ્યાંના ત્યાં રહે છે અને કષાય પરિણતિથી રહિત બની શકતા નથી. અતએ આજીવિકાદિનાં સાધને પૂર્ણ કરવાને સંસારમાં જ્ઞાનીએ આપયોગી બનીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. પરંતુ ઉભયતો બ્રણ દશા થાય એવી અસ્થિરપ્રજ્ઞાથી ચંચલદશાને આધીન ન થવું જોઈએ. આજીવિકાદિ કાર્યોની પ્રવૃત્તિ વડે તેઓની સિદ્ધિ કર્યા વિના આજીવિકાદિ પ્રવૃત્તિને ત્યાગ કરવાથી કષાયભાવ ઘટતો નથી અને તેમજ વિકલ્પ સંક૯પ દશાવડે કર્મરસથી ફસાવાનું થાય છે અને આત્મપયોગથી પણ ભ્રષ્ટ થવાય છે. માટે આત્મજ્ઞાનીએ આજીવિકાદિ કર્તવ્યવ્યવહારપ્રવૃત્તિથી ભ્રષ્ટ ન બનવું જોઈએ; પરન્તુ આત્મપયોગી કર્તવ્યપ્રવૃત્તિ સેવવી જોઈએ. આત્મપયોગવાળી આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિને સેવતાં કર્મરસથી નિર્લેપ દશા રહે છે. આપાગી શુભાશુભ પ્રારબ્ધ વેદનીયને ભગવતે છતે કાયાદિકને પરોપકાર કાર્યોમાં વાપરીને આત્મપ્રગતિ કરી શકે છે. પરોપકાર કરવાની પ્રવૃત્તિને સેવવી જોઈએ અને એ પ્રવૃત્તિયેગ ધારણ કરવો જોઈએ
ની કેઇનાથી ના પાડી શકાય તેમ નથી. પરોપકાર કરે એ આવશ્યક કર્તવ્ય છે. પરોપકારક આવશ્યક કાર્યો કરવાની નિજફરજને સ્વાધિકારે કરવામાં શુષ્ક જ્ઞાનને આગળ કરી નિષ્ક્રિય બનવાથી આત્મપ્રગતિ થઈ શકે તેમ નથી. અતએ જ્ઞાનીઓએ પરોપકારાદિ આવશ્યક કર્તવ્ય કરવાની નિજફરજને આપાગતઃ કરવી જોઈએ. આવશ્યકપરોપકારાદિ કર્તવ્ય કાર્યો કરવામાં મન વચન અને કાયાની યેગશક્તિ વાપરવાથી આત્મપ્રગતિમાં
For Private And Personal Use Only