SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૦ ) શ્રી કમ યાગ ગ્રંથસવિવેચન. અને અદશ્ય પદાર્થાંમાં પરમાત્મતાની ભાવના ધારણ કરે છે તેથી તેનામાં પરમાત્મભાવના સસ્કારે। દૃઢ થવાની સાથે બાહ્ય કાર્ય પ્રવૃત્તિમાં તેનું નિલે પત્વ પણ વધતુ જાય છે. આત્મજ્ઞાની જે જે દેખે છે, જે જે સ્મરે છે, જે જે સાંભળે છે, જે જે સુંઘે છે, જે જે ખાય છે અને જે જે સ્પર્શે છે, તે સર્વમાં પરમાત્મરૂપ ધ્યેય ભાવના એક તાર પેાતાના હૃદયની સાથે હોવાથી તેનાથી રાગ દ્વેષ વૃત્તિના સંસ્કારા નિખલ થઇ ટળતા જાય છે અને પરમાત્મપદપ્રાપ્તિના સસ્કારે દૃઢ થઈ પરમાત્મપદ સન્મુખ થતા જાય છે. જ્યાં દેખું ત્યાં ત્યાંહિ તુદ્ધિ તુહિ એવી પરમબ્રહ્મ ભાવનાની રઢ લાગવાથી બાહ્ય નામરૂપ વૃત્તિયેાનાં સર્વ બંધનોને હૃદય સાથેના સંબંધ છૂટી જાય છે અને પરમાત્મપદ રિત પ્રાપ્ત થાય છે, સર્વત્ર સÀામાં પરમાત્મધ્યેયની ધૂન લાગવાથી દૃશ્ય પદાથે†માં રાગાદિક વૃત્તિને સંબંધ રહેતા નથી. જે જે કન્ય કાર્યાં કરવાનાં હોય તેઓમાં પરમામતાની ભાવના ભાવનાર મનુષ્ય કર્તવ્યકાય કરતાં રાગાદિ ભાવથી લેપાઈ શકે નહિ એ મનવા ચેાગ્ય છે. સ્વપર સમાં પરાત્મતાષ્ટિ જેની થઇ છે તે કન્યકાર્યોમાં લેપાય નહી. બાહ્ય કાર્યોંમાં એવી શક્તિ નથી કે જે મનુષ્યની સત્ર પરાત્માધ્યેય દૃષ્ટિ થઈ છે તેને લેપાયમાન કરી શકે. આત્માથી ભિન્ન રહેલ જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલ સ્કંધામાં પણ એવી શક્તિ નથી કે જે એકદમ રાગદ્વેષની વૃત્તિ વિના સત્ર પરાત્મતા મરીને કાર્ય કરનારને લાગી શકે. સર્વત્ર કાર્ય પ્રવૃત્તિમાં બ્રહ્મષ્ટિવાળાને કોઇ જાતની કર્મ બંધપ્રવૃત્તિ વસ્તુતઃ નથી એવી રીતે માની સ્વકર્તવ્યને અદા કરે છે. આ વિશ્વનું સર્વતંત્ર ચલાવે તે પણુનિલે ૫ રહે એવી તેનામાં શક્તિ ઉત્પન્ન થાય છે તેથી તેને સલેપ થવાને કાઇ કાર્ય પ્રવૃત્તિમાં ભય રહેતા નથી. સર્વ દૃશ્ય જડ પદાર્થાંમાં શુભાશુભ પરિણામથી જે મુક્ત થએલ છે એવા આત્મજ્ઞાની સંસારની વૃદ્ધિ કરતા નથી. નામરૂપના સંબધે ઉપજેલી ક વ્યવ્યવહારપ્રવૃત્તિને જે શુભાશુભ પરિણામ વિનાના સ્વાધિકારે ફરજ માની કરે છે તેને જડ ધા આ સંસારમાં બંધન માટે થતા નથી. શુભાશુભપરિણામમાં સત્ત્વગુણુ રજોગુણુ અને તમેગુણના સમાવેશ થાય છે. શુભાશુભ પરિણામ વિના નામરૂપ સંબંધેના જે જે કાĆને સ્વાધિકારે જે જે મનુષ્ય કરે છે તે તે મનુષ્યા ગમે તે જાતના હાય તે પણ તેઓ સ`સારબંધનોથી બંધાતા નથી. સર્વાં દૃશ્ય પદાર્થાંમાં શુભાશુભપરિણામ જેના નથી તે સામ્યભાવી આત્મા કહેવાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા પરમાત્મરૂપ અન્તરથી અને છે તેથી તે જે જે કઈ કરે છે, ખેલે છે તેમાં તે નિષધ રહે છે અને તેની કર્તવ્ય પ્રવૃત્તિથી જગને અનન્તગુણુ ઉપકાર થાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા કાયાદ્રિક યેાગદ્વારા હિંસા કરે તથાપિ તેને ગંગા નદીમાં ખુડનારા અને અકાયાદિની હિંસાને બાહ્ય કાયયેાગથી કરનારા મુનિની પેઠે અન્તરમાં કેવલજ્ઞાન પ્રકટાવવા કેાઇ જાતને આન્તર વિરાધ આવતા નથી. ગંગાનદી ઉતરતા એક મુનિને એક દેવીએ ત્રિશુલ મારી જલમાં છુડાવ્યા. For Private And Personal Use Only 5
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy