SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯૦ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ઉપર્યુક્તભાવ પ્રમાણે આત્મદશામાં મસ્ત બનીને બાહ્ય વ્યાવહારિક કર્તવ્ય કાર્યોને પ્રારબ્ધાદિક વેગે કર્યા કરે છે. આત્મજ્ઞાનીની આન્તરિક દશા ઉપર પ્રમાણે થવાથી તે બાહ્ય કાર્યોને કરે છે છતાં તે બાહ્ય કાર્યોને તેના આત્માની સાથે સંબંધ રહેતી નથી. આત્મિજ્ઞાન શુષ્ક માટીના ગોળા જેવો હોવાથી તેને બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં કઈ પણ નિમિત્તવડે લેપાવાનું નથી—ચીકણ અને આદું માટીને ગળો ખરેખર ભીંત સામો પછાડવાથી ભીંતની સાથે તેને કેટલેક ભાગ ચુંટી રહે છે, પરંતુ શુષ્ક મૃત્તિકાને ગળો ચેટી રહેતું નથી. એ સર્વ મનુષ્યને અનુભવ છે; તેથી તે દૃષ્ટાન્તપૂર્વક આત્મજ્ઞાનની દશા સમજવામાં કઈ જાતને સાપેક્ષદષ્ટિએ વિરોધ આવતો નથી. આત્મજ્ઞાની બાહ્યમાં શુભાશુભ કલ્પનાને નહિ માનતો હોવાથી તે શુભાશુભ પરિણામથી ન બંધાતાં બાહ્ય કર્તવ્ય કાર્યો કરવાનો અધિકારી બની વિશ્વજીના સંબંધમાં આવી વિશ્વને તારક બની શકે એમાં કંઈપણ આશ્ચર્ય નથી. તેતા અને નિન્દકપર જેનો સમાન ભાવ છે એ આત્મજ્ઞાની બાહ્ય કર્તવ્ય કાર્યોને કરતો છત અન્ય મનુષ્યના સંસર્ગથી લેપાતો નથી; તેથી તે જ ખરેખરો કર્તવ્ય કાર્ય કરવાને અધિકારી બને છે. સ્તોતાપર હર્ષ અને નિન્દક પર દ્વેષ થયા વિના ન રહે એવી બાલ મનુષ્યની દશા હોય છે. નામ અને રૂપમાં શુભાશુભભાવે મુંઝાયેલા અજ્ઞાની મનુષ્ય કર્તવ્ય કર્મો કરતાં છતાં એક પર રાગ અને અન્ય પર દ્વેષ ધારણ કરીને મુંઝાઈ જાય છે-એમ અનુભવમાં આવે છે. પરન્તુ આત્મજ્ઞાની કે જે તેના પર અને નિન્દક પર સમભાવદશાવાળ બની ગમે છે અને નામરૂપની માયાદેવીની ભ્રમણાથી જે વિમુક્ત થયેલ છે તે જે જે કર્તવ્ય કાર્ય કરે છે તેમાં તે રાગદ્વેષથી મુક્ત હોવાથી સ્તોતાના અને નિન્દકના સંબંધમાં આવતાં છતાં સંસારમાં કઈ પણ સ્થાને મુંઝાતો નથી. તેમજ નામરૂપમય પૂલ વ્યવહાર વ્યક્તિ સંબંધે સ્થલ બુદ્ધિવાળા અને નામરૂપની માયાની દષ્ટિને ધારણ કરનારા તરફથી માન મળે તે પણ તે રતિ પામતો નથી અને અપમાન મળે તે પણ તે અરતિ પામતે નથી; કારણ કે નામ રૂપના માનપમાનની દૃષ્ટિથી બહિર થઈ સાક્ષીભૂત બનીને તે નામરૂપમાં કંઈપણ આમત્વ ન પ્રેક્ષતાં ફક્ત વ્યવહાર સંબંધે બાહ્ય કર્તવ્યને કરે છે. આમ જ્ઞાની ખરેખર નામરૂપના માયાના પ્રદેશમાં માનાપમાનની વૃત્તિથી મુક્ત થએલો હોવાથી તે બાહ્ય કર્તવ્ય કર્મ કરવાને નિર્મુક્ત છતાં પ્રારબ્ધાદિક યોગે નિર્મલપણે પ્રવૃત્તિ કરનાર હોવાથી અધિકારી ઠરે છે. અવતરણ–જ્ઞાની કેવી રીતે સ્વાત્માને માની કર્તવ્ય કાર્યને આચરે છે તે જણાવે છે. T: निरञ्जनं निराकार-मरूपं निष्क्रियं प्रभुम् । મત્રાડડરમા જમાન રવીવાર્થ સમારેલૂ ૮૮ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy