________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮ )
શ્રી કમયાગ ગ્રંથ–વિવેચન.
જ્ઞાનીને પ્રારબ્ધ કર્મ સંગતિથી બાહ્ય પ્રવૃત્તિ થાય છે; અને તે તેને સ્વાધિકારે ખાર્થે વ્યવહાર કર્તવ્ય ધર્મ થાય છે. આત્મજ્ઞાની શાતા અને અશાતા એ બન્નેમાં વ્યવહારે વિષમપણું છે, છતાં પણ તે આધ્યાત્મિકષ્ટિ પ્રતાપે બન્નેમાં સમાનતા માનીને તેમજ માન અને અપમાનમાં સમાનતા માનીને તથા સ્તાતા અને નિન્દકમાં સામ્ય માનીને કાર્યને માહ્યાધિકારે કરે છે.
વિવેચન:--આ પ્રમાણે શબ્દાર્થ કથીને હવે વિશેષાથ કંઇક કથવામાં આવે છે, જે આત્મજ્ઞાનીને કોઇ બાહ્ય કાર્ય કરવામાં લાભ દેખાતા નથી અને ન કરતાં અલાભ દેખાત નથી એવા આત્મજ્ઞાની શરીરમાં રહેલા છતાં નિશ્ચયતઃ શરીરમાં નથી એમ અવધવું. બાહ્ય કાર્ય કરવામાં જેને લાભ હાનિની દૃષ્ટિ ટળી ગઈ છે અને શરીરમાં છતાં દેહાધ્યાસ જેના ટળી જવાથી વૈદેહ-અવસ્થા થઇ ગઇ છે તે સ્થૂલ દેહમાં છતાં સ્કૂલ દેહમાં નથી અને તેમજ જગમાં છતાં જગમાં નથી. જગત્ની ષ્ટિએ જેવા ખાહ્યાથી દેખાય છે તેવા તે નથી. એવા આત્મજ્ઞાનીને બાહ્ય કાર્ય કરવા ચેાગ્ય વા ન કરવા યેાગ્ય તે સર્વે એક સરખુ થઇ ગએલુ હોવાથી તેઓ બાહ્ય કર્ત્તાધિકારથી મુક્ત થએલ અપ્રમત્ત મુનિ, અવધૂત સાધુ, યાગી, પીર, જીવન્મુકત મહાત્મા વગેરે નામોથી સમાધાય છે. તેવી દશાવાળા આત્મજ્ઞાની જે કંઇ કરે છે તે પ્રારબ્ધકર્માનુસારે કરે છે. બાહ્ય દૃશ્યકાર્યાંના કવ્યાકબ્યાદિ વિચારાની પેલીપાર જે ગમન કરીને આત્મામાં જે મસ્ત બની ગયા છે તે મહાપુરુષ જગમાં જીવતા દેવ પરમાત્મા અવાધવા. પ્રારબ્ધકર્માનુસારે બાહ્ય શરીરાદિ પ્રવૃત્તિને તે કરે છે છતાં તે કવ્યવિવેકથી જુદી દશામાં મસ્ત થવાથી તે અક્રિય જાણવા; કારણ કે તેને કરતાં છતાં તેનું ભાન નથી અર્થાત્ તેમાં ઉપયેાગ નથી અને નહિ કરવાથી તેને કંઈ ન્યૂનતા નથી. આવી તેની સ્થિતિ થવાથી તે જ્ઞાનાત્મા સર્વ વિશ્વમાં પૂજ્ય અપ્રમત્ત યોગી તરીકે પૂજાય છે. આર્યાવર્ત તેવા અવધૂત જ્ઞાનિયાગીઓના તનુએથી શાલી રહ્યું છે. તેવા આત્મજ્ઞાની જે કંઇ પ્રવૃત્તિ કરે છે તેમાંથી જગને ઘણુ શિક્ષણ લેવાનું હાય છે. આત્મજ્ઞાની કર્તવ્યાધિકારની મર્યાદા ધારણ કરીને જે કઇ કરે છે તેથી વિશ્વને તે અનન્તગુણુ ઉપકાર કરી શકે છે. જ્ઞાનાત્મા શરીર પરથી મમત્વને ત્યાગ કરે છે તે પેાતાને શરીરરૂપ માનતા નથી. જ્ઞાની પેાતે સર્વ જડ વસ્તુઓથી પેાતાને ભિન્ન માને છે તેથી જડ વસ્તુઓમાં કપાયલી શુભાશુભની અસરથી તે મુક્ત થઇ શકે છે; આત્મજ્ઞાની શરીર હણાતાં છતાં આત્માને હણાતા માનતા નથી. શરીર બળતાં છતાં જ્ઞાનાત્મા ખળતે નથી. શરીર હણાતાં છતાં આત્મા નિત્ય હાવાથી આત્મા હણાતા નથી; તેથી આત્માને હાયલા માનવા એ નૈૠયિકનયે ભ્રાન્તિ છે. શરીર અનિત્ય છે, શરીર દેહ છે, પણ આત્મા મળતા નથી કારણ કે આત્મા, નિરંજન નિરાકાર નિત્ય જ્યેાતિસ્વરૂપી છે તેથી તે બળતા નથી. આત્માને ખળતા માનવા એ એક જાતની ભ્રાન્તિ છે. ભૂતાનું
For Private And Personal Use Only