SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મધ્યાનમાં લીન થવાથી મુક્તિ. ( ૪૮૭ ) हन्यमाने शरीरेऽपि ज्ञानात्मा नैव हन्यते । दह्यमाने शरीरेऽपि ज्ञानात्मा नैव दह्यते ॥ ८३॥ कुर्वन् कर्माण्यपि ज्ञानी नैव कर्ता प्रगीयते । देहस्थो देहभिन्नः स मुक्तात्मा सर्वसङ्गतः ॥८४॥ सर्वत्राऽस्ति च सर्वेषु नैव सर्वत्र सर्वगः । बाह्यसङ्गेऽपि निःसङ्गो ज्ञानी भवति वस्तुतः ॥८५॥ मुक्तः कर्माधिकारात्स प्रवृत्तिरुपकारिका । ज्ञानिनो विश्वलोकानां प्रारब्धकर्मसङ्गतः ॥८६॥ सातासातं समं मत्वा मानामानौ तथैव हि । स्तोतृनिन्दकयोः साम्यं मत्वा कार्य करोति सः ॥८७॥ શબ્દાર્થ-જે કાર્ય કરવામાં સમભાવ ધારણ કરે છે એ જ્ઞાનયેગી દેહમાં છે તે પણ શુદ્ધ નૈશ્ચયિક નયે તે દેહમાં નથી. હન્યમાન શરીર છતાં જ્ઞાનાત્મા હણાતું નથી. શરીર બળે છે, પરંતુ તે જ્ઞાનાત્મા બળતું નથી. આત્મજ્ઞાની કાર્યોને કરતો છતે પણ તે કર્તા છે એમ કહેવાતું નથી. તે દેહમાં છે છતાં પણ દેહ ભિન્ન છે. દેહ છતાં તે જ્ઞાનાત્મા અહંમમત્વાદિ અધ્યવસાયથી મુક્ત થએલે હોવાથી સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ શબ્દ મુતાત્મા ગણાય છે અને એવંભૂતયે સર્વકર્મથી રહિત થયે તે સકતામાં કહેવાય છે. આમાં સર્વ અસ્તિ અને નાસ્તિ ધર્મો રહેલા છે. આત્મા વિના અન્ય દ્રવ્યની અનન્ત ગુણ પર્યાયની અનન્ત નાસ્તિતા છે. તે આત્મામાં નાસ્તિભાવે સમાય છે તેથી ( શ્રી વિશેષાવશ્યકમાં શ્રુતજ્ઞાનાધિકારે એક આમાં જેમ સર્વ વિશ્વનેસમાવેશ કરેલ છે તદ્દત) આત્મા સર્વસંગત કહેવાય છે. આત્માના કેવલજ્ઞાનમાં સર્વ વિશ્વ યરૂપે ભાસે છે તેથી તેની અપેક્ષાએ પણ સર્વસંગત આત્મા કહેવાય છે. આત્મા સર્વત્ર છે અને સર્વમાં સર્વત્ર નથી એમ પણ વ્યકિતની અપેક્ષાએ કથી શકાય છે. બાહ્ય સંગમાં જ્ઞાની આ પ્રમાણે આત્માનું સ્વરૂપ અવબોધીને નિઃસંગ થાય છે. આત્મજ્ઞાની આ પ્રમાણે આત્માનું અનેક નય દષ્ટિએવડે સાપેક્ષ સ્વરૂપ જાણે છે. તે ક્રિયાના અધિકારથી આત્મધ્યાનમાં લીન થઈને મુક્ત થાય છે તથાપિ તેની શબ્દાદિનયે જીવન્મુક્તદશા પ્રમાણે શરીરાદિથી બાહ્ય પ્રવૃત્તિ થાય છે તે વિશ્વ લોકોને ઉપકાર કરનારી થાય છે. આત્મ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy