________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shin Kailassagarsun Gyanmandir
-
-
(૪૮૦ )
શ્રી કર્મયુગ ગ્રંથ-સવિવેચન.
ક્ષાત્રકર્મ પ્રવૃત્તિથી પરાડ મુખ ન થવું જોઈએ એમ પ્રવર્તવાથી ક્ષાત્રવર્ગવડે ગૃહસ્થાશ્રમ કર્તવ્યકર્મની પરિપાલનતા કરાય છે, અને આત્માની પરમાત્મદશા કરી શકાય છે. બ્રાહ્મણ વૈશ્ય અને શુદ્ર હૃદયમાં પરમાત્માનું સ્મરણ કરીને áવ્યકમે કરતે છતે કર્મથી બંધાતે નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણને કર્તવ્યકર્મ કરતાં નિર્મળ પરિણામે અબદ્ધાવસ્થા છે. ચારે વર્ણાદિ સર્વને પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરવા પૂર્વક કર્તવ્યકર્મ કરતાં છતાં આત્માને અબદ્ધ રાખવાની શક્તિ પ્રાપ્ત થઈ શકે છે, તેથી ચારે વર્ણના મનુષ્ય કર્મ કરતાં છતાં નિર્મલ પરિણામે કર્મથી બંધાતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર પ્રકારના આર્ય જેને વ્યવહાર દશા પ્રમાણે વર્ણ ગુણ કર્મ પ્રવૃત્તિ વડે આજીવિકાદિ કર્મો કરતા હતા અને તે કર્મોમાં શુભાશુભ પરિણામને નહિ ધારણ કરતા છતા અબદ્ધ રહી શકે છે અને ત્યાગાશ્રમને પ્રાપ્ત કરી છેવટે પરમાત્મસ્વરૂપ બની શકે છે. દેશોન્નતિ સમાજેન્નતિ આદિ ઉપર્યુક્ત ઉન્નતિમાં સ્વાધિકારે પ્રવર્તતા અને અન્તરમાં શુભાશુભભાવથી ન્યારા રહેતા મનુષ્ય કર્તવ્ય કર્મો કરતા છતા પરમાત્માના ધ્યાનના ગે અબદ્ધ રહે છે અને દેશન્નતિની સાથે આત્મોન્નતિમાં પ્રતિક્ષણે આગળ વધે છે; અતએ બ્રાન્ત થઈને કદાપિ કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. કેટલાક ક્ષત્રિય જૈન રાજાઓ અને જૈન ક્ષત્રિય સ્વક્ષાત્રકર્મના અધિકારથી ભય પામી વણિગવૃત્તિ સેવવા લાગ્યા અને સ્વાધિકારથી ભ્રષ્ટ થયા તેથી તેઓ રાજ્યપદવી વગેરેથી દૂર થયા; તેથી તેઓ ધર્મની ઉન્નતિ અને દેશ સમાજ તથા સંઘની ઉન્નતિ કરી શકયા નહિ. જેનામાં જે જે ગુણકર્મની શક્તિ રહેલી હોય તેના અનુસાર તેણે કર્તવ્યકર્મને અન્તરશુભાશુભભાવથી ન્યારા રહી. કરવાં જોઈએ. જ્યાંસુધી ગૃહસ્થદશામાં રહેવાનું હોય ત્યાંસુધી ગૃહસ્થ ધર્મના અધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદથી દેશસમાજાદિની પ્રગતિને ધ્યાનમાં રાખી કર્તવ્ય કર્મો કરવા જોઈએ: ગમે તે સ્થિતિમાં આત્મજ્ઞાનપ્રતાપે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કર્તવ્ય કર્મ કરતાં જ્ઞાનાવરણીયાદિ કર્મથી અબદ્ધ રહી શકાય છે. દુનિયાની સાથે જે જે કર્તવ્ય કર્મ સંબંધે જે જે પરમાર્થ કૃત્ય કરવાને સ્વાધિકાર હોય તે પ્રમાણે પ્રવર્તતાં આત્મજ્ઞાની ખરેખર શુભાશુભ વૃત્તિથી ન્યારે રહી અબદ્ધ રહી શકે છે. પ્રસંગોપાત્ત આવશ્યક છે જે કર્તવ્યમે કરવાનાં હોય છે તેને શુભાશુભવૃત્તિરહિતપણે આત્મજ્ઞાની કરતો છતે કર્મથી અબદ્ધ રહે છે; જૈનધર્મને પૂર્વે ચારે વર્ણવાળા મનુષ્ય સેવતા હતા અને સ્વવર્ણગુણકર્માનુસાર આજીવિકાદિ કર્મપ્રવૃત્તિને સેવતા હતા તેથી જૈનધર્મની વ્યાપકતા સર્વત્ર હતી. પરંતુ
જ્યારથી વણિક વ્યાપારનું કર્મ કરે તે જૈન ગણાય અને ક્ષત્રિય, શૂદ્રાદિ અન્ય વર્ણનું કર્મ કરે તે મહાપાપી થાય છે અને જૈન ધર્મ પાળવાને ચગ્ય નથી—એવી જ્યારથી દષ્ટિમાં આચારમાં સર્વત્ર વણિક જૈનેમાં સંકુચિતતા બની અને અન્ય વણે કે જે ગુણકર્માનુસાર વ્યાવહારિક આવશ્યક કર્મો કરનાર હતા તેઓના પ્રતિ ઘણાની દૃષ્ટિથી જોવાનું થયું વા
For Private And Personal Use Only