SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ કળથી કદી ભ્રષ્ટ બનવુ નહી. (૪૭૯ ) ત્તિમાં અન્તમાં નિલે પ રહી શકે છે. રાગદ્વેષની વૃત્તિ ખરેખર હૃદયમાં ન હોય અને અધિકારે પ્રાપ્ત થએલ કર્તવ્યકમ ને કરવાં પડે તેથી આત્મા બંધાતા નથી. આન્તર નિર્મલ પરિણિત છતાં જો આત્મા બધાતે હાય તે કોઇ આત્મા મુક્ત થઇ શકે નહિ. રાગદ્વેષની ચીકાશથી કર્મ બંધાય છે. રાગદ્વેષની ચીકાશ ટળતાં નિલ પરિણામ થાય છે અને તેથી સ્વાધિકારે કર્તવ્યકમ કરતાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રાદિ વણુના મનુષ્ય, સ`સારમાં બંધાતા નથી. ભરત અને બાહુબલીએ ક્ષત્રિયના અધિકાર પ્રમાણે ક્ષાત્રકમની પ્રવૃત્તિ સેવી અને તે પરમાત્માને હૃદયમાં મરી નિર્મલ પરિણામથી મુક્ત થયા. અજ્ઞાની અને જ્ઞાની બન્ને પ્રાસકનું પ્રસેવન કરે છે, પરન્તુ તેમાં શુભાશુભ ભાવની પના કરીને અજ્ઞાની બધાય છે અને શુભાશુભ કલ્પનાની પેલી પાર સ્વાત્મામાં વિચારીને જ્ઞાની આ વિશ્વમાં કર્તવ્યકમ ને કરતા છતા બંધાતા નથી. લૌકિક વ્યવહારે આવશ્યક કર્તવ્યને બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ગુણકર્માનુસારે કરવાં પડે છે અને તે કર્યાં વિના કાઇના વ્યવહારદશાના સ્વાધિકારે છૂટકે થતા નથી, પરંતુ તેમાં આત્મજ્ઞાનથી નિર્મલ પરિણામ ધારણ કરવાપૂર્વક પ્રવૃત્તિ થાય છે તો સમ્યકત્વષ્ટિની સ્થિતિમાં આત્મા ખંધાતા નથી. શુભાશુભ પરિણામની દૃષ્ટિનું મુખ્ય કારણુ ખરેખર બાહ્ય પદાર્થાંમાં થએલી શુભાશુભ કલ્પના છે. આત્મજ્ઞાનથી કન્યકર્મામાં શુભાશુભ કલ્પના જ્યારે નથી થતી ત્યારે શુભાશુભ કાર્યાંથી સ્વાત્મા બંધાતા નથી. હૃદયમાં શુભાશુભ રાગદ્વેષભાવની કલ્પના ઉઠે છે તેાજ શુભાશુભ કર્મથી અંધાવાનુ` થાય છે. હૃદયમાં શુભાશુભ રાગદ્વેષની પરિણતિ વિના આવશ્યક કર્તવ્ય કર્માંને કરતાં બંધાવાનું થતું નથી એવું અવાધીને જ્ઞાનીઓ આવશ્યક કર્તવ્ય કરવાના સ્વાધિકારને અદા કરે છે. શ્રીતીર્થં કરમહારાજને પણ સ્વાધિકારે દેશના વિહારાદિ આવશ્યક કન્યકાં કરવાં પડે છે, તે અન્ય સામાન્ય મનુષ્યેાને સ્વાધિકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી ગૃહસ્થાશ્રમ અને ત્યાગીના અધિકાર પ્રમાણે કર્તવ્યકમાં કરવાં પડે એમાં કંઇ કહેવાનું રહેતું નથી. આવશ્યક કર્તવ્યને અવસ્થાના અધિકાર પ્રમાણે કરવાં પડે છે. પરન્તુ તેમાં વિશેષ એટલું છે કે કોઈપણ કન્યકા કરતાં પરમાત્મા પરમબ્રહ્મ પુરૂષાત્તમ ભગવાનનુ હૃદયમાં સ્મરણ કરવું અને નિર્મલ પરિણામથી વર્તવું એટલે કાઇપણુ આત્માના ગુણાના ઘાત કરનાર કર્મ લાગી શકતું નથી. સ્વાધિકારે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કવ્યકર્મ કરતાં કદિ ભય પામવે નહિ, અશ્રદ્ધા ધારણ કરીને કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. કુમારપાલની સામે યુદ્ધ કરવાને પ્રતિપક્ષી રાજા ચઢી આવ્યે તે વખતે ખાર વ્રતધારી કુમારપાલે હાથીની અ’ખાડી ઉપર બેસીને યુદ્ધ કર્યું પણું ક્ષાત્રકમની પ્રવૃત્તિથી પરામ્મુખ થયું નહિ. ક્ષાત્રક દશાના અધિકાર પ્રમાણે દેશ, ધર્મ, પ્રજા, ગુરુ, બ્રાહ્મણુ, સન્ત, સાધુના રક્ષણ માટે ક્ષત્રિયાએ યુદ્ધ કરવુ જોઇએ અને નિલ પરિણામવાળા થઈને હૃદયમાં પરમાત્માને મરી અન્તર્થી શુભાશુભ પરિણામથી ન્યારા રહેવું જોઇએ પરંતુ યુદ્ધાદિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy