SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગરીક પ્રવાહ ત્યાજ્ય છે. ૪૭ ) સફલતા થાય અને આત્મન્નિતિના શિખરે પહોંચી સિદ્ધ બુદ્ધ પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય. મન-વાણી-કાયા--આત્મા અને સમષ્ટિની ઉન્નતિ જેથી થાય તે આવશ્યક કર્તવ્યકાર્ય છે એમ અવધવું. મન-વાણું-કાયા અને આત્માની શક્તિને નાશ થાય એવું કઈ પણ કાર્ય ન કરવું જોઈએ. વિશ્વહાનિકારક, દેશ હાનિકારક, રાજ્યહાનિકારક, કેળવણહાનિકારક, વ્યાપારહાનિકારક, સમાજહાનિકારક, ચતુર્વિધ સંઘહાનિકારક, જ્ઞાતિહાનિકારક, વિદ્યાકમેક્ષાત્રકમદિહાનિકારક, સુવ્યવસ્થાદિ હાનિકારક, ધર્મહાનિકારક, પરમાર્થહાનિકારક, પરસ્પર પ્રગતિસંબંધહાનિકારક, વ્યષ્ટિપ્રગતિહાનિકારક, સમષ્ટિપ્રગતિહાનિકારક, લેકેત્તરધર્મહાનિકારક, વિજ્ઞાનહાનિકારક, શેધક પ્રવૃત્તિવૃતિહાનિકારક અને સ્વતંત્રપ્રગતિહાનિકારક કઈ પણ કર્મ ન કરવું જોઇએ પણ તેની હાનિ કરનારને એગ્ય શિક્ષા આપવાની. જે જે કાયદાઓની વ્યવસ્થા વગેરેની નિર્મિતિ કરેલી હોય તેને નાશ ન કરવો જોઈએ એમ જે મનુષ્ય સમજીને સર્વ પ્રકારની ઉન્નતિના દેશકાલાનુસારે તરતમગ અવધે છે તે સ્વાામેનતિ યોગ્ય કર્તવ્યકર્મો કરવાને શક્તિમાન થાય છે. ઉપર્યુક્ત પ્રગતિકારક કર્તવ્યકર્મને કરવું જોઈએ. આર્યાવર્તમાં આ ન્નતિકારક જે જે કર્તવ્યક છે તેને પૂર્વકાલમાં મનુષ્ય સમ્યમ્ અવધતા હતા અને આત્મબલ ફેરવીને તેમાં પ્રવર્તતા હતા તેથી પૂર્વકાલમાં આર્યાવર્ત ખરેખર સર્વ દેશમાં પ્રગતિમાં મુખ્ય હતું. જે મનુષ્ય ઐતિહાસિકદષ્ટિએ આત્મોન્નતિ યોગ્ય કર્તવ્ય કાર્યોનું તારતમ્ય અવધે છે તેઓ વ્યાવહારિકદષ્ટિએ આ ન્નતિકારક કર્તવ્યકર્મોને દેશકાલાનુસારે કરે છે અને દેશ સમાજ વ્યષ્ટિ અને સમષ્ટિની અવનતિનો અવરોધ કરી શકે છે. આર્યાવર્તમાં અવનતિકારક કાર્યો ઘણું થાય છે. અજ્ઞાની મનુષ્ય અવનતિ અને ઉન્નતિકારક ક્લેયકને વિવેક કયા વિના ગરીક પ્રવાહમાં તણાય છે અને તેઓ દેશસમાજહાનિકારક કાર્યોથી નિવૃત્ત થતા નથી. આત્મોન્નતિના કાર્યોને વિવેક કરનારા મનુષ્યોએ અજ્ઞાની મનુષ્યની આંખોને ઉઘાડવી જોઈએ અને તેઓને ઉન્નતિના કાર્યોને વિવેક કરાવવું જોઈએ- એ પ્રથમ તેઓનું સમષ્ટિપ્રગતિપ્રતિ કર્તવ્ય કર્મ છે; અને તેમાં જે પ્રમાદ વા ઉપેક્ષા થશે તે તેઓની વંશપરંપરાની હાનિ થવાની અને તેઓ વિશ્વમાં જીવતાં છતાં મૃતકની દશાને પ્રાપ્ત કરી શકશે. મન વાણી અને કાયાથી રજોગુણની ઉન્નતિ, તમોગુણની ઉન્નતિ અને સવગુણની ઉન્નતિનું સ્વરૂપ અને તેનો વિવેક કરાવી તે તે ઉન્નતિની તરતમતા અવધાવવી જોઈએ કે જેથી મનુષ્ય કૃત્રિમ પ્રગતિ કરતાં અકૃત્રિમ વાસ્તવિકપ્રગતિકારક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ શકે અને બ્રાંત પ્રગતિથી પરાંમુખ થઈ શકે. જે મનુષ્યો ઉપર્યુક્ત લેખ્ય. સારને અવબોધતા હોય તેઓએ આમેન્નતિકારક કાર્યોની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ અને વિશ્વશાલાસ્થ મનુષ્યને પ્રવર્તાવવા જોઈએ. સર્વ મનુષ્ય આન્નતિને ઈચ્છે છે. કોઈ મનુષ્ય સ્વકીય આત્માની અવનતિને ઈચ્છતો નથી પરંતુ વાસ્તવિકેન્નતિ વિકાસક્રમના For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy