SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 版 કાયાની ઉન્નતિ ધ્રુવી રીતે થાય ? (૪૭૫ ) નિરીક્ષી નહિ. મૃત્યુના ભયથી મનને સ્વસાધ્ય કાર્યમાં રાખીને અત્ર હું આવી શકયા. રાજાએ નાસ્તિકને કહ્યું કે--અરે નાસ્તિક ! જો તું એતાવન્માત્ર મૃત્યુભીતિથી મન સ્થિર રાખીને સાંપેલું કાર્ય કરી શકયા તેા જેઓએ અનન્ત જન્મમરણથી ભય પામી ચારિત્ર અંગીકાર કર્યું છે તે કેમ વિષાને જીતી ન શકે અને મનને ધર્મમાં કેમ લયલીન ન કરી શકે ? અર્થાત્ અનન્ત મૃત્યુ દુઃખમાંથી વિમુક્ત થવાને તેએ વિષયાને જીતી મનને વશ કરી શકે છે. અભ્યાસખળથી મનને જીતી શકાય છે. આ પ્રમાણે રાજાના યુક્તિયુક્ત સદુપદેશથી નાસ્તિકની મતિ ઠેકાણે આવી અને તે રાજાને કથવા લાગ્યા કે હે રાજન્ ! તમારા ઉપદેશથી અને મેં કરેલા કાર્યથી અનુભવ થાય છે કે સાધુએ દૃશ્ય રમણીય વિષયામાં મનને ન જવા દે અને મનને વશ કરી શકે જ. મારી થએલી ભૂલ કબૂલ કરીને આજથી હું આસ્તિક બનું છું. આ ઉપરથી સારાંશ લેવાના એ છે કે-જે કાર્ય સાધ્યભૂત ગણેલુ હાય છે તેના ઉપયેગમાં રહેવાથી તે કતન્યકાર્યની પેલા નાસ્તિકને રાજાએ સેાંપેલા કાર્યની પેઠે સિદ્ધિ કરી શકાય છે. કાર્ય સાધ્યાપયોગથી પ્રત્યેક મનુલ્યે લૌકિક અને લેાકેાત્તર આવશ્યક કાર્ય કરવું જોઇએ. લૌકિક વ્યવહાર અને લેાકેાત્તર વ્યવહારે જે કન્યકાય કરવાથી સ્વાન્નતિ થાય તે કાર્ય કરવું જોઇએ. જે કાર્યથી સ્વાત્માન્નતિ અને પરશન્નતિ ન થતી હાય તેને કરવાની જરૂર નથી. જે જે સ્વાત્માવડે કાર્ય કરવામાં આવતાં હોય તેથી સ્વાન્નતિ થાય છે કે કેમ ? તેના વિચાર કરવા જોઈએ. દેશન્નતિ, વિદ્યોન્નતિ, ક્ષાત્રકમેર્માંન્નતિ, વૈશ્યકમેન્નિતિ, શૂદ્રકાઁન્નતિ અને સમષ્ટિની ઉન્નતિ; તેની સાથે વ્યાવહારિક આમૈન્નતિના સંબંધ રહેલા છે અને વ્યાવહારિક આત્માન્નતિની સાથે આધ્યાત્મિક નૈૠયિક ઉન્નતિના સંબંધ રહેલા છે કાયિકેાન્નતિની સાથે વાચિકેન્નતિ અને માનસિકેન્નતિના સબધ રહેલા છે. કાયકેતિ વિના માનસિકેાન્નતિ થવાની નથી. કાયા અને મનના ઘણા નિકટના સંબધ છે. કાયાની શક્તિ અને મનની શક્તિને પરસ્પર આસન્ન સબંધ છે. કાયાની આરાગ્યતા માટે હવા પાણી અને કસરત એ ત્રણની અત્યંત જરૂર છે. જે મનુષ્ય કાયિકેન્નતિની કિંમત સમજી શકતા નથી તે માનસિકેાન્નતિની કિંમત સમજી શકતે નથી. કાયા મન વાણી અને આત્મા આ ચાર વસ્તુઓના મનુષ્ય કહેવાય છે તેથી એ ચારેની ઉન્નતિ કરવાની જરૂર છે. બ્રહ્મચર્ય નિયમિત આહાર નિયમિત કાર્ય કરવાની પ્રવૃત્તિ અને વિશ્રાન્તિ એ ચારથી કાયાની ઉન્નતિ થાય છે. કસરતાદ્વિથી કાયાની શકિતયે ખીલવવાથી મનથી નિખળતા દૂર થાય છે અને મનની આરેાગ્યતા તથા મુષ્ટિ કરી શકાય છે. માનસિક કેળવણીની પ્રગતિ કરવામાં કાયાની આરેાગ્યતા અને દૃઢતા વિના એક ક્ષણ માત્ર ચાલી શકવાનું નથી. મનના દૃઢ સ ́કલ્પથી અને મનન કરવાની શક્તિથી માનસિક પ્રગતિ થાય છે અને માનસિક પ્રગતિની વૃદ્ધિ થતાં આત્માના જ્ઞાનાદિ ગુણાની શક્તિયાની વૃદ્ધિ કરી શકાય છે. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy