SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭૪). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. વિવેચન-કાર્ય જે સાધ્યભૂત છે તેના ઉપયોગથી કર્તવ્ય કાર્યો કરતાં અનેક ભૂલથી ભ્રષ્ટ થવાતું નથી. તે ઉપર તેલ પાત્રધારકનું દૃષ્ટાંત નીચે પ્રમાણે કહેવામાં આવે છે. એક નગરમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પ્રકારે આરાધન કરનાર રાજા રાજ્ય કરતો હતો. તેના નગરમાં એક નાસ્તિક મનુષ્ય રહેતું હતું. તે દરરોજ સાધુઓની રાજા આગળ નિન્દા કરતો હતો. સાધુએ મનને વશ રાખી શકતા નથી; તેઓનું મન સદા વિષયમાં ભટકે છે અને વેષમાત્રથી તેઓ સાધુઓ છે. રાજા તેને આસ્તિક કરવાને અનેક રીતે પ્રબંધતો હતો, પરંતુ તે હૃદયમાં રાજાના ઉપદેશને સ્વીકાર નહોતે. રાજાએ તેને પ્રતિબંધવાનો એક ઉપાય શોધી કાઢો. એક રાજદ્વારી મનુષ્ય કે જે તેને મિત્ર હતો તેની પાસે પેલા નાસ્તિકના ઘરમાં સુવર્ણને વાડકો ગુખસ્થાનમાં મૂકાવ્યું. રાજાએ પોતાના ઘેર સુવર્ણના વાડકાની ચોરી થઈ છે માટે જેની પાસે તે હોય તેણે સાત દિવસમાં રાજાને આપવો, અન્યથા તેને મારી નંખાવવામાં આવશે એવી નગરમાં ઉદ્ઘેષણ કરાવી. પરંતુ કોઈએ સુવર્ણ વાડકે લઈ રાજાને આપ્યો નહિ. રાજાએ સુવર્ણના વાડકાની તપાસ માટે સર્વ નગરમાં સિપાઈઓ મારફત તપાસ કરાવી. સિપાઈઓ શોધતા શોધતા પેલા નાસ્તિકના ઘેર આવ્યા અને તેના ઘરમાં પેસી જ્યાં સુવર્ણન વાટકો મૂક્યો હતો ત્યાંથી તે સંકેતાનુસાર લઈ લીધે અને પેલા નાસ્તિકને પકડી રાજાની પાસે લાવ્યા. રાજાએ તેને વધ કરવાની આજ્ઞા ફરમાવી. રાજાની વધાજ્ઞાથી અખિલ નગરમાં હાહારવ થયો આવા ગુન્હા માટે તેને મારી ન નાંખતાં અન્ય શિક્ષા કરવી જોઈએ એમ નગરના મહાજને વિચાર કર્યો અને સર્વ મહાજન ભેગું થઈ રાજાની પાસે ગયું. રાજાએ માન આપીને મહાજનને સત્કાર કર્યો અને મહાજને આવવાનું કારણ કહી પેલા નાસ્તિકને વધ ન કરવું જોઈએ તેવી વિજ્ઞપ્તિ કરી. રાજાએ મહાજનના પ્રત્યુત્તરમાં કહ્યું કે-યદિ તે નાસ્તિક તેલનું પરિપૂર્ણ ભરેલ પાત્ર લઈને સંપૂર્ણ ચૌટું ફરે અને તેમાંથી તેલનું એક બિન્દુ પણ ન ઢળે તે હું એને વધાજ્ઞાથી મુક્ત કરૂં. પેલા નાસ્તિકે તે વાત કબૂલ કરી અને તે ચોટામાં તેલનું ભરેલ પાત્ર લઈને ચાલવા લાગ્યો. રાજાએ તેને સૂકાવાને ઠેકાણે ઠેકાણે ગણિકાઓના નાચ શરૂ કર્યા હતા અને ઠેકાણે ઠેકાણે દશ્યવહુએ ગઠવી દીધી હતી, પરંતુ તે મૃત્યુથી તેલનું પાત્ર સંભાળીને ચાલવા લાગ્યું. મનurĖ નથિ મયં– માણમં નારિત મામ્ મૃત્યુના સમાન કેઈ ભય નથી તેથી તે ભયથી કેઈના સામું દેખાવા લાગે નહિ. પરિપૂર્ણ સ્વકાર્ય સાધ્ય ઉપયોગથી ચૌટું પસાર કરવા લાગે અને સંપૂર્ણ તલપાત્ર જેવું હતું તેવું રાજાની પાસે લાવીને મૂકયું. રાજાએ સિપાઈને પૂછી જરા માત્ર પણ તેલ ન ન્યું તેની ખાત્રી કરી લીધી. રાજાએ નાસ્તિકને પૂછયું. તેલત. પાત્રને ઢાળ્યા વિના કેવી રીતે લાવી શક્યા ? તેના ઉત્તરમાં નાસ્તિકે કહ્યું કે-મૃત્યુના ભયથી, મારું મન જે કાર્ય કરવાનું હતું તેમાં રહ્યું અને મારી આંખોએ અન્ય વસ્તુઓને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy