________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
낚
લાભાલાભ વિચારી પ્રવૃત્તિનિવૃત્તિ કરવી.
( ૪૭૧ )
સ્વાત્મપ્રગતિમાટે કરી શકે છે. તેમાં અન્ય મનુષ્યને તેની ટીકા કરવાના હક્ક નથી. ક્રિયાઓ કે જે ઉપયોગી હાય તે કરવી જોઈએ પરંતુ ફલ ન દેખાતુ હાય અને આત્માની ઉન્નતિ ન થતી હોય તે અનાવશ્યક ક્રિયાઓમાં નોંધાઇ રહીને ક્રયાપરતુ ત્રજીવન ન કરવું જોઇએ. જ્ઞાનપૂર્વક કર્તવ્યકાની ક્રિયાઓને સ્વવશમાં પાતે કાપુત્તલિકાત્ ન થવું જોઇએ. વય શક્તિ સંબંધ પ્રયેાજનાદિથી અમુક ક્રિયાના પેાતાને અધિકાર છે કે નહિ તેની પાતાને સમજણ પડે છે. આવશ્યકકતવ્યકાર્યાં કયાંસુધી પેાતાને કરવાનાં હાય છે તે વય શક્તિ અવસ્થા જ્ઞાન પ્રત્યેાજનાદિથી પેાતાને તેના અનુભવ થાય છે. સ્વતંત્રપણે અનેક જ્ઞાનથી સ્વાધિકાર કર્તવ્યક ક્રિયાના નિણૅય કરવા જોઈએ. ગૃહસ્થદશાત્યાગ કરીને ત્યાગીની દશા સ્વીકારતાં કર્તવ્યક ક્રિયાના અધિકારનું રૂપાન્તર થાય છે. અવસ્થાભેદે કાર્ય ક્રિયાઓને ભેદ પડે છે જેથી જે અવસ્થામાં જે ક્રિયાઓ કરવાની આવશ્યકતા હાય તેના પ્રથમથી વિવેક કરીને તેને આદર કરવા અને અન્ય ક્રિયાઓથી નિવૃત્ત થવું. જે જે અવસ્થામાં જે જે આવશ્યકકાર્ય પ્રવૃત્તિયા કરવા જે જે રીતે જરૂર હાય તે તે રીતે તે તે આવશ્યક ક્રિયાઓને કરવી. ન્યાયાધીશનાં કર્તવ્યકમેર્માંની ક્રિયામાં ન્યાયાધીશે પ્રવૃત્ત થવું અને ફાજદારની કક્રિયામાં ફ઼ાજદારે વિવેકપૂર્વક પ્રવૃત્ત થવુ.... ક્ષત્રિયાએ ગુણકર્માનુસારે ક્ષત્રિયનાં કર્યાં કરવાં અને બ્રાહ્મણ્ણાએ ગુણકર્માનુસારે બ્રાહ્મણાના કમની ક્રિયાઓ કરવી. ગુણુકર્માનુસારે વૈશ્યાએ વૈશ્યકની ક્રિયાઓમાં પ્રવૃત્ત થવું અને ગુણુકમાંનુસારે શૂદ્રોએ શૂદ્રકર્મક્રિયામાં પ્રવૃત્ત થવુ, ગુણકર્માનુસારે જે કાર્ય કરવામાં જ્યાંસુધી પેાતાના અધિકાર છે ત્યાંસુધી તે ક્રિયા કર્યાં કરવો અને તે ક્રિયાને સ્વાધિકાર ટળ્યા બાદ તેમાં પ્રવૃત્તિ કરવી નહિ–એવી મનુષ્યએ વિવેકબુદ્ધિ ધારણ કરવી જોઈએ. અધિકારભેદેકર્તવ્યક્રિયાભેદ્ય—એ વિશ્વમાં મનુષ્યેાની સ્વત ંત્ર પ્રવૃત્તિ છે; તેને નાશ કરવાથી મનુષ્યાની પ્રવૃત્તિનું સ્વાતંત્ર્ય ટળતાં તેએ કાષ્ઠનાં પૂતળાં સમાન બને છે. જે કાર્ય કરવાની જેનામાં શક્તિ હોય અને જે કાય પ્રવૃત્તિથી જેના આત્માની સ્વતંત્ર પ્રગતિ થતી હાય અને જે કાર્ય કરવાથી તે વિશ્વને લાભ સમપી શકતા હાય તે તેના સ્વાધિકારે કન્યકર્મ પ્રવૃત્તિ અવમેધવી. પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે કર્તવ્યકક્રિયા કરવાને સ્વતંત્ર હોવા જોઈએ અને તેની પ્રવૃત્તિ તેને અનેક દલીલે આપીને સમજાવીને ફેરવવી જોઇએ; અન્યથા વિશ્વનું પારતંત્ર્યપ્રવર્તન કદાપિ નષ્ટ થવાનું નથી અને વિશ્વજનસમાજ સુખી થવાનેા નથી. જે કાર્ય કરવામાં જે મનુષ્યની ચેાગ્યતા ન હેાય તેમાં તેને પ્રવતર્તાવવાના અન્યને અધિકાર નથી. લાભાલાભને વિચાર કરીને જ્ઞાનપૂર્વક પ્રત્યેક મનુષ્ય સ્વયેાગ્ય અધિકાર ભેદે કર્તવ્યક્રિયાઓમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરી શકે છે અને તેથી તે વિશ્વશાળામાં કચેાગને ખરેખરા અનુભવ મેળવી પ્રગતિમાનૢ બની શકે છે. અવસ્થા, વય, જ્ઞાન, ઇચ્છા, શક્તિ આદિથી કર્તવ્યકમ ક્રિયાના ભેદૅમાં પરિવર્તન થયા કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only