________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિકાર વિના ક્રિયા ન કરવી.
(૪૬૯)
થાય છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં સદા મગ્ન રહેવું એ સ્વક્તવ્ય ફરજ છે. એક મહાત્મા એક વખત સાબરમતી નદીમાં સ્નાન કરવા પેઠા એવામાં એક વિંછી તણું તણાતે ત્યાં તેમણે દીઠો. મહાત્માના મનમાં તુર્ત દયા આવી અને તેને હસ્તમાં ઝાલે. વૃશ્ચિકે તુર્ત મહાત્માને ડંખ માર્યો. મહાત્માએ તુર્ત તેને જલમાં નાખ્યો પુનઃ તેને તણાતે દેખીને તેને હસ્તમાં ઝાલ્યો. વિંછીએ પુનઃ તેના હસ્ત પર ડંખ માર્યો. એમ ચાર પાંચ વખત મહાત્માને તે વૃશ્ચિક કરડે તે પણ મહાત્માએ સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં મગૂલ રહીને તેને બહાર કાઢ્યો. મહાત્માની આવી પ્રવૃત્તિ દેખીને નદીકાંઠે ઉભેલા એક મનુષ્યને હસવું આવ્યું અને તેણે મહાત્માને કહ્યું કે-અરે મહાત્મન ! તને વૃશ્ચિકે ડંખે ચાર પાંચ વાર માર્યા છતાં કેમ તેને બહાર કાઢ્યો? મહાત્માએ પૃચ્છકને કહ્યું. ભાઈ! વૃશ્ચિકે પિતાની કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને બજાવી અને મેં મહાત્માની કર્તવ્યપ્રવૃત્તિને બજાવી. તેણે સ્વકર્ત વ્યકર્મ પ્રવૃત્તિને સ્વભાવનુસાર સેવીને તેમાંથી ર્તવ્ય કર્મોનું શિક્ષણ આ જગને આપ્યું અને મેં મહાત્માના સ્વભાવ પ્રમાણે કર્તવ્યકર્મ પ્રવૃત્તિને સેવી મૌન રહી જગને કર્તવ્યકર્મને બેધ આપે. આ ઉપરથી સાર એ લેવાને છે કે-કર્તવ્ય કર્મ પ્રવૃત્તિથી મનુષ્ય મીન રહ્યો છતાં પણ જગને ઉપદેશ આપે છે, માટે સ્વઆવશ્યક ફરજના અનુસાર કર્તવ્ય કર્મ પ્રવૃત્તિથી જગતુશાલાના જીવોને ઉપદેશ દેવો જોઈએ.
અવતરણ-કર્મચગીને યાવત્ જ્યાં જ્યાં જે જે કર્તવ્ય કર્મક્રિયાનો અધિકાર છે તાવત્ તેણે ત્યાં ત્યાં તે તે કર્તવ્ય કર્મની ક્રિયા કરવી અને જેમાં પિતાને અધિકાર નથી તે તેણે ન કરવી ઇત્યાદિ દર્શાવે છે.
श्लोको यावक्रियाधिकारश्च यस्य यत्कर्मणो भवेत् ॥ तावत्तेन प्रकर्तव्याः स्वायत्तकर्मणः क्रियाः॥ ७५ ॥ यस्ययांयांक्रियां कर्तु-मधिकारो न युज्यते ॥
कर्तव्या तेन सा नैव यतोऽधिकारिणिक्रियाः ॥ ७६ ॥ શબ્દાર્થ –જેને જ્યાં સુધી જે કર્તવ્ય કર્મની ક્રિયા કરવાનો અધિકાર છે ત્યાં સુધી તેણે તે ક્રિયા કરવી જોઈએ. સ્વાયત્ત કર્મની ક્રિયા છે તે કર્તવ્ય કર્મના અધિકાર પર્યતા કરવી જોઈએ અને જેને જે ક્રિયા કરવાનો અધિકાર નથી તેણે તે કર્મની ક્રિયા કરવી નહિ કારણ કે જે મનુષ્ય જે કર્મને અધિકારી છે તેનામાં તે ક્રિયાઓ શેભે છે અને સ્વપરફલપ્રદા થઈ શકે છે.
For Private And Personal Use Only