SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૌદ રાજલકના સ્વામી કયારે બની શકાય ? ( ૪૧ ) પુરુષ બની શકતા નથી. શુષ્કજ્ઞાનથી મુકિત થતી નથી તેમજ ધર્મને તથા વિશ્વને ઉદ્ધાર થતું નથી માટે શાબ્દિકપંડિતોએ અને તાર્કિક પંડિતએ સ્વકર્તવ્ય આવશ્યક છે જે કાર્યો હોય તેમાં ચિત્ત રાખીને ગોખલે દાદાભાઈ નવરોજજી રાનડે વગેરે દેશભક્ત કર્મયોગીઓની પેઠે અને પ્રભુભકત હેમાચાર્ય હરિભદ્રસૂરિ યશોવિજયજી વગેરેની પેઠે ધામિક કર્મયોગીઓ બનવું જોઈએ. સાધુઓ કે જેઓ ધર્મની રક્ષા તથા ધર્મને ઉદ્ધાર કરવાને કર્મવેગને ધારણ કરનાર હોય છે તેઓ શુષ્કજ્ઞાની સાધુઓ કરતાં કરેડ દરજજે વિશ્વશાલામાં ઉપકારી જીવન ગાળી શકે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે, શ્રીમદ્ બપ્પભટ્ટસૂરિએ, શ્રીમદ્ હીરવિજ્યસૂરિએ જ્ઞાનયોગની પરિપકવતા કરવાને માટે કર્મવેગને ધારણ કરી રાજાઓને પ્રતિબધી ધાર્મિક વિચારો અને આચારોની પ્રગતિ કરી આ વિશ્વશાલામાં અત્યન્ત ઉપકાર કર્યો છે. જે તેઓ ફકત વનવાસમાં રહ્યા હોત તો પાંદડાંની પેઠે એકલા પોતે તરી શકત પણ અન્યોને તારી શકત નહિ. કર્મયોગીને અનેક મનુષ્યના સમાગમમાં આવવું પડે છે અને અનેક મનુષ્ય તરફથી ઉપસર્ગ સહન કરીને મનુષ્યના મધ્યે સ્વાત્માને સુવર્ણવત્ કરવો પડે છે; તેથી તેઓને ક્રિયાપૂર્વક અનેક અનુભવોનું જે જ્ઞાન મળે છે તે જ્ઞાન ખરેખરા વખતે ટકી શકે છે. શશ્કજ્ઞાનીઓને ખરા વખતે જ્ઞાન ટકી શકતું નથી અને તેઓ પ્રવૃતિ વિના જે કંઈ બોલે છે તેની વિશ્વમાં ઝાઝી અસર થતી નથી તથા તેઓ કર્મ પ્રવૃત્તિ વિના પોતાની પાછળ પરંપરારક્ષકજ્ઞાનીઓને પણ બનાવી શકતા નથી. જગત્નું કલ્યાણ કરવાને કર્મચગીને જેટલું સહવું પડે છે તેટલું શુષ્કજ્ઞાનીને સહન કરવું પડતું નથી, તેથી તેને ખરેખરૂં અનુભવજ્ઞાન થઈ શકતું નથી. આત્મજ્ઞાનીઓ આત્મજ્ઞાનની પરિપકવતા કરવાને માટે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિને સેવે છે અને તે પ્રવૃત્તિ વડે આત્માના પરિપૂર્ણ સ્વરૂપને અનુભવી શકે છે. આ દેશમાં કર્મચગને સેવનારા એવા આત્મજ્ઞાનીઓની જરૂર છે, કારણ કે તે વિના ધર્મ, સંઘને ઉદ્ધાર થવાનું નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપર્યુકત ગુણો વડે કર્મવેગને અધિકાર પ્રાપ્ત કરી પશ્ચાતું કર્મયોગમાં પ્રવેશ કરે જોઈએ કે જેથી અખિલ વિશ્વની શુભ પ્રગતિમાં આત્મભોગ આપી શકાય અને અ૫હાનિપૂર્વક જગતને મહાન લાભ સમપી શકાય. પિંડ બ્રહ્માંડની સાથે સંબંધ છે તેથી જે જે કર્તવ્ય કર્મો કરવામાં આવે છે તેની બ્રહ્માંડવત્ત જીવોને અસર થાય છે. ચૌદ રાજલકનો આકાર ખરેખર મનુષ્ય શરીર સમાન છે. જેટલી રચના ચૌદ રાજલોકમાં રહી છે તેટલી મનુષ્યમાં રહેલી છે તેથી મનુષ્ય ખરેખર કર્મયોગી બને તે તે ચાદ રાજકને સ્વામી બનીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. અએવ આત્મજ્ઞાનીએ કર્મયેગી બનીને કાર્ય–ક્રિયા કરવામાં ચિત્ત રાખવું જોઈએ અને ચૌદ રાજલકના સ્વામી બનવા અન્ય સર્વ બાબતોની વિકથા મૂકીને જે કર્તવ્ય કાર્ય હાથમાં લીધું હોય તેને સિદ્ધ કરવા પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી આત્મોન્નતિના શિખરે પહોંચી શકાય અને ત્યાંથી ક્ષાયિક ભાવ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy